SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ २४ ज्योतिष्करण्डका कर्मनाम्नसंवत्सरस्य, तस्य चैवंरूपस्य संवत्सरस्यामूनि नामानि, तद्यथा- 'कर्मे' ति कर्मलौकिको व्यवहारस्तत्प्रधानतः संवत्सरोऽप्युपचारात्कर्म, 'सावणो' त्ति सवनं-कर्मसु प्रेरणं 'षू प्रेरणे' इति वचनात् तत्र भव एष संवत्सर इति सावनः, ऋतुः लोकप्रसिद्धो वसन्तादिस्तत्प्रधान एष संवत्सर इत्युपचाराद् ऋतुः ॥ ३२ ॥ संप्रति संवत्सरप्रस्तावात् शेषसंवत्सरप्ररूपणार्थमाह ગાથાર્થ :- નાલિકામાં ઉદકનું પ્રમાણ બે આઢક જેટલું હોય છે. ઉદક જેવું ઇચ્છિતા છે તેવું આગળ જણાવીશું. આ ઉદકનું કપડાથી ગાળીને પરિકર્મ કરવું અથવા તો જે સ્વભાવથી જ મેઘોદક છે અથવા શારદ સંબંધિ પ્રસન્ન ગિરિ નદીનું જલ છે તે લેવું ૨૮-૨લા બે નાલિકાનો એક મુહૂર્ત, સાઠ નાલિકાનો અહોરાત્ર, પંદર અહોરાત્રીનો પક્ષ, ત્રીસ દિવસનો માસ, બાર માસનો સંવત્સર જેમાં પક્ષ ચોવીશ હોય છે અને ત્રણસો સાઈઠ રાત્રિ દિવસો હોય છે. આ ક્રમ નિયમા કર્મસંવત્સરનો કહ્યો છે, તેના કર્મ - સાવન – ઋતુ વગેરે નામો છે. તે ૩૦-૩૨ // ટીકાર્ય - છિદ્રથી પ્રવેશેલા જેટલા પ્રમાણ ઉદકથી નાલિકા પરિપૂર્ણ થાય છે તેટલા પ્રમાણ નાલિકા ઉદક મેય પ્રમાણથી ૨ આઢક પ્રમાણ થાય છે તેમજ ધરિમ-તોલ પ્રમાણથી ૧૦૦ પલ થાય છે અને નાલિકા યોગ્ય જેવા ઉદકની જરૂર છે તેવું જણાવીશું. + ૨૮ / નાલિકા માટે યોગ્ય ઉદકનું પરિકર્મ આ રીતે કરવું. નાલિકા માટે જે ઉદક લેવાનું છે તેને સૌપ્રથમ કપડાથી ગાળવું અથવા જે સ્વભાવથી જ વરસતા વરસાદમાં નિર્લેપ, શુભ સ્થાનમાં પાણી ધારણ કરી રખાય છે તે “મેધોદક' વરસાદનું પાણી, નાલિકા યોગ્ય ગ્રહણ કરવું અથવા શરદકાળ સંબંધિ ગિરિ નદીનું નિર્મળ) ઉદક ગ્રહણ કરવું. || ૨૯ | નાલિકા માટે યોગ્ય ઉદક અને તેનું પ્રમાણ જણાવી હવે મુહૂર્તાદિનું પ્રમાણ જણાવે છે. મુહૂતદિનું પ્રમાણ બે નાલિકા ભેગી કરતાં એક મુહૂર્ત થાય છે તેનું ધરિમપ્રમાણ ૨૦૦ પલ અને મેયપ્રમાણ ચાર આઢક થાય છે. ૬૦ નાલિકા – ઘટિકાથી ૧ અહોરાત્ર એટલે કે ત્રીશ મુહૂર્તનો ૧ અહોરાત્ર થાય છે તેનું ધ્યેય પ્રમાણ ૧૨૦ આઢક તથા ધરિમ પ્રમાણ - ૬૦૦૦ પલ/૩ ભાર થાય છે. ૧૫ અહોરાત્રનો એક પક્ષ થાય છે તેનું પરિમ પ્રમાણ - ૪૫ ભાર અને મેય પ્રમાણ – ૧૮૦૦ આઢક થાય છે. ૩૦ અહોરાત્રનો ૧ માસ થાય છે તેનું પરિમપ્રમાણ - ૯૦ ભાર, મય પ્રમાણ ૩૬૦૦ આઢક થાય છે. તે ૩૦ /
SR No.022166
Book TitleJyotish Karandakam
Original Sutra AuthorN/A
AuthorParshvaratnasagar
PublisherOmkarsuri Aradhana Bhavan
Publication Year2013
Total Pages466
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anykaalin
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy