SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૬૧-૪૬૨ દ્વારા પ્રેરણાને મોહથી કરે છે અને આ ગાથા-૪પ૩માં કહ્યું કે વિવેકી પુરુષે આત્મહિત કરવું જોઈએ, એ કરવાનું શક્ય નથી, જે કારણથી વિષયોનો અભ્યાસ રાગો વધારે છે અને ઈન્દ્રિયોના કૌશલ્યને વધારે છે અને તે પ્રમાણે કહેવાયું છે – ઉપભોગના ઉપાયમાં તત્પર એવો જે વિષયતૃષ્ણાને શમાવવાને ઇચ્છે છે તે જીવ અપરાહ્નમાંમધ્યાહ્ન પછીના કાળમાં, સન્મુખ રહેલી પોતાની છાયાને પકડવા દોડે છે, પરંતુ પકડી શકતો નથી, તેમ વિષયના ઉપભોગથી વિષયતૃષ્ણા શમાવવા યત્ન કરે છે તે વિષયતૃષ્ણાને શમાવી શકતા નથી. અથવા આ=વિષયોના સેવન દ્વારા તૃપ્તિ માટેનો યત્ન કરે છે એ, મોહથી હણાયેલા જીવોનું કેટલું? અર્થાત્ કંઈ નથી, તેઓ અપુણ્યને પણ પુણ્યબુદ્ધિથી આચરણ કરે છે. In૪૬૧II ભાવાર્થ: સંસારી જીવો મોહથી હણાયેલી મતિવાળા છે, તેથી ગાથા-૪૬૦માં બતાવ્યું તેમ ઇન્દ્રિય વગેરેને વશ થઈને સતત કર્મજાળને બાંધે છે. વળી અનેક પ્રકારના કંદર્પ અને વિષય ભોગોથી પરપરિવાદમાં વિશાળ હોય છે=બીજા જીવોનાં કૃત્યોને અસદ્ભાવથી જોવામાં તત્પર બુદ્ધિવાળા હોય છે, તેથી સંસારી જીવો બીજાને પંચાત કરીને અને કાંદર્ષિક ભાવોને કરીને અરતિનો વિનોદ માણતા હોય છે તે સર્વ મોહનું કાર્ય છે અને જેઓ આ રીતે મોહને વશ સર્વ કૃત્યો કરતા હોય તેઓ માટે ગાથા-૪૫૩માં બતાવ્યું એ પ્રમાણે આત્મહિત કરવું શક્ય નથી; કેમ કે તે જીવો સંસારમાં અનેક પ્રકારની કંદર્પક્રીડા અને પર પરિવાદ કરવારૂપ વિષયનો અભ્યાસ કરે છે, તેનાથી રાગની વૃદ્ધિ થાય છે અને ઇન્દ્રિયો વિષયોમાં કુશલ થાય છે, પરંતુ સંવરભાવને અનુકૂળ કુશલ થતા નથી અને તેમનો રાગ વીતરાગતાને અભિમુખ નથી થતો, તેથી તેવા જીવો આત્મહિત કરી શકે નહિ. એમાં સાક્ષી આપે છે – જેઓ ઉપભોગના ઉપાયમાં તત્પર થઈને વિષયની તૃષ્ણાને શમન કરવા યત્ન કરે છે તેઓ અનુચિત પ્રવૃત્તિ કરનારા છે, તેમની અનુચિત પ્રવૃત્તિને દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે, મધ્યાહ્ન પછી પુરુષનો પડછાયો તેની સન્મુખ પડે છે, કોઈ પુરુષને થાય કે હું પડછાયાને પકડી લઉં, પડછાયાને પકડવા જેમ જેમ આગળ દોડે તેમ તેમ છાયા આગળ ચાલ્યા કરે છે, તેથી છાયાને પકડી શકતો નથી, પરંતુ દોડવાના ક્લેશને અનુભવે છે, તેમ ભોગની પ્રવૃત્તિથી ભોગની ઇચ્છાનું શમન નથી થતું, પરંતુ ભોગની તૃષ્ણા વૃદ્ધિ જ પામ્યા કરે છે, તેથી જેઓ અનેક કંદર્પોના વિષયોમાં વર્તે છે અને પરપરિવાદમાં વિશાલ છે, તેઓ મોહથી હણાઈને જે કંઈ કરે છે, તે કંઈ નથી, અલ્પમાત્રાનું છે, વસ્તુતઃ તેવા જીવો ધર્મબુદ્ધિથી તે આચરણા કરે છે, તે પણ પાપનું કારણ બને તેવી આચરણા છે; કેમ કે ધર્મના વિષયમાં પણ તેમનો મોહ જ પ્રવર્તક છે, પરપંચાત કરીને પોતાનું ચિત્ત કષાયોના કાલુષ્યવાળું કરે છે, પરમાર્થથી ધર્મકૃત્યો દ્વારા આત્માને અકષાય ભાવવાળા કરવા યત્ન કરતા નથી, તેથી તેઓ ધર્મનું સેવન કરીને મોહની વૃદ્ધિ કરે છે. II૪૬૧૨ા અવતરણિકા : શાહ ૨
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy