SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક / શ્લોકઃ ૩૦ ૩૮૭ ગુણસ્થાનકમાં ન હોય, પરંતુ ધર્મધ્યાન કે શુક્લધ્યાનમાં પ્રવૃત્તિ હોવાને કારણે અવ્યક્ત કષાય જ હોવાને કારણે તેવા અપ્રમત્ત સાધુઓને માયાપ્રત્યયિકી ક્રિયા માની નથી. ટીકાર્ય : હે ભગવંત ! અપ્રત્યાખ્યાન ક્રિયા કોને હોય ? હે ગૌતમ ! અન્યતર અપ્રત્યાખ્યાનીને પણ=કાંઈ પણ પ્રત્યાખ્યાન જેને નથી એવા અપ્રત્યાખ્યાની હોય છે. અહીં માતરચષિ નો અર્થ ગચતર =ર વિન્વિત્, એ પ્રમાણે જાણવો. હે ભગવંત ! મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કોને હોય છે ? હે ગૌતમ ! અન્યતર મિથ્યાત્વીને પણ= ભગવાનના વચનનો એક પણ અક્ષર જેને ન રુચે એવા મિથ્યાષ્ટિને, હોય છે. અહીં અવતરશf નો અર્થ સૂત્રોક્ત એક પણ અક્ષર જેને ન રુચે એ પ્રમાણે જાણવો. વિશેષાર્થ : પ્રજ્ઞાપના સૂત્રના પાઠમાં આરંભિકી ક્રિયા અન્યતર પણ પ્રમત્તસંયતને છે, એમ કહ્યું, ત્યાં પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિ પ્રમાણે એ અર્થ છે કે, ‘’ શબ્દનો અન્વય પ્રમત્તસંયત સાથે છે અને અન્યતર' નો અર્થ કોઈક પ્રમત્ત સંયતને આરંભિકી ક્રિયા છે અર્થાત્ પડિલેહણાદિ ક્રિયા કરતી વખતે સૂત્રવિધિ પ્રમાણે ઉપયુક્ત ન હોય એવા પ્રમત્તસંયતને આરંભિકી ક્રિયા છે. પારિગ્રહિક ક્રિયા કોને છે ? તેના જવાબમાં અન્યતર પણ સંયતાસંયતને કહેલ છે, ત્યાં પણ “અનિ' શબ્દ સંયતાસંયતની સાથે યોજવાનો છે, અને ‘ન્યતર'નો અર્થ કોઈક સંયતાસંયતને પારિગ્રહિક ક્રિયા હોય છે અર્થાત્ જે દેશવિરતિધર સમ્યગૂ ઉપયોગપૂર્વક સામાયિક કે પૌષધમાં વર્તતો હોય ત્યારે ધર્મોપકરણ પ્રત્યે પણ મૂછ હોતી નથી, અને ધર્મોપકરણથી અન્ય વસ્તુનો સ્વીકાર તે કરતો નથી, તેથી પારિગ્રાહિતી ક્રિયા તેમને હોતી નથી. યદ્યપિ તેવા સામાયિક-પૌષધવાળાને ધન-સંપત્તિ આદિ હોય છે, પરંતુ સામાયિક-પૌષધના કાળ સુધી ચિત્તથી તેના પ્રત્યેના સંબંધને તે દૂર કરી નાંખે છે, તેથી ત્યાં અનુમોદના હોવા છતાં પારિગ્રહિતી ક્રિયા હોતી નથી. આથી જ તેઓને ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન નથી, પરંતુ દુવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન છે. માયાપ્રત્યયિકી ક્રિયા અન્યતર અપ્રમત્તને છે, ત્યાં પણ ‘’ શબ્દ અપ્રમત્તસંયત સાથે જોડવાનો છે; અને તેનાથી એ પ્રાપ્ત થાય કે - પ્રમત્તસંયતને તો માયાપ્રત્યયિકી ક્રિયા છે, પરંતુ અન્યતર અપ્રમત્તસંયતને પણ માયાપ્રત્યયિકી ક્રિયા છે. અને ‘કન્યતર' નો અર્થ કોઈકને છે, એમ કરવાનો છે; તેથી એ પ્રાપ્ત થાય કે – પ્રવચનના ઉફાહના પ્રચ્છાદન માટે વલ્લીકરણ સમુદ્દેશાદિમાં કોઈ સાધુ માયાથી વર્તતો હોય, અર્થાત્ માયાકષાયથી નહિ, પરંતુ ચાર કષાયમાંથી કોઈ પણ કષાયથી વર્તતો હોય ત્યારે, તે કષાયનો ઉદય પ્રવચનના ઉડ્ડાહના પ્રચ્છાદન માટે આવશ્યક હોવાથી પ્રશસ્તરૂપ છે, તો પણ તે કષાયથી થતી ક્રિયાને માયાપ્રત્યયિકી કહેવામાં આવે છે. યદ્યપિ તેવી ક્રિયાનો પ્રારંભ પ્રમત્તસંયત જ કરે છે, પરંતુ પ્રારંભ કર્યા પછી અપ્રમત્તભાવમાં પણ તે
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy