SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ વળી દેરાસરમાં પૂજા વખતે વિચિત્ર (વિવિધ પ્રકારના) ચંદરવા બાંધવા. ગ્રંથિમ (ફૂલની સાથે ગુંથેલાં), વેષ્ટિમ (સુતરથી વીંટીને હાર વગેરે બનાવેલાં), પુરિમ (પરોવેલાં), સંઘાતિમ (ઢગલા કરવા) રૂપ ચાર પ્રકારનાં વિકસ્વર, કરમાયેલાં નહીં એવાં, વિધિપૂર્વક યુક્તિથી મંગાવેલાં સેવતરા (સેવતી), કમળ, જાઈ, જુઈ, કેતકી, ચંપા વગેરેનાં ફૂલથી માળા, મુકુટ, શેખરા, પુષ્પ પગર (ફૂલનાં ઘર) વિગેરેની રચના કરવી. જિનેશ્વર ભગવંતના હાથમાં સોનાનાં બીજોરા, નારીયેળ, સોપારી, નાગરવેલનાં પાન, સોનામહોર, રૂપામહોર, વીંટી, મોદક વગેરે મૂકવાં, ધૂપ ઉખેવવો, સુગંધવાસ પ્રક્ષેપ કરવો, એવા સર્વ કારણ છે, તે બધા અંગપૂજામાં ગણાય છે. બૃહત્ ભાષ્યમાં પણ કહેવું છે કે :| "સ્નાત્ર, વિલેપન, આભરણ, વસ્ત્ર, બરાસ, ગંધ, ધૂપ, પુષ્પ આદિથી પૂજા કરવી તે અંગપૂજામાં ગણાય છે, ત્યાં આ વિધિ છે. વસ્ત્ર કરીને નાસિકાને બાંધી જેમ ચિત્ત સ્થિર રહે તેમ વર્તવું. વળી દેરાસરમાં પૂજા વખતે પોતાના અંગને ખરજ પણ ખણવી નહીં.” બીજા ઠેકાણે પણ કહેલું છે કે : "જગદ્ગુરુની પૂજા કરતાં કે સ્તુતિ-સ્તોત્ર ભણતાં, પોતાના શરીરે ખરજ ખણવી કે મુખથી થુંક, બળખો નાખવા પ્રમુખ આશાતનાનાં કારણે વર્જે." દેવ-પૂજાની વખતે મુખ્ય વૃત્તિયે તો મૌન જ રહેવું, જો તેમ બની શકે નહીં તો પણ પાપહતુક વચન તો સર્વથા ત્યજવું; કેમકે, નિશીહિ કહી ત્યાંથી ઘર વ્યાપાર પણ ત્યાગ કરેલા છે, તેથી દોષ લાગે; માટે પાપ-હેતુક (પાપ લાગે એવી) કાયિક સંજ્ઞા (હાથનો લહેકો કે આંખનું મચકાવવું આદિ ક્રિયા) પણ વર્જવી કેમકે, તેથી અનુચિતતાનો પ્રસંગ આવવાનો સંભવ રહે છે. દેવ-પૂજા વખતે સંજ્ઞા કરવાથી પણ પાપ લાગે છે તે ઉપર જીણહાકનું દષ્ટાંત ધોળકાનો વાસી જીણહાક નામનો શ્રાવક દરિદ્રપણાથી ઘીનાં કુડલાં અને કપાસાદિનો ભાર વહીને ગુજરાન ચલાવતો હતો. તે ભક્તામરસ્તોત્ર ભણવાનો પાઠ એકાગ્રચિત્તે કરતો હતો. તેની લયલીનતા - દેખીને ચક્રેશ્વરીદેવીએ પ્રસન્ન થઈ તેને એક વશીકરણ કરનારું રત્ન આપ્યું, તેથી તે સુખી થયો. તેને એક દિવસે પાટણ જતાં માર્ગમાં ત્રણ પ્રસિદ્ધ ચોર મળ્યા. તેઓને રત્નના પ્રભાવથી વશ કરી હણીને તે પાટણ આવ્યો. ત્યાંના ભીમદેવ રાજાએ તે આશ્ચર્ય સરખી વાત સાંભળીને તેને બોલાવી પ્રસન્ન થઈ બહુમાન આપી દેહની રક્ષા નિમિત્તે એક ખગ્ર આપ્યું. તે દેખી અદેખાઈથી શત્રુતુલ્ય નામનો સેનાપતિ બોલ્યો કે, મહારાજ ! (સેનાપતિ) ખાંડલ તાસુ સમપિઈ, જસુ ખાંડેઈ અભ્યાસ; જિહા ઈક્કે સમપિઈ, તોલા ચેલઉ કમ્પાસ. ૧ - • ખાંડું તેને જ આપવું જોઈએ જેને ખાંડાનો અભ્યાસ હોય જિણહાને તો તુલ, કુલડાં અને કપાસ જ આપવો જોઈએ.
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy