SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ * ચંદ્ર, એમ કૂવાના રેટની જેમ આખો દિવસ નાડી ફર્યા કરે છે. षत्रिंशद्गुरुवर्णानां या वेला भणने भवेत्। सा वेला मरुतो नाडया नाडयां संचरतो लगेत् ॥६| છત્રીસ ગુરુ અક્ષર ઉચ્ચાર કરતાં જેટલો વખત લાગે છે તેટલો વખત એક નાડીથી બીજી નાડીમાં વાયુને જતાં લાગે છે. પાંચ તત્વની સમજ उर्ध्वं वहिनरधस्तोयं, तिरश्चीनः समीरणः । भूमिमध्यपुटे व्योम, सर्वगं वहते पुनः ||७|| ઊંચો પવન ચડે ત્યારે અગ્નિતત્ત્વ, નીચો પવન ઊતરે ત્યારે જળતત્ત્વ, તિર્થો પવન વહે ત્યારે વાયુતત્ત્વ, નાસિકાનાં બે પડમાં પવન વહે ત્યારે પૃથ્વીતત્ત્વ અને સર્વ દિશાએ જ્યારે પવન ફેલાઈ જાય ત્યારે આકાશતત્ત્વ સમજવું. તત્ત્વોનો અનુક્રમ वायोर्वनेरपां पृथ्व्या, ब्योम्नस्तत्त्वं वहेत् क्रमात् । वहन्त्योरुभयोर्नाडयो-तिव्योऽयं क्रमः सदा ||८|| સૂર્યનાડી અને ચંદ્રનાડીમાં વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ એ અનુક્રમથી તત્ત્વો નિરંતર રહે છે. તત્ત્વોનો કાળ पृथव्याः पलानि पंचाशच्चत्वारिंशत्तथाऽम्भसः । अग्नेस्त्रिंशत्पुनर्वायोविंशतिर्नभसो दश ||९|| પૃથ્વીતત્ત્વ પચાસ પળ, જળતત્ત્વ ચાલીસ પળ, અગ્નિતત્ત્વ ત્રીસ પળ, વાયુતત્ત્વ વીશ પળ, આકાશતત્ત્વ દશ પળ. એમ તત્ત્વો અદલ-બદલ થયા કરે છે. તત્વોમાં કરવાનાં કાર્યો तत्त्वाभ्यां भूजलाभ्यां स्याच्छान्ते कार्ये फलोन्नतिः । दीप्तास्थिरादिके कृत्ये तेजोवाय्वम्बरैः शुभम् ||१०|| પૃથ્વી અને જળતત્ત્વમાં શાંતિકાર્યો કરતાં ફળની પ્રાપ્તિ થાય છે અને અગ્નિ, વાયુને આકાશતત્ત્વમાં તીવ્ર-તેજસ્વી, અસ્થિર અને સ્થિર કાર્ય કરવાં સારાં છે.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy