SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ શ્રાદ્ધવિધિ પ્રકરણ दो सासय जत्ताओ, तथ्थेगा होइ चित्तमासंमि ॥ अट्ठाहिआआई महिमा । बीआ पूण अस्सिणे मासे ।। एआओ दोवि सासय । जत्ताओ करंति सब देवावि ।। नंदिसरम्मि खयरा । नरा य निअएसु ठाणेसु ||२| બે શાશ્વતી યાત્રાઓ છે. તેમાં એક તો ચૈત્રમાસની અકાઈની હોય છે. અને બીજી આસો મહિનાની અઠ્ઠાઈની હોય છે, તેમાં દેવતાઓ અકાઈ મહોત્સવાદિ કરે છે. એ શાશ્વતી યાત્રાઓ સર્વ દેવતાઓ કરે છે. વિદ્યાધરો પણ નંદીશ્વરદ્વીપ ઉપર યાત્રા કરે છે. અને મનુષ્યો પોતાને સ્થાનકે યાત્રા કરે છે. (પોતાથી જઈ શકાય એવા સ્થાનકે જઈ તીર્થની યાત્રાઓ કરે છે.) (અશાશ્વતી અઠ્ઠાઈઓ વિષે) तह चउमासिअतिगं । पज्जोवसणा य तहय इय छक्कं ।। जिण जम्म दिक्खं च केवल | निव्वाणईसु असासइआ ||३|| તેમજ ત્રણ ચોમાસાની અફાઈઓ અને પાષણની અઢાઈ એ બધી મળી છ અઠ્ઠાઈઓ તથા તીર્થકરોના જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક, અને નિર્વાણ કલ્યાણકની અઠ્ઠાઈઓમાં નંદીશ્વરની યાત્રા કરે છે. પણ અશાશ્વતી સમજવી. જીવાભિગમમાં તો એમ કહેવું છે કે, तत्थ बहवे भवणवइ वाणमंतर जोइस वेमाणिआ देवा तिहिं चउमासिएहिं पज्जोवसणाएअ अठ्ठाहिआओ महामहिमाओ करितित्ति ॥ ત્યાં ઘણા ભવનપતિ, વાણવ્યંતરીક, જ્યોતિષી, વૈમાનિક દેવતાઓ ત્રણ ચોમાસાની અને પજુસણની અઠ્ઠાઈઓમાં મહામહિમા કરે છે. (ઉગતી કે આથમતી તિથિ માનવી તે વિષે) તિથિ તો પ્રભાતે પચ્ચખાણ વેળાએ જે હોય તેજ પ્રમાણે થાય છે, કેમકે લોકમાં પણ સૂર્યના ઉદયના અનુસારે જ દિવસાદિકનો વ્યવહાર છે. કહે છે કે :चउम्मासिअ वरिसे । पक्खिअ पंचट्ठमीसु नायव्वा । ताओ तिहिओ जासिं । उदेइ सुरो न अन्नाओ ।। ચોમાસી, વાર્ષિક, પાખી પાંચમ, આઠમની તિથિઓ તેજ પ્રમાણ થાય કે જેમાં સૂર્યનો ઉદય થતો હોય. બીજી તિથિ માન્ય થાય જ નહિ. पूआ पच्चक्खाणं । पडिक्कमणं तहय निअमगहणं च, जीए उदेइ सुरो । तीइतिहीएउ कायव्वं ।। પૂજા પચ્ચકખાણ, પડિક્કમણ તેમજ નિયમ પ્રહણ તેજ તિથિમાં કરવો, કે જે તિથિમાં સૂર્યનો ઉદય થયો હોય (ઉદય વખત હોય તેજ તિથિ આખો દિવસ પણ માન્ય થઈ શકે છે.) . उदयंमि जा तिहि सा । पमाणंमि अरिहेइ कीरमाणीए | आणाभंगणवत्था । मिच्छत विराहणं પાવે ||
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy