SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૫૮ વિશેષાર્થ : ૬૮૯ શંકાકારનો આશય એ છે કે, મલિનારંભ પૂજાના અધિકારીનું વિશેષણ નથી, પરંતુ સદારંભની ઈચ્છા જ અધિકારીનું વિશેષણ છે; કેમ કે સંકાશ શ્રાવકે સદારંભની ઇચ્છાથી જ ભગવદ્ ભક્તિ અર્થે વાણિજ્યાદિ સાવઘ પ્રવૃત્તિમાં પ્રયત્ન કર્યો, અને એ રીતે યતિ પણ પૂજાનો અધિકારી થશે; કેમ કે સદારંભની ઈચ્છા યતિને પણ હોઈ શકે છે. આ રીતની શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે – શ્લોક ઃ यः श्राद्धोऽपि यतिक्रियारतमतिः सावद्यसंक्षेपकृत्, भीरुः स्थावरमर्दनाच्च यतनायुक्तः प्रकृत्यैव च । तस्यात्रानधिकारितां वयमपि ब्रूमो वरं दूरतः, पङ्कास्पर्शनमेव तत्कृतमलप्रक्षालनापेक्षया ।। ५८ । । શ્લોકાર્થ ઃ જે શ્રાદ્ધ પણ યતિક્રિયામાં રત મતિવાળો, સાવધનો સંક્ષેપ કરનાર અને સ્થાવરના મર્દનથી ભીરુ અને પ્રકૃતિથી જ યતનાયુક્ત=યતનાવાળો છે, તેની=તેવા શ્રાવકની, અમે પણ અહીં=પૂજામાં, અનધિકારિતા કહીએ છીએ. ॥૫॥ તેમાં હેતુ કહે છે - તત્કૃત=પંકના સ્પર્શકૃત, જે મળ, તેના પ્રક્ષાલનની અપેક્ષાએ દૂરથી પંકનું અસ્પર્શન શ્રેષ્ઠ છે. II૫૮॥ ટીકા ઃ 'य: श्राद्धोऽपि' इत्यादि : - यः श्राद्धोऽपि यतिक्रियायां रता=कर्त्तव्यत्वेनोत्सुका मतिर्यस्य स तथा, सावद्यसंक्षेपकृत् सर्वसावद्यवर्जनार्थं, स्थावराणां पृथिव्यादिनां, मर्दनाद् भीरुः । प्रकृत्यैव= स्वभावेनैव, च यतनायुक्तः, तस्यात्र = पूजायामनधिकारितां वयमपि ब्रूमः, मलिनारम्भस्य नाशनीयस्य भावादनारम्भफलस्य च चारित्रेच्छायोगत एवोपपत्ते: । तत्कृतः = पङ्कस्पर्शकृतो, यो मलस्तस्य प्रक्षालनापेक्षया हि दूरतः पङ्कास्पर्शनमेव वरम् । ટીકાર્ય : यः श्राद्धोऽपि વરમ્ । જે શ્રાવક પણ યતિક્રિયામાં રત=કર્તવ્યપણાથી ઉત્સુક મતિવાળો, સર્વસાવઘના વર્જન માટે સાવઘનો સંક્ષેપ કરનારો, સ્થાવરોના=પૃથિવ્યાદિના, મર્દનથી ભીરુ અને પ્રકૃતિથી સ્વભાવથી જ, યતનાયુક્ત છે, તેની અહીં=પૂજામાં, અનધિકારિતાને અમે પણ કહીએ છીએ.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy