SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિનકૃત્યપ્રકાશ ૧૦૩ સાધુ મહારાજ આશ્રયી જ્યાં બીજા કોઈ આવી ન ચડે, તેમ બીજો કોઈ દેખી ન શકે એવા સ્થાનકે જ્યાં બેસતાં નિંદા ન થાય કે કોઈ સાથે લડાઈ ન થાય એવા સ્થાનકે; સરખી ભૂમિમાં એટલે પડી ન જવાય એવા સ્થાનકે; ઘાસ પ્રમુખે ઢાંકેલી ભૂમિ વર્જિત સ્થાને કેમકે એવી ભૂમિમાં બેસતાં ઘાસ વિગેરેમાં કદાપિ વીંછી, સર્પ, કીડા, પ્રમુખ હોય તો વ્યાઘાતનો સંભવ થાય; અને કીડી વિગેરે હોય તો મરી જાય. થોડા કાળની કરેલી ભૂમિકામાં, વિસ્તર્ણ ભૂમિમાં, જઘન્યથી પણ એક હાથની જમીનમાં; જઘન્યથી પણ ચાર અંગુલ જમીન અગ્નિ તાપાદિકથી અચિત્ત થઈ હોય એવા સ્થાનમાં અતિશય આસન્ન (પાસ) નહીં (દ્રવ્યથી ધવળ ઘર, આરામાદિકને નજીક નહીં અને ભાવથી આકરી પીડા થઈ હોય તો તેવા સ્થાન પાસે પણ વોસિરાવે); બિલ વર્જિત સ્થાનકે; બીજ, લીલોતરી, ત્રસ જીવ રહિત સ્થાનકે; એવાં સ્થાનકે મળમૂત્ર વોસિરાવે (ત્યાગ કરે.) દિશી, પવન, ગ્રામ, સૂર્ય, છાયા પ્રમુખના સન્મુખ વર્જીને તેમ જ ત્રણ વાર પ્રમાર્જીને ત્રણ વાર અનાદિ નરસુરાદો એવો પાઠ કહીને શરીરની શુદ્ધિ થવા માટે વોસિરાવે અને શુદ્ધિ કરે. ઉત્તર અને પૂર્વ દિશા પૂજ્ય છે માટે તેના સન્મુખ મળમૂત્રનો ત્યાગ ન કરવો. દક્ષિણ દિશા સામે બેસતાં ભૂત-પિશાચાદિકનો ભય થાય છે. પવન સન્મુખ બેસતાં નાસિકામાં પવન આવવાથી અર્શ થાય છે. સૂર્ય તથા ગામના સન્મુખ બેસવાથી તેની નિન્દા થાય છે. જેને કૃમિ નીકળતાં હોય તે છાયામાં મલ ત્યાગ કરે પણ જો તડકામાં બેસવું જ પડે તો, બે ઘડી પર્યત છાયા કરી ત્યાં ઉભો રહે. મૂત્ર રોકવાથી ચક્ષુ જાય, મલ રોકવાથી જીવિતવ્યથી રહિત થાય, ઉલટી આદિને રોકવાથી કોઢ થાય અને એ ત્રણેને રોકવાથી ગ્લાનત્વ (મંદવાડ)ની પ્રાપ્તિ થાય છે. મળ, મૂત્ર, ઘૂંક, બળખો, સળેખમાદિ જ્યાં નાખવાં હોય ત્યાં પહેલાંથી જુનાગ૬ નમ્સ પારો એમ કહીને વોસિરાવવો, અને વોસિરાવ્યા પછી તત્કાળ વોસિરે વોસિરે એમ ત્રણવાર ચિંતવવું. વળી સળેખમાદિને તો તત્કાળ ધૂળ, રાખ, વિગેરેથી યતનાપૂર્વક ઢાંકવાં. સંમૂર્છાિમની ઉત્પત્તિ જો એમ ધૂળ વિગેરેથી ઢાંકે નહીં ને ખુલ્લાં પડ્યાં રહે તો તેમાં અસંખ્ય સંમૂર્છાિમ (માતા-પિતાના સંયોગ વિના ઉપજનારા નવ પ્રાણવાળા મનુષ્યો જીવ ઉત્પન્ન થાય અને તેનો નાશ થવાનો દોષ લાગે છે. માટે પન્નવણાસ્ત્રના પ્રથમ પદમાં કહેવું છે કે - "હે ભગવન્! સંમૂર્છાિમ મનુષ્ય કયાં ઉપજે? (ઉત્તર) હે ગૌતમ ! મનુષ્યક્ષેત્રમાં પિસ્તાલીસ લાખ યોજનમાં, અઢી દ્વીપમાં જે દ્વીપ-સમુદ્રો છે તેમાં આવેલા પંદર કર્મભૂમિ (જ્યાં અસિ, મણિ, કૃષિ, કર્મ કરી લોકો આજીવિકા કરે છે)માં, છપ્પન અંતરદ્વીપ જ મનુષ્ય (યુગલીયા), ગર્ભજ મનુષ્યના મળમાં, પેશાબમાં, મેલમાં, બળખામાં, નાસિકામાં, વમન-(ઓકેલા)માં, પિત્તમાં, વીર્યમાં, વીર્ય અને
SR No.022172
Book TitleShraddh Vidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorSomsundarsuri
PublisherShantichandrasuri Jain Gyamandir
Publication Year2000
Total Pages422
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy