SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૦૧ અવતરણિકા : गतं समितिद्वारम् अधुना कषायद्वारं विवरीतुकामस्तेषां तज्जातीयानां च दुष्टताभिधायिकां प्रतिद्वारगाथामाह ૩૭ અવતરણિકાર્થ : સમિતિદ્વાર પૂરું થયું, હવે કાયદ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી તેની=કષાયોની અને તેના જાતિઓની દુષ્ટતાને કહેનારી પ્રતિદ્વાર ગાથાને કહે છે ગાથા कोहो माणो माया, लोभो हासो रई य अरई य । सोगो भयं दुर्गुछा, पच्चक्खकली इमे सव्वे ॥ ३०१ ।। ગાથાર્થ ઃ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા આ બધા દેખાતો કજિયો છે. II૩૦૧|| ટીકા ઃ क्रोधो मानो माया लोभो हासो रतिश्चारतिश्च शोको भयं जुगुप्सा, किं ? प्रत्यक्षकलयः कलहहेतुत्वादुपलक्षणं चेदं सर्वानर्थहेतुतायाः इमेऽनन्तरोक्ताः सर्व इति ।। ३०१।। ટીકાર્ય - क्रोधो સર્વ પ્રકૃતિ ।। ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા શું છે? એથી કહે છે પ્રત્યક્ષ કલિ છે; કેમ કે કલહતું હેતુપણું છે અને આ=ક્રોધાદિ પ્રત્યક્ષ કલિ છે એ, સર્વ અનર્થહેતુતાનું ઉપલક્ષણ છે. આ=અનંતરમાં કહેવાયેલા સર્વ પ્રત્યક્ષ કલિ છે એમ અન્વય છે. II૩૦૧I ભાવાર્થ: આત્મામાં વર્તતા ક્રોધાદિ ચાર કષાયો અને હાસ્યાદિ છ નોકષાયો પ્રત્યક્ષ કજિયા છે. જેમ કોઈની સાથે કલહ થાય ત્યારે કલહ કરનારા જીવો અસ્વસ્થતાને અનુભવે છે, તેમ કષાય-નોકષાયનો પરિણામ આત્માની સ્વસ્થતાનો ભંજક છે. જોકે ઉપયોગમાં સર્વ જીવને કષાય-નોકષાય સૂક્ષ્મ રીતે બહુલતાએ પ્રવર્તતા હોય છે. ફક્ત મહાત્માઓ કષાય-નોકષાયથી વિરુદ્ધ ક્ષમાદિ ભાવોમાં દૃઢ પ્રણિધાનપૂર્વક ઉપયુક્ત હોય ત્યારે જ તે કષાયો-નોકષાયો કંઈક તિરોધાન અવસ્થામાં હોય છે. તેનાથી આત્મામાં તે પ્રકારની અસ્વસ્થતારૂપ કલહ થતો નથી, પરંતુ કલહ કરવાના સ્વભાવવાળા જીવોને કલહ ક૨વો પ્રકૃતિરૂપ હોય
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy