SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૩૯ પ૨૯ સુતપદનો શિક્ષામાં અન્વય કરવાનું કથન કર્યું અને પૂર્વમાં પ્રગાના' એ પદ અધ્યાહાર રાખ્યું, તેથી અહીં પ્રશ્ન થાય કે, ભગવાને શિલ્પાદિની શિક્ષા પ્રજાને આપી કે પુત્રોને આપી ? તેનો ઉત્તર એ છે કે, ભગવાને પુત્રોને રાજ્યોની વિભજના કરી, તેમ ભરતાદિને કે બ્રાહ્મી-સુંદરીને કળાઓ પણ શીખવાડી છે, અને કેટલીક કળાઓ પ્રજાને પણ શીખવાડી છે. તેથી સર્વકળાઓનો સંગ્રહ કરવો હોય તો પ્રજ્ઞાનાન્' એ પદ અધ્યાહાર રાખવું, અને પુત્રાદિને જે કળાઓ આપી છે, તેની વિવક્ષા કરવામાં આવે તો ‘સુપ્ય:' એ પદ અધ્યાહારથી ગ્રહણ કરવું. ટીકાર્ય : ચાં ..... વ્યાધાતા , સુતોને રાજ્યનું પ્રદાન અને શિલ્પાદિ કળાની શિક્ષા ભગવાને ન કરી હોત તો, માસ્ય ન્યાયથી અન્યાયપ્રવૃતિલક્ષણ બહુદોષની પ્રાપ્તિ થાત. તેથી સુતોને રાજ્યપ્રદાન અને શિલ્પાદિ કળાની શિક્ષામાં નિશ્ચિત બહુદોષનું વારણ અતિ શ્રેષ્ઠ છે અર્થાત્ અધિકારી એવા ભગવાન વડે અત્યંત અભિપ્રેત છે. અને અન્ય અંશ આનુષંગિક હિંસારૂ૫ અંશ, ભગવાન વડે ઈષ્ટ નથી=ભગવાન વડે ઉપેક્ષિત છે, એ ભાવ છે. કેમ કે તેનું=આનુષંગિક હિંસારૂપ અંશનું, સ્વતી અપેક્ષાએ=બહુદોષનિવારણરૂપ ભગવાનને અભિમત અંશરૂપ સ્વની અપેક્ષાએ, બલવાન દોષનો અભાવ હોવાને કારણે, ભગવાનની પ્રવૃત્તિનું અવ્યાઘાતકપણું છે. ૦ દિ' શબ્દ નિશ્ચિત અર્થમાં છે, તેનો અન્વય આ પ્રમાણે છે – નિશ્ચિત બહુદોષનું વારણ ભગવાનને અભિપ્રેત છે, અને આનુષંગિક હિંસારૂપ અંશ ઉપેક્ષિત છે. અહીં ‘ભગવાન વડે અત્યંત અભિપ્રેત છે' એમ ન કહેતાં “અધિકારી એવા ભગવાન વડે અત્યંત અભિપ્રેત છે” એમ કહ્યું, તેનું કારણ એ છે કે ભગવાન ગૃહસ્થ અવસ્થામાં બહુદોષ વારણના અધિકારી હતા. આથી જ સંયમ ગ્રહણ કર્યા પછી તે પ્રકારના અનર્થના વારણ માટે શિલ્પાદિ કે સુતોને દેશની વિભજના ભગવાન કરતા નથી. વિશેષાર્થ: આનુષંગિક હિંસારૂપ અંશ રાજ્યદાનાદિ પ્રવૃત્તિનો વ્યાઘાતક બનતો નથી; કેમ કે ભગવાનને બહુદોષ નિવારણરૂપ જે અભિમત અંશ છે, તે રૂપ સ્વની અપેક્ષાએ, બલવાન દોષ આનુષંગિક હિંસારૂપ અંશમાં નથી, પરંતુ જે અંશ પોતાને ઈષ્ટ હોય તેની અપેક્ષાએ બલવાન દોષ જો અપર અંશમાં હોય તો પ્રવૃત્તિનો વ્યાઘાત થાય. માટે આનુષંગિક હિંસારૂપ અંશની ઉપેક્ષા કરીને ભગવાનની રાજ્યદાનાદિકમાં પ્રવૃત્તિ થઈ. ટીકાર્ચ - ..... મમ્મીમાવાન્ ! આ પણ નિર્દેશલક્ષણચાય દુર્મતરૂપ દ્રવ્યસ્તવતના અભ્યપગમરૂપ, દ્રમવનમાં=વૃક્ષના સમૂહમાં, પ્રબલતર દાવાગ્નિ છે; કેમ કે આ ચાયની ઉપસ્થિતિ થયે છતે પ્રચિત પણ દુર્મતતો તરત જ ભસ્મીભાવ થાય છે. ‘ચાયોગતિશતક્ષા' પાઠ છે ત્યાં પ્રત્યંતરમાં ‘ચાયો નિર્દેશનલ' પાઠ છે, તે મુજબ અર્થ અમે કરેલ છે.
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy