SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૨૩૧ સત્કાર્યોના મનોરથો કરવા જોઈએ માણસ છેક આડંબર રહિત હોય તો તેનો જ્યાં ત્યાં અનાદર થાય છે, માટે બુદ્ધિશાળી પુરુષે કોઈપણ સ્થળે વિશેષ આડંબર છોડવો નહીં. વિવેકી પુરુષે પરદેશ ગયા પછી પોતાની યોગ્યતા માફક સવગે વિશેષ આડંબર તથા સ્વધર્મને વિષે પરિપૂર્ણ નિષ્ઠા રાખવી, કારણ કે તેમ કરવાથી જ મોટાઈ, બહુમાન તથા ધારેલા કાર્યની સિદ્ધિ આદિ થવાનો સંભવ છે. પરદેશે બહુલાભ થાય તો પણ ઘણા કાળ સુધી ન રહેવું, કારણ કે તેમ કરવાથી ગૃહકાર્યની અવ્યવસ્થા આદિ દોષ ઉત્પન્ન થાય છે. કાષ્ઠ શ્રેષ્ઠી આદિની જેમ લેવા-વેચવા આદિ કાર્યમાં આરંભમાં, વિઘ્નનો નાશ અને ઈચ્છિત લાભ વગેરે કામ સિદ્ધ થવાને અર્થે પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવું, ગૌતમાદિકનું નામ ઉચ્ચારવું તથા કેટલીએક વસ્તુ દેવના, ગુરુના અને જ્ઞાન આદિના ઉપયોગમાં આવે એવી રીતે રાખવી. કારણ કે, ધર્મની પ્રધાનતા રાખવાથી જ સર્વકાર્ય સફળ થાય છે. ધનનું ઉપાર્જન કરવાને અર્થે જેને આરંભ-સમારંભ કરવો પડે તે શ્રાવકે સાત ક્ષેત્રમાં ધન વાપરવાના તથા બીજા એવા જ ધર્મકૃત્યના નિત્ય મોટા મનોરથ કરવા. કહ્યું છે કે વિચારવાળા પુરુષે નિત્ય મોટા મોટા મનોરથ કરવા, કારણ કે પોતાનું ભાગ્ય જેવા મનોરથ હોય તે પ્રમાણે કાર્યસિદ્ધિ કરવામાં યત્ન કરે છે. ધન, કામ અને યશ એ ત્રણ વસ્તુની પ્રાપ્તિને અર્થે કરેલો યત્ન વખતે નિષ્ફળ થાય છે, પરંતુ ધર્મકૃત્ય કરવાનો કેવળ મનમાં કરેલો સંકલ્પ પણ નિષ્ફળ જતો નથી. લાભ થાય ત્યારે પૂર્વે કરેલા મનોરથ લાભના અનુસારથી સફળ કરવા, કેમ કે-ઉદ્યમનું ફળ લક્ષ્મી છે, અને લક્ષ્મીનું ફળ સુપાત્રે દાન દેવું એ છે; માટે જો સુપાત્રે દાન ન કરે તો ઉદ્યમ અને લક્ષ્મી બને દુર્ગતિનાં કારણે થાય છે. સુપાત્રે દાન દે, તો જ પોતે ઉપાર્જન કરેલી લક્ષ્મી તે ધર્મની દ્ધિ કહેવાય, નહીં તો પાપની ઋદ્ધિ કહેવાય. કહ્યું છે કે-ઋદ્ધિ ત્રણ પ્રકારની છે; એક ધર્મઋદ્ધિ, બીજી ભોગદ્ધિ અને ત્રીજી પાપઋદ્ધિ. તેમાં જે ધર્મકૃત્યને વિષે વપરાય છે તે ધર્મઋદ્ધિ, જે શરીર સુખને અર્થે વપરાય તે ભોગઋદ્ધિ અને જે દાનના તથા ભોગના કામમાં આવતી નથી તે અનર્થ ઉત્પન્ન કરનારી પાપદ્ધિ કહેવાય છે. પૂર્વેભવે કરેલા પાપકર્મથી અથવા ભાવી પાપથી પાપદ્ધિ પમાય છે. આ વિષય ઉપર નીચેનું દષ્ટાંત વિચારો: પાપદ્ધિ અંગે દષ્ટાંત વસંતપુર નગરમાં એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, એક વણિક અને એક સોની-એ ચાર જણા મિત્ર હતા. તેઓ દ્રવ્ય ઉપાર્જન કરવાને અર્થે સાથે પરદેશ જવાને નીકળ્યા. રાત્રિએ એક ઉદ્યાનમાં રહ્યા. ત્યાં વૃક્ષની શાખાએ લટકતો એક સુવર્ણપુરુષ તેમણે દીઠો, ચારમાંથી એક જણે કહ્યું, "દ્રવ્ય છે." સુવર્ણપુરુષે કહ્યું, "દ્રવ્ય અનર્થ આપનારું છે.” તે સાંભળી સર્વે જણાએ ભયથી સુવર્ણપુરુષને તજ્યો, પણ સોનીએ સુવર્ણપુરુષને કહ્યું, "નીચે પડ” ત્યારે સુવર્ણપુરુષ નીચે પડ્યો પછી સોનીએ તેની એક આંગળી કાપી લીધી અને બાકી સર્વ સુવર્ણપુરુષને એક ખાડામાં ફેકયો, તે સર્વેએ દીઠો. પછી તે ચાર જણામાંથી બે જણા ભોજન લાવવાને અર્થે ગામમાં ગયા અને બે જણા બહાર રહ્યા. ગામમાં ગયેલા બે જણા બહાર
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy