SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ પ૧ મારા ઉચિત સહાય સંવૃત છે મને ઉચિત એવી સહાય કરે એવો છે,’ એ પ્રમાણે વિચારીને મારો દેશવિરતિ ધર્મ છે.' એ અભિપ્રાયથી “થોડો અહીં પણ છે. એ પ્રમાણે મરીચિએ કહ્યું. ત્યાં કપિલને કહેવામાં, જો મરીચિની દેશવિરતિની વિમર્શતા ન હોત તો મના' એ પ્રમાણે કહેત નહીં. આ વચન=મરીચિનું મનામ્ અહીં ધર્મ છે' એ વચન, પરિવ્રાજકનો વેશ હોતે છતે પરિવ્રાજકદર્શનમાં કંઈક ધર્મવ્યવસ્થાપક સંપન્ન છે; કેમ કે‘ફૂદ શબ્દનું અસ્પષ્ટ અર્થવાચકપણું હોવાને કારણે શ્રોતા એવા કપિલને પરિવ્રાજકદર્શનમાં પણ કંઈક ધર્મ છે, એ પ્રમાણે બોધ કરાવે છે. અન્યથા કપિલ પરિવ્રાજકવેશને ગ્રહણ કરત નહીં; કેમ કે તેનું કપિલનું, ધર્મચિકીષથી જ=ધર્મ કરવાની ઈચ્છાથી જ, તેના વેશનું ઉપાદાન છે. કેમ ધર્મની ઇચ્છાથી જ તેના વેશનું ઉપાદાન છે ? તેમાં યુક્તિ બતાવે છે – રાજપુત્રપણાને કારણે અન્ય કારણનો અસંભવ છે. અને તેથી=મરીચિતા વચનથી, કપિલને પરિવ્રાજકદર્શનમાં પણ કંઈક ધર્મ છે તેવો બોધ થયો, તેથી કપિલ સંબંધી દર્શનની પ્રવૃત્તિ થઈ અને =કપિલના દર્શનની પ્રવૃત્તિ, કપિલને, મરીચિને અને અન્યોને મહાનર્થનું કારણ થઈ; કેમ કે કુપ્રવચનરૂપપણું છેઃકપિલદર્શનની પ્રવૃત્તિનું કુપ્રવચનરૂપપણું છે, તે કારણથી=પૂર્વમાં કહ્યું એ પ્રમાણે મરીચિનું વચન છે તે કારણથી, આ આવા પ્રકારનું વચન=મરીચિએ કહ્યું એ એવા પ્રકારનું વચન, ઉત્સુત્રમિશ્ર છે; કેમ કે મરીચિની અપેક્ષાએ સૂત્રરૂપપણું હોવા છતાં પણ કપિલની અપેક્ષાએ ઉસૂત્રરૂપપણું છે. મારી પાસે થોડો ધર્મ છે' એ પ્રકારનો દેશવિરત મરીચિનો અભિપ્રાય હોવાથી મરીચિની અપેક્ષાથી એ=મરીચિનું વચન, સત્ય જ છે. પરિવ્રાજકદર્શનમાં મતાનું ધર્મ છે' - એ પ્રકારની કપિલની બુદ્ધિનું જનક હોવાથી કપિલની અપેક્ષાએ અસત્યરૂપ જ છે. ત્તિ શબ્દ ‘ચિત્ આદુ:'થી કરેલા પૂર્વપક્ષની સમાપ્તિ માટે છે. તે અસત્ છે=પૂર્વપક્ષીએ જે અત્યાર સુધી કહ્યું કે “મરીચિનું વચન ઉસૂત્રમિશ્ર છે તે અસત્ છે; કેમ કે ઉસૂત્રતા કથનના અભિપ્રાયથી પ્રવૃત એવા આ વચનનું મરીચિકા વચનનું, માયાલિશ્રિત અસત્યરૂપનું ઉત્સુત્રપણું છે. પૂર્વપક્ષીએ કહેલ કે મરીચિનું વચન મરીચિની અપેક્ષાએ સત્ય અને કપિલની અપેક્ષાએ અસત્ય છે તેથી ઉત્સુત્ર મિશ્રિત છે. તેના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે – અને આપેક્ષિક સત્યાસત્યભાવથી ઉસૂત્રમિશ્રપણું સ્વીકાર કરાયે છતે ભગવાનના વચનનો પણ તથાત્વનો પ્રસંગ છે=ઉસૂત્રમિશ્રત્વનો પ્રસંગ છે. “દિ=જે કારણથી, તે પણ=ભગવાનનું વચન પણ, ભગવાનની અને ભગવાનના ભક્તની અપેક્ષાએ સત્ય છે અને પાખંડીની અપેક્ષાએ અસત્ય છે. ત્તિ’ શબ્દ પૂર્વપક્ષીના નિરાકરણની સમાપ્તિ માટે છે. ગઈથી પૂર્વપક્ષી કહે કે પરને અસત્યબોધવા અભિપ્રાયથી ભગવાન વડે વચન કહેવાયું નથી. એથી ભગવાનનું વચન ઉસૂત્ર નથી. વળી, મરીચિ વડે કપિલને અસત્ય બોધના અભિપ્રાયથી જ પ્રકૃત વચન કહેવાયું છે. “દિ'=જે કારણથી, તે મરીચિ, આ પ્રમાણે જાણતો હતો: “આ મારું વચન
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy