SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. સામાન્યાધિકાર.] સંક્ષિપ્ત સંગ્રહણિ. પર્યત હોય. વૈકિયને અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી વિષય છે. આહારકને મહાવિદેહક્ષેત્ર પર્યત વિષય છે. તેજસ કામણને સર્વલોક વિષય છે. પ્રજનકૃત ભેદ આ પ્રમાણે– દારિકનું ધમધર્મ, સુખદુઃખ, કેવળજ્ઞાનની પ્રાપ્તિ વિગેરે પ્રયોજન છે. વૈક્રિયનું મૂળ-સૂક્ષ્મ, એક-અનેકત્વ, મગમન-ક્ષિતિગમન વિગેરે અનેક લક્ષણવાળી વિભૂતિરૂપ પ્રયોજન છે. આહારકનું સૂક્ષ્માર્થ સંશયના વિચ્છેદ રૂપ પ્રયોજન છે, તૈજસનું આહારપાક, શાપાનુગ્રહપ્રદાન સામર્થ્યરૂપ પ્રોજન છે. કાશ્મણનું ભવાંતરગમનરૂપ પ્રયોજન છે. હવે પ્રમાણકૃત ભેદ કહે છેદારિક ઉત્કૃષ્ટ સાતિરેક એક હજાર યોજન પ્રમાણ હોય છે, વૈક્રિય લક્ષ જનપ્રમાણ હોય છે, આહારક એક હાથપ્રમાણ હોય છે, તેજસકાર્પણ ઉત્કૃષ્ટ ચૌદ રાજલોક પ્રમાણ હોય છે. સ્થિતિકૃત ભેદ આ પ્રમાણે-દારિક જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પાપમની સ્થિતિવાળું છે, આહારક જઘન્ય ને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિવાળું છે. વૈક્રિય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળું છે, તેજસ કાર્પણ પ્રવાહથી સર્વ છ માટે અનાદિ અને ભવ્ય માટે સંપર્યવસાન તેમ જ અભ માટે અપર્યવસાન સ્થિતિવાળું છે. અ૫બહુવકૃત ભેદ આ પ્રમાણે–સર્વથી થડા આહારક શરીર હોય છે, તે પણ કદાચિત્ હોય ને કદાચિત્ ન પણ હોય. તેનું અંતર કેટલું છે તે કહે છે. જઘન્ય એક સમયનું ને ઉત્કૃષ્ટ છ માસનું અંતર પડે છે. જ્યારે હોય ત્યારે પણ જઘન્ય એક, બે અને ઉત્કૃષ્ટ ૯૦૦૦ હોય છે. આહારક શરીર કરતાં વૈક્રિય શરીરે અસંખ્યાતગુણ હોય છે. નારક ને દે અસંખ્યાત હવાથી, તેમ જ તેમને અવશ્ય વૈકિય શરીર જ હોવાથી. વેકિય કરતાં દારિક શરીરે અસંખ્યાતગુણ હોય છે. સર્વ તિર્યંચ મનુષ્યને તે જ શરીર હોવાથી અહીં પ્રશ્ન કરે છે કે-“તિર્યંચ ગતિના છે તો (નિમેદને લઈને) અનંતા છે તે તેમના શરીરે અસંખ્ય કેમ થાય ? ” તેને ઉત્તર આપે છે કે તિર્યંચ ગતિના જીવો બે પ્રકારના છે. પ્રત્યેકશરીર ને સાધારણશરીરી. જે પ્રત્યેક શરીરી છે તેને દરેક જીવને એકેક શરીર હોય છે અને જે સાધારણશરીરી છે તેને અનંત છેને એક શરીર હોય છે. તેથી જે કે તિર્યો અનંતા છે તથાપિ તેમના શરીરે અસંખ્યાત જ છે, તેમાં કાંઈ દેષ નથી. દારિક કરતાં અનંતગુણા તેજસકાર્માણ શરીર હોય છે. સ્વસ્થાને તે બંને શરીરે સરખા છે. દરેક સંસારી જીવોને તે અવશ્યભાવી હોવાથી. ૧ ૨ હવે અવગાહના નામનું બીજું દ્વાર કહે છે. તે શરીરના પ્રમાણ રૂપ
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy