SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપકરણની અબાધકતાને વિચાર ૧૦૩ त्पत्तिस्वभावत्वे आत्माश्रय' इति चेत् ? न, 'इदानीं मध्याह्नः' इत्यादि व्यवहारात् समयस्य स्ववृत्तेः प्रामाणिकत्वादिति'- स्वभाववादिनो बौद्धस्य मत;-"त,सत् , निरवधित्वेऽनियतावधित्वे वा कादाचित्कत्वव्याघातात् , नियतप्राच्यावधीभूतस्यैव हेतुत्वाद्, उपकारान्तरानाधानमात्रेण स्वभाववादस्येष्टत्वात् , नियमरूपापेक्षामात्रेणैव हेतुवादप्रवृत्तेः” इति हेतुवादिनो नैयायिकादेर्मतम् । શકા - કોળનિયમન પણ સ્વભાવ જ કરે છે એવું કહેવામાં તમારો આશય એ છે કે “ઘડાનો એવો સ્વભાવ જ છે કે “અમુક દિવસે જ એ ઉત્પન્ન થાય અને તેથી એ દિવસે જ એ ઉત્પન્ન થાય છે” આની સામે અમે પૂછીએ છીએ કે જે દિવસે ઉત્પન્ન થવાનો ઘડાને સ્વભાવ છે એ દિવસ જ કેમ પહેલાં ઉત્પન્ન થઈ જતું નથી? સમાધાન :- એ દિવસને પણ એ સ્વભાવ જ છે કે એ દિવસ એ જ દિવસે ઉત્પન્ન થાય. શંકા :- આવું માનવામાં તો સ્વભાવની પરંપરા ચાલશે. અર્થાત્ તમે કહ્યું એના પર પાછો પ્રશ્ન થશે કે એ દિવસનો પણ “એ એજ દિવસે ઉતપન્ન થાય, પૂર્વે નહિ” એ જ સ્વભાવ કેમ છે ? બીજો કોઈ કેમ નહિ ? એનો પાછો જવાબ આપવો પડશે કે “એ સ્વભાવને પણ એવો સ્વભાવ જ છે કે એવા આકારવાળા જ રહેવું, અન્ય આકારવાળા નહિ.” આમ સ્વભાવની પરંપરા ચાલશે. સમાધાન :- કાળનિયમન કારણ સામગ્રીથી થાય છે એવું માનવામાં પણ આવી પરંપરા તે ઊભી જ છે. જેમકે-ઘડો અમુક વખતે જ કેમ ઉત્પન્ન થયો ? એને સંભવિત ઉત્તર–એની ઉત્પાદક સામગ્રી એ જ વખતે ઉપસ્થિત થઈ. એના પર પ્રશ્ન-એ સામગ્રી એ જ વખતે કેમ ઉપસ્થિત થઈ? એનો જવાબ એ સામગ્રીને ઉપસ્થિત કરનાર સામગ્રી એ જ વખતે હાજર થઈ. એના પર પ્રશ્ન-એ ઉપસ્થિત કરનાર સામગ્રી કેમ એ જ વખતે હાજર થઈ ? આવા આવા પ્રશ્નોની પરંપરામાં અન્ય અન્ય કારણ સામગ્રીની પરંપરા માનવી જ પડતી હોવાથી સ્વભાવપરંપરા માનવામાં કોઈ દોષ નથી. શંકા - ઘટ જે દિવસે ઉત્પન્ન થયો એ દિવસનો “એ દિવસ, એ દિવસે જ ઉત્પન્ન થાય એવો સ્વભાવ માનવામાં આત્માશ્રય દોષ આવશે. અર્થાત્ પોતે જ પોતાનો આશ્રય હોવાની આપત્તિ આવશે. સમાધાન – “હમણું મધ્યાહ્ન છે' ઈત્યાદિ પ્રસિદ્ધ વ્યવહારમાં “હમણાં” શબ્દથી ઉલિખિત જે કાળ છે એ કંઈ મધ્યાહ્નથી ભિન્ન હોતું નથી. તેથી જણાય છે કે “કાળ પિોતે પોતાનામાં રહે એમાં કોઈ દોષ નથી, એનું પિતાનામાં રહેવાપણું પ્રામાણિક જ છે' તેથી પોતે પિતાનો આશ્રય હોવો એ આપત્તિ રૂપ નથી. નિષ્કર્ષ - કઈ પણ વસ્તુ સ્વભાવથી ઉત્પન્ન થાય છે એવું માનવામાં કઈ દોષ નથી.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy