SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૯૦ ૧૩૪૫ અધ્યવસાય છે અને પુષ્પાદિ જીવોની હિંસાની ક્રિયા છે, તેને આશ્રયીને કર્મબંધ થતો નથી, પરંતુ જીવના શુભ કે અશુભ અધ્યવસાય પ્રમાણે શુભ કે અશુભ કર્મબંધ થાય છે. તેમ કેમ નક્કી થાય ? તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી તેમાં હેતુ કહે છે ग्रहणसमये .. નનના, ગ્રહણ સમયમાં જ ગુણ અને આશ્રયતા સ્વભાવથી=જીવતો પરિણામ ગુણ અને જીવ-કર્મરૂપ આશ્રયના સ્વભાવથી, કર્મમાં શુભપણાનું અથવા અશુભપણાનું રસાદિની અપેક્ષાએ જનન છે. — ૦ ટીકામાં ‘ગુણાશ્રયામ્યાં નિ શુખત્વસ્વાનુમત્વસ્ય' પાઠ છે, ત્યાં ‘શુશ્રયસ્વમાવાસ્યાં ર્મળિ શુમત્વસ્થાનુમત્વસ્ય વા' પાઠની સંભાવના છે અને તે મુજબ અમે અર્થ કરેલ છે. તવાદ - તેને=ગ્રહણ સમયમાં જ ગુણ અને આશ્રયના સ્વભાવ દ્વારા કર્મમાં શુભપણાનું અથવા અશુભપણાનું રસાદિની અપેક્ષાએ જનન છે, એમ કહ્યું તેને, વિશેષાવશ્યક ગાથા-૧૯૪૩ની સાક્ષીથી કહે છે - વિશેષાવષ્યક ગાથા-૧૯૪૩નો ગાથાર્થ : "अविसि નન્નાહાર” ।। તે=જીવ, પરિણામ અને આશ્રયના સ્વભાવથી અવિશિષ્ટ જ એવા તેને=કર્મને, ક્ષિપ્ર ગ્રહણ સમયમાં શુભ અથવા અશુભ કરે છે, જે પ્રમાણે જીવ આહારને શુભ અથવા અશુભ કરે છે. ***** વિશેષાવશ્યક ગાથા-૧૯૪૩નો અમુક ટીકાર્ય : परिणामो પરિણમતિ, જીવનો અધ્યવસાય તે પરિણામ, તેના વશથી=જીવના અધ્યવસાયરૂપ પરિણામના વશથી, જીવ ગ્રહણ સમયમાં જ કર્મનું શુભપણું કે અશુભપણું કરે છે. આશ્રય સ્વભાવનો અર્થ કરે છે કર્મનો આશ્રય જીવ છે અને તેનો=જીવનો, તે કોઈક સ્વભાવ છે, જેના કારણે શુભ અથવા અશુભ અન્યતરપણારૂપે પરિણમન પમાડતો જ=કર્મને પરિણમન પમાડતો જ, જીવ કર્મને ગ્રહણ કરે છે, અને શુભપણાનો તથા અશુભપણાનો=કર્મમાં વર્તતા શુભપણાનો અને અશુભપણાનો આશ્રય કર્મ છે, તેનો પણ=કર્મનો પણ, તે કોઈક સ્વભાવ છે, જેના કારણે શુભ-અશુભ પરિણામથી અન્વિત=સહિત એવા જીવ વડે ગ્રહણ કરાતાં કર્મો આ પણા રૂપે=શુભપણારૂપે અથવા અશુભપણારૂપે પરિણમન પામે છે. उपलक्षणम् , વૈચિત્ર્યારેઃ, આ=જીવરૂપ આશ્રય અને કર્મરૂપ આશ્રયનો સ્વભાવ બતાવ્યો, એ, પ્રદેશ અલ્પ-બહુભાગ વૈચિત્ર્યાદિનું ઉપલક્ષણ છે. ૭ ૩પત્નક્ષળમેતત્પ્રવેશાપવદુમાળવેચિધ્યાવે: અહીં ‘વિ'થી એ કહેવું કે મૂળ પ્રકૃતિમાં પરસ્પર સંક્રમ થતો નથી, ઉત્તર પ્રકૃતિઓમાં થાય છે. આયુષ્યની ઉત્તર પ્રકૃતિઓમાં પણ સંક્રમ થતો નથી અને દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ થતો નથી, અન્યનો થાય છે, અને તેમાં કારણ બંધાતા કર્મ અને જીવનો તેવો સ્વભાવ એ ઉપલક્ષણ છે. તેથી ‘વિ'થી તે સંક્રમના વૈચિત્ર્યને ગ્રહણ કરવું.
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy