SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર શ્રાદ્ધવિધિ પ્રકરણ - પિતાએ પુત્રને કુળથી, જન્મથી અને રૂપથી બરાબર હોય એવી કન્યા પરણાવવી. તેને ઘરના કાર્યભારમાં જોડવો તથા અનુક્રમે તેને ઘરની માલિકી સોંપવી. "કુળથી, જન્મથી અને રૂપથી બરાબર હોય એવી કન્યા પરણાવવી” એમ કહેવાનું કારણ એ છે કે કજોડાવાળી સ્ત્રી સાથે ભર્તારનો યોગ થાય તો તેમનો તે ગૃહવાસ નથી. પણ માત્ર વિટંબણા છે; તથા એકબીજા ઉપરનો રાગ ઉતરી જાય તો કદાચ બને જણા અનુચિત કૃત્ય કરે એવો પણ સંભવ છે. આ વિષય ઉપર એક દાંત સંભળાય છે. તે એ કે - કડાનું દાંત ભોજરાજાના રાજ્યમાં આવેલી ધારાનગરીની અંદર એક ઘરમાં ઘણો કુરૂપ અને નિર્ગુણી એવો પુરુષ તથા અતિ રૂપવતી અને ગુણવાન એવી સ્ત્રી હતી. બીજા ઘરમાં તેથી ઉલટું એટલે પુરુષ સારો અને સ્ત્રી બેશીકલ હતી. એક સમયે બન્ને જણાના ઘરમાં ચોરે ખાતર પાડયું અને બન્ને કજોડાને જોઈ કાંઈ ન બોલતાં સુરૂપ સ્ત્રી સુરૂપ પુરુષ પાસે, અને કુરૂપ સ્ત્રી કુરૂપ પુરુષ પાસે ફેરવી નાંખી. જ્યાં સુરૂપનો યોગ થયો, તે બન્ને સ્ત્રી-પુરુષ પ્રથમ ઘણા ઉદ્વિગ્ન રહેતા હતા તે હર્ષ પામ્યા; પણ જેને કુરૂપ સ્ત્રીનો યોગ થયો, તેણે રાજસભામાં વિવાદ ચલાવ્યો. રાજાએ ઢંઢેરો પીટાવ્યો ત્યારે ચોરોએ આવીને કહ્યું કે, "હે મહારાજ ! રાત્રિને વિષે પરદ્રવ્યનો અપકાર કરનારા અને વિધાતાની ભૂલ સુધારી, એક રત્નને બીજા રત્નની સાથે યોગ કર્યો." ચોરનું વચન સાંભળી હસનારા રાજાએ તે જ વાત પ્રમાણ કરી. વિવાહના ભેદ વગેરે આગળ કહેવાશે. "તેને ઘરના કાર્યભારમાં જોડવો." એમ કહેવાનું કારણ એ છે કે, ઘરના કારભારમાં જોડાયેલો પુત્ર હંમેશાં ઘરની ચિંતામાં રહેવાથી સ્વચ્છંદી અથવા મદોન્મત્ત ન થાય તેમજ ઘણાં દુઃખ સહન કરી ધન કમાવવું પડે છે, એ વાતની જાણ થઈ અનુચિત વ્યય કરવાનું મનમાં ન લાવે. "ઘરની માલિકી સોંપવી” એમ કહ્યું, તેનું કારણ એ છે કે મોટા લોકોએ યોગ્ય કાર્ય નાનાને માથે નાખવાથી નાનાની પ્રતિષ્ઠા થાય છે. ઘરનો કાર્યભાર સારી પરીક્ષા કરીને નાનો પુત્ર યોગ્ય હોય તો તેને માથે જ નાંખવો. કારણ કે તેમ કરવાથી જ નિર્વાહ થવાનો, તથા તેની શોભા વગેરે વધવાનો પણ સંભવ છે. પ્રસેનજિત રાજાએ પહેલાં સર્વે પુત્રોની પરીક્ષા કરી સોમો પુત્ર જે શ્રેણિક તેને માથે જ રાજ્ય સોંપ્યું. પુત્રની જેમ જ પુત્રી, ભત્રીજા વગેરેના સંબંધમાં પણ યોગ્યતા માફક ઉચિત આચરણ કરવાનું જાણવું. તેમજ પુત્રની વહુના સંબંધમાં પણ સમજવું. જેમ ધનશ્રેષ્ઠીએ ચોખાના પાંચ દાણા આપી પરીક્ષા કરી. ચોથી વહુ રોહિણીને જ ઘરની સ્વામિની કરી, તથા ઉજ્જિતા, ભોગવતી અને રક્ષિતા એ ત્રણે મોટી વહુઓને અનુક્રમે કચરા વગેરે કાઢવાનું, રાંધવાનું તથા ભંડારનું કામ સોંપ્યું. પિતા પુત્રની તેના દેખતાં પ્રશંસા ન કરે, કદાચ પુત્ર વ્યસનમાં સપડાય એમ હોય તો તેને ઘૂતાદિ વ્યસનથી થતો ધનનો નાશ, લોકમાં અપમાન, તર્જના, તાડના આદિ દુર્દશા સંભળાવે, તેથી તે વ્યસનમાં સપડાતો અટકે છે. તથા લાભ, ખરચ અને સિલક એ ત્રણે પુત્ર પાસેથી તપાસી લે તેથી તે સ્વચ્છંદી થતો
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy