SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ પ્રથમ દિનકૃત્યપ્રકાશ કહ્યું છે કે-એક માથે ટાલવાળો પુરુષ માથે તડકો લાગવાથી ઘણો જ તપી ગયો અને શીતળ છાયાની ઈચ્છાથી દૈવયોગે બિલીના ઝાડ નીચે જઈ પહોંચ્યો. ત્યારે ત્યાં પણ ઉપરથી પડતા એક હોટા બિલીના ફળથી તેનું માથું કડાક' શબ્દ કરી ભાંગ્યું. મતલબ એ છે કે, કમનશીબ પુરુષ જ્યાં જાય ત્યાં આપદા પણ તેની સાથે જ આવે છે. આ રીતે જુદા જુદા નવસો નવાણું સ્થળોના વિષે ચોર, જળ, અગ્નિ, સ્વચક્ર, પરચક્ર, મરકી આદિ અનેક રોગ થવાથી તે નિપુણ્યકને લોકોએ કાઢી મૂકયો. ત્યારે તે મહા દુઃખી થઈ એક મોટી અટવીમાં આરાધકજનોને પ્રત્યક્ષ ફળ આપનારા સેલક નામના યક્ષના મંદિરે આવ્યો. પોતાનું સર્વ દુઃખ યક્ષ આગળ કહી એકચિત્તથી તેની આરાધના કરવા લાગ્યો. એકવીસ ઉપવાસ કરવાથી પ્રસન્ન થયેલા યક્ષે તેને કહ્યું કે, દરરોજ સંધ્યા સમયે મ્હારી આગળ સુવર્ણમય એક હજાર ચંદ્રકને ધારણ કરનારો મોર નૃત્ય કરશે. તેનાં દરરોજ પડી ગયેલાં પિચ્છ તારે લેવાં." યક્ષના આવા વચનથી ખુશી થયેલા નિપુણ્યકે કેટલાંક પિચ્છ સંધ્યા સમયે પડી ગયાં, તે એકઠાં કર્યા. એમ દરરોજ એકઠાં કરતાં નવસો પિચ્છો ભેગાં થયાં, એકસો બાકી રહ્યાં. પછી નિપુણ્યકે દુર્દેવની પ્રેરણાથી મનમાં વિચાર્યું કે, "બાકી રહેલાં પિચ્છાં લેવાને માટે હવે કેટલા દિવસ આ જંગલમાં રહેવું? માટે બધાં પિણ્ડાં સામટાં એક મૂઠીથી પકડીને ઉખેડી લેવાં એ ઠીક” એમ વિચારી તે દિવસે મોર નાચવા આવ્યો, ત્યારે એક મૂઠીથી તેનાં પિચ્છ પકડવા ગયો. એટલામાં મોર કાગડાનું રૂપ કરીને ઉડી ગયો અને પૂર્વે એકઠાં કરેલાં નવસો પિચ્છા પણ જતાં રહ્યાં ! ખરૂં છે કે દેવની મર્યાદા ઉલ્લંઘીને જે કાર્ય કરવા જઈએ. તે સફળ થાય નહીં. જુઓ, ચાતકે ગ્રહણ કરેલું સરોવરનું જળ પેટમાં ન ઉતરતાં ગળામાં રહેલા છિદ્રથી બહાર જતું રહે છે. માટે ધિક્કાર થાઓ મને ! કેમકે મેં ફોગટ આટલી ઉતાવળ કરી.” એમ દિલગીરી કરતા નિપુણ્યકે આમતેમ ભમતાં એક જ્ઞાની ગુરુને દીઠા. તેમની પાસે જઈ વંદના કરી. તેણે તેમને પોતાના પૂર્વકર્મનું સ્વરૂપ પૂછયું. જ્ઞાનીએ પણ તેના પૂર્વભવનું સ્વરૂપ જેવું હતું તેવું પ્રકટપણે કહી દીધું. તે સાંભળી પૂર્વે દેવદ્રવ્ય ઉપર પોતાની આજીવિકા કરી તેનું પ્રાયશ્ચિત મુનિરાજ પાસે માગ્યું. મુનિ મહારાજે કહ્યું કે, "જેટલું દેવદ્રવ્ય તે પૂર્વભવે વાપર્યું, તે કરતાં વધારે દ્રવ્ય દેવદ્રવ્ય ખાતામાં આપ અને દેવદ્રવ્યની રક્ષા તથા તેની વૃદ્ધિ વિગેરે યથાશક્તિ કર. એટલે હારૂં દુષ્કર્મ ટળશે. તથા પરિપૂર્ણ ભોગ, દ્ધિ અને સુખનો લાભ થશે." તે સાંભળી નિપુણ્યકે જ્ઞાની ગુરુ પાસે નિયમ લીધો કે, "મેં પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય વાપર્યું હોય, તે કરતાં હજારગણું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે મહારાથી ન અપાય, ત્યાં સુધી અન્ન વસ્ત્ર ચાલે, તે કરતાં વધારે દ્રવ્યનો સંગ્રહ ન કરવો.” એવા નિયમની સાથે શુદ્ધ શ્રાવકધર્મ પણ તેણે ગુરુની સાખે આદર્યો. તે દિવસથી માંડી તેણે જે જે વ્યવહાર કર્યો, તે સર્વમાં તેને બહુ દ્રવ્યનો લાભ થયો. જેમ જેમ લાભ થયો, તેમ તેમ તે માથે રહેલું દેવદ્રવ્ય ઉતારતો ગયો. પૂર્વભવે વાપરેલી એક હજાર કાંકિણીના બદલામાં દસ લાખ કાંકિણી તેણે થોડા દિવસમાં દેવદ્રવ્ય ખાતે આપી. દેવદ્રવ્યના ઋણમાંથી છૂટયા પછી ઘણું દ્રવ્ય ઉપાર્જીને તે પોતાને નગરે આવ્યો. સર્વે મોટા શેઠોમાં શેઠ થવાથી તે નિપુણ્યક રાજાને પણ માન્ય
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy