SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૯, ૧૦ કહે છે. પોતાની ઇચ્છાનુસાર કલ્પના કરવામાં અસમંજસ સ્વીકારની પ્રાપ્તિ થાય; કેમ કે કાયસ્થિતિ પ્રતિપાદક સૂત્રો અભવ્યને આશ્રયીને નથી, ભવ્યને આશ્રયીને છે. તેવો નિર્ણય છબી કરી શકે નહિ. વળી, પૂર્વપક્ષી જેમ અભવ્યને નોવ્યવહારી નોઅવ્યવહારી સ્વીકારે છે. તેમ જે ભવ્યોને આવલિકાના અસંખ્યભાગ પ્રમાણ પુદ્ગલપરાવર્તથી અધિક સંસાર છે તેઓને પણ નોવ્યવહારી-નોઅવ્યવહારી છે તેવી કલ્પના થઈ શકે. માટે સ્વઇચ્છાનુસાર કલ્પના કરવી ઉચિત નથી. lલા અવતરણિકા : तदेवमभव्यस्याप्याभिग्रहिकं मिथ्यात्वं भवतीति प्रदर्शयितुमाभिग्रहिकस्य षड्भेदा उक्ताः, अथानाभिग्रहिकादीनामपि सामान्येन बहुप्रकारत्वं निर्दिशनेतेषु गुरुलघुभावं विवेचयति - અવતરણિતાર્થ : આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું તે રીતે, અભવ્યને પણ આભિગ્રહિકમિથ્યાત્વ થાય છે. તે બતાવવા માટે આભિગ્રહિકમિથ્યાત્વતા છ ભેદો કહેવાયા. હવે અનાભિગ્રહિકાદિ પણ મિથ્યાત્વનું સામાન્યથી બહુ પ્રકારપણું બતાવતા આમાં પાંચ મિથ્યાત્વમાં ગુરુ-લઘુભાવને=કયું મિથ્યાત્વ અધિક અનર્થકારી છે અને કયું મિથ્યાત્વ સમ્યક્તને સમુખભાવવાળું છે? એવા ગુરુલઘુભાવતું વિવેચન કરે છે – ગાથા : अणभिग्गहिआईणवि आसयभेएण हुंति बहुभेआ । लहुआई तिण्णि फलओ एएसुं दुन्नि गरुआई ।।१०।। છાયા : अनाभिग्रहिकादीनामप्याशयभेदेन भवन्ति बहुभेदाः । लघूनि त्रीणि फलतो एतेषु द्वे गुरुणी ।।१०।। અન્વયાર્થ: મfમહિમાવિ અનાભિગ્રહિકાદિ મિથ્યાત્વતા પણ. માસથT=આશયના ભેદથી, વામેગા હૃતિ બહુ ભેદો થાય છે. હું આમાં=આ પાંચે મિથ્યાત્વોમાં, પત્નો ફળથી, તિuિreત્રણ મિથ્યાત્વ, તદુગા લધુ છે, અને જ્ઞ=બે મિથ્યાત્વ, ગાડું ગુરુ છે. ll૧૦ || ગાથાર્થ - અનાભિગ્રહિકાદિ મિથ્યાત્વના પણ આશયના ભેદથી બહુ ભેદો થાય છે. આમાં=આ પાંચે મિથ્યાત્વોમાં, ફળથી ત્રણ મિથ્યાત્વ લઘુ છે અને બે મિથ્યાત્વ ગુરુ છે. I/૧oll
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy