SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક/ શ્લોક : ૩૯ ૪૯ અહીં વિશેષ એ છે કે, રાગપ્રાપ્ત નદીઉત્તરણમાં સંખ્યાનો નિયમ બતાવવામાં ન આવે તો કોઈ મુનિને પ્રમાદને કારણે ફરીને જવું કષ્ટપ્રદ લાગે તો, માસકલ્પ પ્રમાણે વિહારનું વર્જન કરીને પણ અધિક સ્થિર રહેવા પ્રયત્ન કરે. તેથી ક્ષેત્રનો પ્રતિબંધ આદિ અધિક દોષની પ્રાપ્તિ થાય. તેના નિવારણ માટે ફરીને પણ વિહાર કરવો અતિ જરૂરી છે. કદાચ પ્રમાદને કારણે ફરીને જવા મુનિ તૈયાર ન થાય, તો નદી ઊતરીને પણ માસકલ્પ જાળવવો ઉચિત છે, એ બતાવવા અર્થે રાગ પ્રાપ્ત નદીઉત્તરણમાં સંખ્યાનો નિયમ કરેલ હોવો જોઈએ. એ પ્રકારનો અર્થ ભાસે છે, તત્ત્વ બહુશ્રુત વિચારે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે, રાગ પ્રાપ્ત નદીઉત્તરણ નિયમિત છે. તેની જ પુષ્ટિ કરતાં કહે છે - ટીકાર્ચ - રૂત્યમેવ .... નિયમfધત્વોપત્તિઃ | આ રીતે જ=પૂર્વમાં ગ્રંથકારે કહ્યું કે, જ્ઞાનાદિ લાભકારણ નદીઉત્તરણ નિયમિત નથી, પરંતુ રાગાદિપ્રાપ્ત નદીઉત્તરણ નિયમિત છે, એ રીતે જ નખનિર્દનથી પ્રાપ્ત ઉપઘાતના નિષેધ માટે જેમ પ્રોક્ષણવિધિ છે; અર્થાત્ નખ કાપવાની વિધિ છે, તેમ રાગપ્રાપ્ત તદઉત્તરણના નિષેધ માટે પ્રકૃતિના નિયમવિધિત્વની ઉપપત્તિ છે; અર્થાત્ નદીઉત્તરણના નિયમવિધિત્વની ઉપપત્તિ છે. તેથી સિદ્ધાંતમાં રાગ પ્રાપ્ત નદીઉત્તરણનું નિયમન છે, એ પ્રમાણેનો અવય છે.) ઉત્થાન : અહીં પૂર્વપક્ષી કહે કે, જેમ રાગ પ્રાપ્ત નદીઉત્તરણ નિયમિત છે, તેના જેવી જ જિનપૂજા છે, તેમ દૃષ્ટાંત-દાષ્ટ્રતિક ભાવ ગ્રહણ કરીએ તો શું વાંધો છે? તેથી જેમ રાગ પ્રાપ્ત નદીઉત્તરણ મુનિને ઈષ્ટ નથી, તેમ જિનપૂજા પણ હિંસારૂપ હોવાથી ગૃહસ્થને ઈષ્ટ નથી, એમ માની શકાય. તેથી કહે છે - ટીકાર્ય : વ્યસ્તવ ..... સાચાપોત્ ! વળી દ્રવ્યસ્તવતી વિધિ ગૃહસ્થની અપૂર્વ જ છે. એથી કરીને સાયનો અયોગ છે. વિશેષાર્થ : દ્રવ્યસ્તવની વિધિ રાગ પ્રાપ્ત નદીઉત્તરણ તુલ્ય નથી, પરંતુ અપૂર્વ જ છે, પૂર્વમાં ક્યારેય પણ તેવા પ્રકારના ભગવદ્ બહુમાનપૂર્વક દ્રવ્યસ્તવ પ્રાપ્ત થયું નથી. પરંતુ કર્મની લઘુતાને કારણે લોકોત્તમ એવા પરમાત્માના સ્વરૂપને જાણીને તેમના પ્રત્યે અનન્ય ભક્તિ થવાથી ભગવાનની પૂજા કરે છે, તે રાગ પ્રાપ્ત નથી, પરંતુ કષાયની અતિ અલ્પતાને કારણે અપૂર્વ જ છે. જ્યારે મુનિને રાગ પ્રાપ્ત નદીઉત્તરણની ક્રિયા અપૂર્વ નથી, પરંતુ અનાદિ સિદ્ધ જીવનો સ્વભાવ છે કે પ્રમાદ કરવો, તેથી જ અધિક વિહારના પરિવાર અર્થે નદીઉત્તરણની ક્રિયા મુનિ કરે છે. તેથી રાગ પ્રાપ્ત નદીઉત્તરણની ક્રિયા અને દ્રવ્યસ્તવ એ બેની વચમાં સામ્યનો અયોગ છે. માટે રાગ પ્રાપ્ત નદીઉત્તરણના
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy