SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨OO શ્રાદ્ધવિધિ પ્રકરણ ન્યાય ઉપર દષ્ટાંત - કલ્યાણકટકપુર નગરને વિષે યશોવર્મા રાજા રાજ્ય કરતો હતો. તે ન્યાયમાં ખરો ન્યાય આપનાર છે. એવી ખ્યાતિવાળો હોવાથી તેણે પોતાના ન્યાય કરવાના મહેલની આગળ એક ન્યાયઘંટ બાંધ્યો હતો. એક વખતે તેની રાજ્ય અધિષ્ઠાયિકા દેવીને એવો વિચાર ઉત્પન્ન થયો કે, આ રાજાએ જે ન્યાયઘંટ બાંધ્યો છે તે ખરો છે કે ખોટો છે તેની પરીક્ષા કરવી જોઈએ.’ એમ ધારીને પોતે જ ગાયનું રૂપ ધારણ કરી તત્કાળ ઉત્પન્ન થયેલા વત્સની સાથે ક્રીડા કરતી રાજમાર્ગ વચ્ચે ઉભી રહી. એવા અવસરમાં તે જ રાજાનો પુત્ર દોડતા ઘોડાવાળી ગાડીમાં બેસી અતિશય ઉતાવળ કરતો તે જ માર્ગે આવ્યો. ઘણા જ વેગથી ચાલતી ઘોડાગાડીનું ચક્ર ફરી જવાથી તે વાછડો તત્કાળ ત્યાં જ મરણ પામ્યો; જેથી ગાય પોકાર કરવા લાગી અને જેમ રોતી હોય એમ આમતેમ જોવા લાગી, તેને અવાજ કરતાં કોઈક પુરુષે કહ્યું કે, રાજદરબારમાં જઈ તારો ન્યાય કરાવ. ત્યારે તે ગાય ચાલતી ચાલતી દરબાર આગળ જ્યાં ન્યાયઘંટા બાંધેલી છે ત્યાં આવી, અને પોતાના શીંગડાના અગ્રભાગથી તે ઘંટાને હલાવીને વગાડી. આ વખતે રાજા ભોજન કરવા બેસતો હતો, છતાં તે ઘંટાનો શબ્દ સાંભળી બોલ્યો કે, અરે કોણ ઘંટા વગાડે છે? નોકરોએ તપાસ કરી કહ્યું કે, સ્વામી ! કોઈ નથી. તમો સુખેથી ભોજન કરો. રાજા બોલ્યો આ વાતનો નિર્ણય થયા વિના કેમ ભોજન કરાય ? એમ કહી ભોજન કરવાનો થાળ એમ જ પડતો મૂકી પોતે ઉઠીને દરવાજા આગળ જુએ છે તો ત્યાં બીજા કોઈને ન દેખતાં ગાયને દેખી તેને કહેવા લાગ્યો કે, શું તને કોઈએ પીડા આપી છે! તેણીએ માથું ધુણાવીને હા કહી. જેથી રાજા બોલ્યો કે, ચાલ મને દેખાડ, કોણ છે? આવું વચન સાંભળી ગાય ચાલવા લાગી. રાજા પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. જે જગાએ વાછરડાનું કલેવર પડેલું હતું ત્યાં આવી તે ગાયે બતાવ્યું ત્યારે તેના પર ચક્ર ફરી ગયેલું દેખી રાજાએ નોકરોને હુકમ કર્યો છે, જેણે આ વાછરડા ઉપર ગાડીનું ચક્કર ચલાવ્યું હોય તેને પકડી લાવો. આ હકીકત કેટલાક લોકો જાણતા હતા, પરંતુ તે વાછરડા ઉપર ગાડીનું ચક્કર ચલાવનાર) રાજપુત્ર હોવાથી તેને રાજા પાસે કોણ લાવી આપે? એવું સમજી કોઈ બોલ્યું નહીં તેથી રાજા બોલ્યો કે, જ્યારે આ વાતનો નિર્ણય અને ન્યાય થશે ત્યારે જ હું ભોજન કરનાર છું. તો પણ કોઈ બોલ્યું નહીં. જ્યારે રાજાને ત્યાં ને ત્યાં જ ઉભા એક લાંઘણ થઈ તથાપિ કોઈ બોલ્યું નહિ. ત્યારે રાજપુત્ર પોતે જ આવીને કહેવા લાગ્યો કે, "પિતાજી ! હું એના ઉપર ચક્કર ચલાવનાર છું. માટે જે દંડ કરવાનો હોય તે મારો કરો.” રાજાએ તે જ વખતે સ્મૃતિઓના જાણનારાઓને બોલાવી પૂછયું કે, આ ગુન્હાનો શો દંડ કરવો? તેઓ બોલ્યા કે સ્વામી ! રાજપદને યોગ્ય એક જ આ પુત્ર હોવાથી એને શો દંડ દેવાય? રાજા બોલ્યો કે કોનું રાજ્ય? કોનો પુત્ર ! મારે તો ન્યાયની સાથે સંબંધ છે, મારે તો ન્યાય જ પ્રધાન છે, હું કંઈ પુત્રને માટે કે રાજ્યને માટે અચકાઉં એમ નથી. નીતિમાં કહ્યું
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy