SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ પલ પ્રતિમાશતકબ્લોક : ૪૬ વડે અસંયમ થાય ? અવળી તે ઈચ્છાકાર વડે અમે જઈએ છીએ તેથી તીર્થયાત્રામાં શું અસંયમ થાય? બીજી વાર આ પ્રકારે બોલશો તો આપ બહુજન વડે વાતુલમાં અગ્રેસર=વાયડા, કહેવાશો. ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય વડે વિચારાયું, જે આ પ્રમાણે - મારા વચનને ઉલ્લંઘીને નક્કી આ લોકો જશે. તેથી મારી સાથે ઉદ્ધત વચન વડે બોલે છે. હવે અવદા સુબહુમન વડે સંધારણ કરીને જ તે આચાર્ય વડે કહેવાયું, જે આ પ્રમાણે - તમે કાંઈ પણ સૂત્રાર્થ જાણો સૂત્રાર્થનું જ્ઞાન મેળવો, તો જ તીર્થયાત્રામાં જતા એવા તમને જેવા પ્રકારનું અસંયમ થાય, તેવા પ્રકારનું તમે સ્વયં જ જાણી શકશો. અહીં બહુ કહેવા વડે શું ? અને બીજું તમારા વડે સંસારનો સ્વભાવ, જીવાદિ પદાર્થ અને તત્ત્વ જણાયેલું છે. છે અહીં ‘તિ~થરનā રિય, ચંદ્રપદમયં વંદ્રિય ઇમર્જ કંતુ માછીમો' કહ્યું ત્યાં, આ ત્રણે એક જ સ્થાન છે. ધર્મચક્ર નામનું સ્થાન છે, ત્યાં ચંદ્રપ્રભ નામના તીર્થંકરની પ્રતિમા છે અને તે તીર્થસ્થાન છે. તેથી તીર્થયાત્રા કરીને આવીએ, તેમ કહેલ છે. મહાસં યાત્રિોત્સવ તિરુમેત નિવર્નંતતિ પ્રતાન્તરે ટીમ્બનવમ્ ! અહીં ટિપ્પણીમાં લખ્યું છે કે, મહાસંઘયાત્રાનો ઉત્સવ પૂરો થશે પછી હું તમને ચંદ્રપ્રભસ્વામીને વંદાવીશ, એમ જે આચાર્યએ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય છે કે, તે વખતે કોઈક શાસનપ્રભાવનાનો ઉત્સવ ચાલતો હોવો જોઈએ, જે પૂરો થયા પછી શિષ્યોને ચંદ્રપ્રભસ્વામીને વંદાવવાનું ગુરુ કહે છે. કન્ન વ નત્તા અહિં સંનને પડેન્ગ | પાઠ છે ત્યાં નનમન્દ્રિયસંકટ્ટારિસંવાિિત તવ ટિપૂનમ્ યાત્રામાં જનનો સંમર્દ સંઘટ્ટો, એકેન્દ્રિયાદિનો સંઘટ્ટો આદિનો સંભવ છે, એ પ્રમાણે ટિપ્પણી છે, તેનો અર્થ યાત્રામાં તેવો અસંયમ પ્રાપ્ત થશે એમ સમજવું. વિશેષાર્થ - (૩) સન્ન ર... રિલેટિન્ગ | અને અન્ય દોષ કહે છે – યાત્રામાં ગયેલા એવા તમારા વડે અસંયમમાં પડાશે એ કારણથી તીર્થયાત્રાનો નિષેધ કરાય છે, એમ જે આચાર્ય ભગવંતે કહ્યું એનાથી એ અર્થ ભાસે છે કે, ગીતાર્થ એવા આચાર્યની નિશ્રામાં રહીને શિષ્યો સંયમમાં વર્તી શકે તેવા છે, અને તેથી આચાર્યને છોડીને સ્વયં તીર્થયાત્રા કરવા જાય તો ગીતાર્થની અનિશ્રાને કારણે અસંયમની પ્રાપ્તિ થાય, તે કારણથી આચાર્યે તીર્થયાત્રાનો નિષેધ કર્યો. વળી પૂર્વમાં કહ્યું કે, ઈચ્છાકાર વડે સુવિહિતોને તીર્થયાત્રાએ જવું કલ્પતું નથી, ત્યાં પણ એ જ અર્થ જણાય છે કે, જ્યારે શિષ્યોએ ઈચ્છાપૂર્વક જવાની અનુજ્ઞા માંગી ત્યારે, ગીતાર્થ હોય તેમણે સ્વતંત્ર ક્યાંય જવાની ઈચ્છા ગુરુ પાસે વ્યક્ત કરી શકાય, પરંતુ અગીતાર્થને તો ગુરુ કહે તેમ જ કરવાનું છે. તેથી તેઓએ આપ ઈચ્છાપૂર્વક અનુમતિ આપો તો તીર્થયાત્રાએ જઈએ, એ પ્રકારની અનુજ્ઞા અગીતાર્થની ભૂમિકામાં માંગવી ઉચિત ન ગણાય એમ ભાસે છે. તેથી આચાર્યએ સ્વતંત્રપણે તેમને તીર્થયાત્રા જવા માટેનો નિષેધ કર્યો છે. (૪) જો પુખ રૂછાવરે' વળી તે ઈચ્છાકાર વડે, એમ જે શિષ્યોએ કહ્યું તેનો ભાવ એ છે કે, શિષ્યો
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy