SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ S૪ પ્રતિમાશતક/બ્લોક: ૧૦-૧૧ “સુલૂસ... મથTIકો’ || પંચાશક-૧/૪ની સાક્ષી આપી, તેનો અર્થ આ પ્રમાણે છે - શુશ્રષા, ધર્મરાગ અને ગુરુદેવની યથાસમાધિ વડે વૈયાવચ્ચમાં નિયમ છે, અને વ્રતના સ્વીકારમાં ભજના છે=સમ્યક્ત હોતે છતે વ્રતો ક્યારેક હોય અને ક્યારેક ન પણ હોય, પરંતુ શુશ્રષા, ધર્મરાગ અને ગુરુ-દેવની યથાસમાધિ વડે વૈયાવચ્ચ નક્કી હોય. ‘શામ દાનિં પ્રેક્ષામદે’ | એમ કહ્યું, તેનો ભાવ એ છે કે, પૂર્વપક્ષીએ શ્વેતાંબર સંપ્રદાયને જે આપત્તિ આપી તેમાં કાંઈપણ હાનિ અમે જોતા નથી અર્થાત્ ઈષ્ટાપત્તિ છે એમ ગ્રંથકાર કહે છે. વિશેષાર્થ: ગ્લૅક-૪૮માં સ્થાપન કર્યું એ રીતે અવિરત સમ્યગ્દષ્ટિને વૈયાવચ્ચ સ્વીકારવાની આપત્તિ આવશે, એ પ્રકારનો દોષ પૂર્વપક્ષી શ્લોકના પૂર્વાર્ધમાં આપે છે, અને તેમાં મુક્તિ આપે છે કે, અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને ભગવાન પ્રત્યે અભંગ ભક્તિ હોય છે, તેઓને અવિરતિ હોવાથી વૈયાવચ્ચ સંભવે નહિ; આમ છતાં શ્વેતાંબર મત પ્રમાણે અવિરત સમ્યગ્દષ્ટિને વૈયાવચ્ચ સ્વીકારવાની આપત્તિ આવશે. તેના ઉત્તરરૂપે ગ્રંથકાર કહે છે કે તારી વાત સાચી છે=અવિરત સમ્યગ્દષ્ટિને વૈયાવચ્ચ સ્વીકારવાની જે તું આપત્તિ આપે છે, તે તારી વાત સાચી છે, પરંતુ અનંતાનુબંધીના ક્ષયોપશમથી અવિરત સમ્યગ્દષ્ટિમાં વૈયાવચ્ચરૂપ તપ સ્વીકારવામાં અમને કોઈ બાધ દેખાતો નથી; કેમ કે “સુસૂસ ...' ઈત્યાદિ પંચાશક-૧ ૪ની ગાથા મુજબ અવિરત સમ્યગ્દષ્ટિને પોતાની સમાધિ પ્રમાણે વૈયાવચ્ચ સ્વીકારેલી છે. આમ કહીને ગ્રંથકાર પૂર્વપક્ષી-લુપાક પ્રત્યે કટાક્ષ કરતાં કહે છે કે, અમને તારામાં નિર્મળ બુદ્ધિ દેખાતી નથી, તેમ અવિરત સમ્યગ્દષ્ટિને વૈયાવચ્ચ સ્વીકારવામાં હાનિ દેખાતી નથી. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, લુપાકમાં શાસ્ત્રીય પદાર્થને જોવા માટેની નિર્મળ બુદ્ધિ દેખાતી નથી, તેથી શાસ્ત્રવચનોને તે યથાસ્થાને જોડતો નથી. તે આ રીતે - શાસ્ત્રમાં અનંતાનુબંધીને ચારિત્રમોહનીયની પ્રકૃતિ કહી છે, અને સમ્યગ્દષ્ટિને વૈયાવચ્ચ ગુણ પણ કહ્યો છે. તેથી જો પૂર્વપક્ષીની નિર્મળ બુદ્ધિ હોય તો શાસ્ત્રવચનોને યથાસ્થાને જોડવા પ્રયત્ન કરે. પરંતુ નિર્મળબુદ્ધિ નહિ હોવાને કારણે જ પોતાના પક્ષ પ્રત્યે પક્ષપાતથી જુએ છે, તેથી જ ભગવાનની પૂજામાં તેને આરંભ-સમારંભ માત્ર દેખાય છે, પરંતુ ભગવાનની પૂજાથી થતા લાભને જોતો નથી અને શાસ્ત્રવચનોને પણ સમ્ય જોવા પ્રયત્ન કરતો નથી. પણ અવતરણિકા: 'तथा सति तेषां चारित्रलेशसम्भवेऽविरतत्वानुपपत्तिरेव बाधिका' इत्यत्राह - અવતરણિયાર્થ: તેમ હોતે છતે પૂર્વશ્લોક-૫૦માં પૂર્વપક્ષીએ કહ્યું કે ભગવાનની ભક્તિ વૈયાવચ્ચ હોવાથી તપ માનશો તો ચોથા ગુણસ્થાનકે વૈયાવચ્ચ માનવાનો પ્રસંગ આવશે. તેના સમાધાનરૂપે સિદ્ધાંતકારે કહ્યું
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy