SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૧૯ જોવાયાં તેટલાંનું જ અનુસરણ, સ્વબુદ્ધિથી ગ્રહણ કરાયેલાં ઘણાં પ્રકારનાં શાસ્ત્રો બોધ કરાવતાં નથી એમ અય છે. li૪૧૯I ભાવાર્થ - લોકમાં શિલ્પકલા શિલ્પાચાર્ય પાસેથી પ્રાપ્ત થાય છે, વ્યાકરણ વગેરે શાસ્ત્રોના અર્થો વ્યાકરણાચાર્ય પાસેથી પ્રાપ્ત થાય છે અને જેઓ એ પ્રમાણે આચાર્યાદિ પાસેથી ગ્રહણ કરતા નથી, સ્વયં ગ્રહણ કરે છે તેમને ભૂલથી બોધ થાય છે, માટે ગીતાર્થ ગુરુ પાસે રહીને અધ્યયન કરવું જોઈએ. જેથી પૂર્વની ગાથામાં કહ્યું, એ પ્રમાણે કલ્પાકલ્પથી માંડીને ઉત્સર્ગ-અપવાદ વિષયક સર્વનું યથાર્થ જ્ઞાન થાય અને જેઓ તે પ્રમાણે કરતા નથી અને ખંડ ખંડ શાસ્ત્રો ભણીને શાસ્ત્રબોધવાળા થયા છે, તેઓ સ્વયં કલ્પાદિ સર્વને જાણનારા નથી અને પોતાને આશ્રિત શિષ્યોને પણ તે રીતે બોધ કરાવવા સમર્થ નથી, તેથી નિપુણપ્રજ્ઞાથી તેવા ગીતાર્થ ગુરુની ગવેષણા કરીને જ્ઞાનમાં યત્ન કરવો જોઈએ. અહીં વિશેષ એ છે કે દ્રવ્યાનુયોગના મર્મને જાણનારા ગીતાર્થ ગુરુ જ શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર પદાર્થનો બોધ કરનારા હોય છે. આ દ્રવ્યાનુયોગને કહેનારાં શાસ્ત્રો સર્વ પદાર્થોનો અનુભવ અનુસાર તે તે ધર્માવચ્છેદન બોધ કરાવે છે અને તેવા ગીતાર્થ ગુરુ તે પ્રકારે દરેક વસ્તુને તે તે ધર્મના અવચ્છેદનથી જાણવા સમર્થ હોવાથી યોગ્ય શિષ્યને તેની પ્રકૃતિ અને ક્ષયોપશમ અનુસાર કયા કૃત્યથી ગુણવૃદ્ધિ થશે, તેનો નિર્ણય કરવા સમર્થ બને છે, તેથી તેવા ગુરુ પાસે અધ્યયન કરવું જોઈએ. જેમ માતુષ મુનિને ગીતાર્થ ગુરુ પ્રાપ્ત થયા, તેથી તે ગુરુએ આ મુનિની ધારણા શક્તિ કંઈ જ નથી, તો તેને કઈ રીતે સામાયિકનો પરમાર્થ પ્રાપ્ત થશે તેનો નિપુણ વિચાર કરીને તેની યોગ્યતા પ્રમાણે મા રુષ્ય, મા તુષ્ય એ બે શબ્દો સ્થિર કરવાનો ઉપદેશ આપ્યો. જો તે ગુરુ માલતુષ મુનિની સામાયિકના પરિણામને અનુકૂળ કયા કૃત્યની શક્તિ છે, તેનો નિર્ણય કરવા સમર્થ ન હોત તો સામાન્યથી એમ જ કહ્યું હોત કે બીજા ગુણવાન સાધુની વેયાવચ્ચ કર અથવા તે તે સાધુ પાસેથી આવશ્યક કૃત્ય કર, પરંતુ સર્વ આવશ્યક કૃત્યોને ગૌણ કરીને તે જીવમાં કેવા પ્રકારની યોગ્યતા છે, તેનો સૂક્ષ્મ બુદ્ધિથી નિર્ણય કરીને તે જીવ રાગ-દ્વેષનો ત્યાગ કરે તે પ્રમાણે ઉચિત અનુશાસન આપીને તેનો સંસારથી વિસ્તાર કર્યો અને માષતષ મુનિ પણ ગુરુના વિષયમાં અભ્રાંત હતા, તેથી આ ગુરુ અને સામાયિકના પરિણામની વૃદ્ધિનો ઉપાય જ બતાવે છે, તેવો નિર્ણય કરી શક્યા. જો માષતષ મુનિને તેવો બોધ ન હોત તો જે તે ગુરુ તેને વેયાવચ્ચ આદિ જે કૃત્યો કરવાનાં કહે, તેનાથી પોતાનો વિસ્તાર થશે, તેમ ભ્રમિત થયા હોત. વસ્તુતઃ તે તે કૃત્યોથી નિસ્વાર થતો નથી, પરંતુ તે તે કૃત્યો દ્વારા સામાયિકના પરિણામના રહસ્યને ચિત્ત સ્પર્શે તેવો નિપુણ યત્ન કરવાથી નિસ્વાર થાય છે અને તેવો યત્ન જે ગુરુ ન બતાવી શકે, તે ગુરુ આશ્રયણીય નથી, તેવી નિર્મળ પ્રજ્ઞા માષતુષ મુનિમાં હતી અને માપતુષ મુનિ જેવા મંદ બુદ્ધિવાળા જીવોને પણ મોક્ષમાર્ગમાં પ્રવર્તાવવાની શક્તિ દ્રવ્યાનુયોગમાં નિપુણ એવા ગુરુમાં હતી, આથી દ્રવ્યાનુયોગમાં નિપુણ આચાર્ય માત્ર બાહ્ય કૃત્ય કે માત્ર બાહ્ય અધ્યયનના બળથી સંસારના વિસ્તારને જોનારા નથી, પરંતુ ધર્મના અવચ્છેદનથી તે કૃત્ય સામાયિકના પરિણામની નિષ્પત્તિનું અને વૃદ્ધિનું કારણ
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy