SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિન કૃત્યપ્રકાશ ૩૦૯ અર્થે જિહ્વાની લોલુપતા રાખતા નથી એવું વચન છે. માટે જિદ્વાની લોલુપતા પણ મૂકવી તથા અભક્ષ્ય, અનંતકાય અને બહુ સાવદ્ય વસ્તુ પણ વર્જવી. પોતાના અગ્નિબળ માફક પરિમિત ભોજન કરવું. જે પરિમિત ભોજન કરે છે તે બહુ ભોજન કર્યા જેવું છે. અતિશય ભોજન કરવાથી અજીર્ણ, ઓકારી, જુલાબ તથા મરણ વગેરે પણ થોડીવારમાં થાય છે. કેમકે – હે જીભ ! તું ભક્ષણ કરવાનું અને બોલવાનું માપ રાખ. કારણ કે, અતિશય ભક્ષણ કરવાનું અને અતિશય બોલવાનું પરિણામ ભયંકર નીપજે છે. હે જીભ ! જો તું દોષ વિનાનું તથા પરિમિત ભોજન કરે અને જો દોષ વિનાનું તથા પરિમિત બોલે, તો કર્મરૂપ વીરોની સાથે લડતા એવા જીવ થકી તને જ જયપત્રિકા મળશે એમ નક્કી જાણ. હિતકારી, પરિમિત અને પરિપકવાન ભક્ષણ કરનારો, ડાબે પાસે શયન કરનારો, હંમેશાં ફરવા-હરવાની મહેનત કરનારો, વિલંબ ન લગાડતાં મળમૂત્રનો ત્યાગ કરનારો અને સ્ત્રીઓની બાબતમાં પોતાનું મન વશમાં રાખનારો પુરુષ રોગોને જીતે છે. હવે ભોજન કરવાનો વિધિ વ્યવહારશાસ્ત્રાદિકના અનુસારે નીચે પ્રમાણે જાણવો : ભોજનની વિધિ અતિશય પ્રભાતકાળમાં, તદ્દન સંધ્યાને વખતે અથવા રાત્રિએ તથા ગમન કરતાં ભોજન ન કરવું. ભોજન કરતી વખતે અન્નની નિંદા ન કરવી. ડાબા પગ ઉપર હાથ પણ ન રાખવો. તથા એક હાથમાં ખાવાની વસ્તુ લઈ બીજા હાથે ભોજન ન કરવું. ઉઘાડી જગ્યામાં, તડકામાં, અંધકારમાં અથવા વૃક્ષને તળે કોઈ કાળે ભોજન કરવું નહીં; તથા ભોજન કરતી વખતે અંગૂઠા પાસેથી આંગળી ઉભી ન રાખવી. મોં, કપડાં અને પગ ધોયા વિના, નગ્નપણે, મેલાં કપડાં પહેરીને તથા ડાબો હાથ થાળીને લગાડયા વિના ભોજન કરવું નહીં. એક જ વસ્ત્ર પહેરીને, મસ્તકે ભીનું વસ્ત્ર વીંટીને, અપવિત્ર શરીરે તથા અતિશય જીભની લોલુપતા રાખીને વિચક્ષણ પુરુષે ભોજન કરવું નહીં. પગમાં પગરખાં પહેરીને, ચિત્ત ઠેકાણે રાખ્યા વિના કેવળ જમીન ઉપર જ અથવા પલંગ ઉપર બેસીને ખૂણાઓમાં અગર દક્ષિણ દિશામાં મુખ કરીને તેમજ પાતળા આસન ઉપર બેસીને, ભોજન કરવુ નહીં. આસન ઉપર પગ રાખીને, તથા શ્વાન, ચંડાળ અને પતિત લોકોની નજર પડતી હોય તેવી જગ્યાએ ભોજન કરવું નહીં. તેમજ ભાંગેલા અથવા મલિન વાસણમાં ભોજન કરવું નહીં. અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થયેલું, ગર્ભહત્યા વગેરે કરનાર લોકોએ જોયેલું, રજસ્વલા સ્ત્રીએ સ્પર્શ કરેલું તથા ગાય, ગ્વાન, પક્ષી વગેરે જીવોએ સુંઘેલું એવું અન્ન ખાવું નહીં. જે ભક્ષ્ય વસ્તુ કયાંથી આવી તેની ખબર ન હોય તથા જે વસ્તુ અજાણી હોય તે ખાવી નહીં. એક વાર રાંધેલું અન્ન ફરી વાર ઉનું કર્યું હોય તો તે પણ ન ખાવું. તથા ભોજન કરતી વેળાએ "બચ બચ” એવો શબ્દ અથવા વાંકુંચૂંકું મોં કરવું નહીં. કેવું ભોજન કરવું. ભોજન કરતી વખતે આસપાસ રહેલા લોકોને ભોજન કરવા બોલાવીને પ્રીતિ ઉપજાવવી. પોતાના ઈષ્ટ દેવનું નામ સ્મરણ કરવું. તથા સરખું, પહોળું અને ઘણું નીચું ઊંચું નહીં એવા સ્થિર આસન ઉપર
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy