SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૩ वा सदोषं परावर्जनार्थं नास्तीति वर्त्तते । किं तर्हि ? स्फुटं व्यक्तवर्णं, प्रकटमलज्जनीयम्, अकुटिलं निर्मायं धर्मवचनम् ऋजु मोक्षं प्रति प्रगुणं जानीहि अवबुध्यस्वेति ।।३९३।। ટીકાર્ચ - વર્ષે .... વધુQતિ | ધર્મમાં સદ્ભાવથી સાધ્ય એવા ધર્મમાં=મોહનો નાશ કરવાને અનુકૂળ એવા સુંદર ભાવથી સાધ્ય એવા ધર્મમાં, માયા નથી; કેમ કે અત્યંત વિરોધ છે માયાથી કરાયેલા અનુષ્ઠાનમાં ધર્મની નિષ્પત્તિનો અત્યંત વિરોધ છે અને કપટ નથી=બીજાને ઠગવા માટેની પ્રવૃત્તિરૂપ કપટ નથી=બીજાને “અમે શુદ્ધ આચરણા કરનારા છીએ' તેમ બતાવીને ઠગવારૂપ કપટ નથી અથવા અનુવૃત્તિ ભણિત નથી=સદોષ હોવા છતાં બીજાને આકર્ષિત કરવા માટે અનુવૃત્તિ નથી, તો શું છે ? એથી કહે છે – સ્પષ્ટ=વ્યક્ત અક્ષરોવાળું, પ્રગટ=લજ્જા રાખવી પડે એવું નહિ, અકુટિલ માયા વગરનું, ઋજુ એવા ધર્મવચનને મોક્ષ પ્રત્યે પ્રગુણ=મોક્ષ મેળવવા માટે નિપુણ, તું જાણ. l૩૯૩. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે સર્વજ્ઞએ સર્વ અનુજ્ઞા કે સર્વ નિષેધ કર્યો નથી, પરંતુ લાભ-નુકસાનની તુલના કરીને ગુપ્તિની વૃદ્ધિ થાય તેવી આચરણા કરવી જોઈએ તેમ કહ્યું છે, એ કથનને સ્પષ્ટ કરતાં કહે છે – ધર્મમાં માયા નથી, બીજાને ઠગવા માટે કપટ નથી, તેથી ઉત્સર્ગ-અપવાદનું યોજન કરીને દેશકાલને અનુરૂપ સ્થિરવાસ કે એવું અન્ય કૃત્ય કરવું હોય ત્યારે સાધુએ આત્માને ઠગવો જોઈએ નહિ; કેમ કે જો નવકલ્પી વિહારની શક્તિ હોય અને તેના દ્વારા ભગવાનની આજ્ઞાનું પાલન થાય તેમ હોય છતાં સાધુ આત્માને ઠગીને પ્રમાદવશ નવકલ્પી વિહાર ન કરે, પરંતુ સ્થિરવાસ કરે, જેમ મંગુ આચાર્યએ કર્યું તેમ માયા કરવાથી ધર્મ થાય નહિ. વળી લોકોને દેખાડવા માટે ધર્મમાં કપટ નથી, તેથી ગુણવૃદ્ધિમાં પોતાનું સામર્થ્ય ન હોય છતાં “હું તપસ્વી છું” વગેરે બતાવવા માટે કોઈ તપ કરે કે લોચ વગેરે કષ્ટ સહન કરે ત્યારે તે કષ્ટો દ્વારા રત્નત્રયીની વૃદ્ધિ કરી શકે તેમ ન હોય તો પણ બીજા આગળ પોતાનું ખરાબ દેખાશે, તેમ કપટ કરીને લોચાદિ કષ્ટો સહન કરે, તેનાથી ધર્મ નિષ્પન્ન થાય નહિ, પરંતુ પોતાના શમભાવને પરિણામને અતિશય કરવા માટે અને લોચાદિ કષ્ટો પ્રત્યે ઉપેક્ષા કરીને પણ સંયમને અતિશય કરી શકે તેમ હોય તેઓ તે કષ્ટો દ્વારા જે સમભાવની વૃદ્ધિ કરે તે ધર્મ છે. વળી ધર્મમાં અનુવૃત્તિ નથી=મુગ્ધ લોકો આ રીતે કરે છે, તેને અનુસરીને આપણે પણ તેમ કરવું જોઈએ, તેવી અનુવૃત્તિ ધર્મમાં નથી, પરંતુ આત્મામાં ગુપ્તિનો અતિશય થાય તેવી પ્રવૃત્તિમાં યત્ન કરાય તે ધર્મ છે, જેમ કે તે અનુષ્ઠાનને અનુકૂળ ચિત્ત ન હોય, છતાં લોકો પોતાના માટે બોલશે તેવા અભિપ્રાયથી લોકોને સારું દેખાય તે રીતે તે અનુષ્ઠાન કરવામાં આવે તો બાહ્યથી થાય છે. અંતરંગમાં તેવું સામર્થ્ય
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy