SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૮ ટીકાર્ય : gવિષયસ્ય ..વિષ્યિવેતન્‘ત્રાસવત્તિ' પ્રતીક છે. ગહના વિષયરૂપ દ્રવ્યાશ્રવનું વિગમન જો ત્યાં=ક્ષીણમોહગુણસ્થાનકમાં, તને પૂર્વપક્ષીને, ઈષ્ટ હોયઅભિમત હોય, તો અર્થથી અર્થાપતિથી, ભાવગત પાપ ત્યાં=ક્ષીણમોહગુણસ્થાનકમાં, સ્વીકારાયેલું થાય છે, કેમ કે ગહણીય ‘પાપત્રીવજીિત્ર' પ્રત્યે તારા મતે મોહનીય કર્મનું હેતુપણું હોવાથી તેની નિવૃત્તિમાં મોહનીયકર્મની નિવૃત્તિમાં, ગહણીય પાપની નિવૃત્તિ હોવા છતાં પણ અગહણીય ભાવરૂપ પાપની અનિવૃત્તિ છે=અનાભોગતા અધ્યવસાયરૂપ અગહણીય એવા ભાવપાપની અનિવૃત્તિ છે. અગહણીય પાપમાં પણ અનાભોગનું હેતુપણું હોવાથી તેની નિવૃત્તિમાં=અનાભોગની નિવૃત્તિમાં, કેવલીને તેની=અનાભોગથી થતા અગઈણીય પાપની, નિવૃત્તિ છે. વળી ક્ષીણમોહને આશ્રવની છાયારૂપ અગહણીય પાપ સ્વીકારાય જ છે એથી દોષ નથી, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે, તો ગ્રંથકારશ્રી કહે છે – પૂર્વપક્ષીનું આ કથન બરોબર નથી; કેમ કે અત્યંતર પાપમાત્રનું ગહપરાયણ જનને અપ્રત્યક્ષપણું હોવાથી તારા મતમાં અગહણીયપણું હોવાથી તેના સામાન્યમાં અગહણીય એવા અત્યંતર પાપસામાન્યમાં, અનાભોગના હેતુત્વનો અભાવ છે. અહીં પૂર્વપક્ષી કહે કે મોહઅજન્ય અગહણીય પાપમાં અનાભોગનું હેતુપણું હોવાથી અને અન્યત્ર તેમાં=અગહણીયપાપમાં, મોહ, હેતુપણું હોવાથી દોષ નથી=અત્યંતર પાપ સામાન્યમાં અનાભોગનું અહેતુત્વ છે એમ જે ગ્રંથકારશ્રીએ કહ્યું તે રૂપ દોષ નથી, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું; કેમ કે ગહણીયપાપના હેતુ એવા મોહનો અગહણીય પાપના હેતુત્વનો અભાવ છે. અત્યથા તર્જન્ચ ગહણીય-અગહણીય ઉભય સ્વભાવ એક પાપનો પ્રસંગ છે એથી આ=કેવલીને અશક્યપરિહારરૂપ હિંસા નથી એ, અર્થ વગરનું છે. ૪૮. ભાવાર્થ - પૂર્વપક્ષી અગિયારમા ગુણસ્થાનકમાં મોહનીયકર્મની સત્તાજન્ય દ્રવ્યાશ્રવ સ્વીકારે છે અને તેના પૂર્વે મોહના ઉદયજન્ય ભાવાશ્રવ સ્વીકારે છે. તેથી તેના મતે બારમા ગુણસ્થાનકે મોહની સત્તા નહીં હોવાથી દ્રવ્યાશ્રવ પણ નથી અને ભાવાશ્રવ પણ નથી, છતાં ત્યાં કેવલજ્ઞાન નહીં હોવાથી ક્યારેક અનાભોગમાત્રજન્ય સંભાવનાઆરૂઢઆશ્રવની છાયારૂપ દોષનો સંભવ પૂર્વપક્ષી સ્વીકારે છે. કેવલીમાં અજ્ઞાન નહીં હોવાથી તેમને તે દોષનો પણ અભાવ છે, તેમ પૂર્વપક્ષી સ્વીકારે છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – અવતરણિકામાં કહ્યું એ રીતે પૂર્વપક્ષી બારમા ગુણસ્થાનકમાં ગહના વિષયરૂપ દ્રવ્યાશ્રવનો અભાવ સ્વીકારે અને કેવલજ્ઞાન નહીં હોવાના કારણે અનાભોગમાત્રજન્ય સંભાવનારૂઢ આશ્રવની છાયારૂપ દોષ
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy