SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૧૫ ૨૨૧ દ્રવ્યશબ્દ વર્તે છે. (તેમાં દૃષ્ટાંત કહે છે -) જે પ્રમાણે અંગારમર્દક દ્રવ્યાચાર્ય સદા અભવ્ય છે. ‘ત્તિ’ શબ્દ ઉપદેશપદના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ : દ્રવ્યાન્ના ગ્રંથિદેશમાં રહેલાને જ હોય છે. તેમાં અપુનર્બંધક જીવો પણ ગ્રંથિદેશમાં રહેલા છે અને તેઓને પ્રધાન દ્રવ્યાશા હોય છે. અને અપુનબઁધકાદિમાં ‘આદિ’ પદથી અભવ્ય-દુર્ભાવ્યનું પણ ગ્રહણ થાય છે; અને તેઓ પણ ગ્રંથિદેશમાં રહેલા છે, છતાં તેમને અપ્રધાન દ્રવ્યાન્ના હોય છે, તેમાં અંગારમર્દકાચાર્ય દૃષ્ટાંત તરીકે છે. ટીકાર્ય = तद् પશ્યામઃ, તે કારણથી=પૂર્વમાં કહ્યું કે સંઘચૈત્યાદિ-ભક્તિપરાયણ એવા અપુનર્બંધકને દ્રવ્યસમ્યક્ત્વ છે તે કારણથી, યથોદિત ભગવાનની અર્ચા વગેરેમાં પરાયણ એવા જ્યોતિષ્ક વિમાનના અધિપતિઓને પણ, અંતથી કેટલાકને અપુનબંધકપણા વડે પણ, દ્રવ્યસમ્યક્ત્વ અવિરુદ્ધ જ છે. અને તે દશામાં=અપુનર્બંધક દશામાં, કાંઈક માલિન્યભાગી એવા વિભંગજ્ઞાનનો સંભવ હોતે છતે, યથોક્ત સંખ્યાની પૂર્તિમાં=આગમમાં કહેલ અલ્પબહુત્વના વિચારમાં મતિ-શ્રુતજ્ઞાનીથી વિભંગજ્ઞાનીને જે અસંખ્યાતગુણા કહ્યા છે તે સંખ્યાની પૂર્તિમાં, અમે કોઈ બાધ જોતા નથી. વિશેષાર્થ : ***** જ્યોતિષ્ક વિમાનના અધિપતિઓ શાસ્ત્રમાં કહેલી એવી ભગવદ્ પૂજામાં પરાયણ હોય છે. આમ છતાં, મતિ-શ્રુતજ્ઞાની કરતાં વિભંગજ્ઞાની અસંખ્યાતગુણા છે, એ સંખ્યા અન્ય રીતે સંગત નહિ થવાથી અંતે કેટલાક વિમાનાધિપતિઓને અપુનર્બંધક અવસ્થા હોવી જોઈએ, એમ માનવું ઉચિત છે. અને તે રીતે પણ તેઓને દ્રવ્યસમ્યક્ત્વ સંગત થાય જ છે. તેથી વિમાનાધિપતિ દ્રવ્યસમ્યક્ત્વને કારણે અથવા ચોથા ગુણસ્થાનકરૂપ ભાવસમ્યક્ત્વથી સંવલિત દ્રવ્યસમ્યક્ત્વને કારણે, ભગવાનની પૂજા કરે છે. તેથી તેમની પૂજા દેવની સ્થિતિ કહી શકાય નહિ, પરંતુ ધર્મરૂપ જ માનવી ઉચિત છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, જ્યોતિષ્ક વિમાનાધિપતિઓને ભગવાનની ભક્તિ આદિ ક૨વાની સમ્યગ્દષ્ટિ જેવી જ રુચિ દેખાય છે, તો તેઓને અપુનર્બંધક તરીકે સ્વીકા૨ીને દ્રવ્યસમ્યક્ત્વ માનવાનું શું પ્રયોજન છે ? તેથી કહે છે - ટીકાર્ય : चिसाम्येऽपि અનુપવત્તેઃ । રુચિસામ્યમાં પણ કેવલિગમ્ય એવા ભાવભેદનું અવશ્ય આશ્રયણીયપણું છે. કેમ કે ક્રિયાના સામ્યમાં પણ સંયત વગેરેના સમ્યક્ત્વના આકર્ષતી અન્યથા અનુપપત્તિ છે.
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy