SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ N સામાન્યાધિકાર.] અનેક પ્રકારે યોનિનું સ્વરૂપ. ઉપજતા ઘણા વિગેરેની અચિત્ત અને સચિત્તાચિત્ત એવા કાષ્ઠમાં ઉપજતા ઘુણાદિની સચિત્તાચિત્ત (મિશ્ર) જાણવી. આ પ્રમાણે અન્ય જીવો માટે પણ ભાવના કરવી. ૩૫૯ તથા– सीउसिणजोणीआ, सव्वे देवा य गप्भवकंती। उसिणा य तेउकाए, दुह नरए तिविह सेसाणं ॥३६०॥ ટીકાથ–સર્વ દેવો ભવનપત્યાદિ અને ગર્ભવ્યુત્ક્રાંતિવાળા તિર્યંચ ને મનુષ્ય શીતષ્ણ નિવાળા હોય છે. તેમની ભવસ્વભાવથી જ શીતોષ્ણુ યોનિ હોય છે. તેઉકાયની ઉષ્ણુ યોનિ છે. નારકીમાં બે પ્રકારની નિ છે. તે આ પ્રમાણે–પ્રથમની ત્રણ નરકમાં નારકી શીત નિવાળા છે, ચોથી નરકમાં કેટલાક નરકાવાસામાં શીત નિ છે અને કેટલાકમાં ઉષ્ણુ નિ છે. પાંચમી પૃથિવીમાં ઘણામાં ઉષ્ણ નિ છે ને થોડામાં શીત નિ છે. છેલ્લી બે પૃથ્વીમાં ઉષ્ણુ નિ જ છે. શીતાનિવાળાને ઉષ્ણવેદના અધિક હોય છે અને ઉષ્ણનિવાળાને શીત વેદના અધિક હોય છે એટલે વેદનાના કમથી પ્રતિકૂળપણે નિને ક્રમ જાણવો. અન્ય એમ કહે છે કે–આદ્યની ત્રણ પૃથિવીમાં ઉષ્ણનિ છે, ચોથીમાં કેટલાક ઉષ્ણુયોનિ વાળા છે અને કેટલાક શીતાનિવાળા છે. છેલ્લી ત્રણે પથિવીમાં શીતાનિ જ છે. આ હકીકત અતિ લિષ્ટ (બહુ ફેરવાળી) હેવાથી ઉપેક્ષણીય છે. શેષ નારકી, દેવ, તેઉકાય ને ગર્ભજતિર્યંચ મનુષ્યથી અન્ય જીની ત્રિપ્રકાર એટલે ત્રણ પ્રકારની—કેટલાકની શીત, કેટલાકની ઉષ્ણુ અને કેટલાકની મિશ્રનિ છે. ૩૬૦ संखावत्ता जोणी, कुम्मुन्नय वंसपत्त जोणी अ। संखावत्ताइ तहिं, नियमाउ विणस्सए गप्भो ॥३६१।। कुम्मुन्नयजोणीए, तित्थयरा दुविहचक्कवट्टी य । रामा वि य जायंते, सेसाए सेसगजणो य ॥ ३६२ ॥ ટીકાથ–મનુષ્યોની નિ ત્રણ પ્રકારે છે–૧ શંખાવત્ત. ૨ કૂર્મોન્નતા અને ૩ વંશીપત્રાકારા. તેમાં શંખાવર્તામાં ગર્ભ વિનાશ જ પામે છે, નિષ્પત્તિ પામતો જ નથી. કૂર્મોન્નતાનિમાં તીર્થકર અને બે પ્રકારના ચક્રવતીછ ૨૮ તથા
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy