SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિકમ ઉપાધ્યાયજી મહારાજની સમતપૂર્ણ અને અજોડ આગમાનુસારી કલમે આપણને સંખ્યાબંધ ગ્રન્થની ભેટ આપી છે. એ દરેક ગ્રન્થ વિશિષ્ટ પ્રકારની અનેક વિશિષ્ટતાઓથી હર્યોભર્યો છે તેમજ સ્વપ્રતિપાદ્ય પદાર્થોની સ્પષ્ટ ઓળખ કરાવવાની અનુપમ ક્ષમતા ધરાવનારે છે. એટલે એ દરેક ગ્રન્થ સમજ વાંચકને આકષી લે છે, જકડી રાખે છે. તેમાં પણ તેઓ શ્રીમદને પ્રસ્તુત જે ધર્મપરીક્ષા ગ્રન્થ છે તે તો કોઈ અજબ કોટિને જ છે. જે સંપૂર્ણ તપૂર્ણ હોય અને તેમ છતાં પરિપૂર્ણતયા આગમને અવિરદ્દ હોય તે ગ્રન્થ રચવા માટે કોઈપણ ગ્રન્થકારમાં જે જે પ્રતિભાશક્તિઓ જોઈએ, તેવી બધી પ્રતિભાશક્તિઓને ઉપા. મહારાજમાં કાષ્ઠાપ્રાપ્ત સુભગ સંગમ થયો છે એની આ ગ્રન્થમાં વાંચકને સ્પષ્ટ અનુભૂતિ થયા વિના રહેતી નથી. પ્રકાંડ મેધા, તીવ્ર ધારણું, અપૂર્વ તર્કશક્તિ, નિરુપમ સૂમેક્ષિકા, શાસ્ત્રપાઠાનું પૂર્વાપર જબરદસ્ત અનુસંધાન, દંપર્યાથના ઊંડાણ સુધી પહોંચવાની ગજબનાક પહેાંચ, પદાર્થને આરપાર વીંધીને ચકાસવાની અનુપમ વેધકદષ્ટિ, અજોડ સમીક્ષા, શાસ્ત્રીય પદાર્થો અંગે પૂર્વપક્ષીએ બાંધેલી ઘેલી કુવ્યાતિના નિરાકરણ માટે અફાટ શ્રુતસમુદ્રમાંથી તે કુવ્યાપ્તિનાં વ્યભિચાર સ્થાને શોધી કાઢવાની અજબ સ્મૃતિ, પૂર્વપક્ષીએ આપેલાં અનુમાનમાં રહેલા બાધ વગેરે દોષોને પકડી પાડવાની અનેરી કુશળતા, પૂર્વપક્ષીએ પોતે જ અન્યોન્ય ગ્રન્થમાં કહેલા શબ્દોથી તેને જ બાંધી દેવાની ભેજાબાજ કુનેહ, પૂર્વપક્ષોની માન્યતાને ક્ષણભર સ્વીકારીને પણ તેમાં આવી પડતા દેને રજૂ કરી દેખાડવાની ન્યારી કલા, અન્યોન્યાશ્રય, વદતિ વ્યાઘાત, પૂર્વાપર વિરોધ વગેરે દેવને પ્રકાશિત કરવાની હથોટી વગેરે રૂપ જે અસાધારણ પ્રતિભાશક્તિઓ ઉપા૦ મહા. માં રહેલી છે તેનું આ ગ્રંથમાં ડગલે ને પગલે દર્શન થયા વિના રહેતું નથી. જે જે અધિકારોમાં આ શક્તિ સ્પષ્ટ રીતે ઉપસી આવે છે તે તે અધિકારોને ટૂંકમાં ટાંકવામાં આવે તે પણ જાણે કે એક ગ્રંથ રચાઈ જાય. અને તે પણ તે શક્તિઓની થયેલી અનુભૂતિના વર્ણનથી સંતોષ ન થાય. એ તો એમજ કહેવું પડે કે “જિન હી પાયા તિન થી છીપાયા..” સ્વયં રસિયા બનીને જ એને આસ્વાદ માણવો રહ્યો. ઉપામહા ના દરેક ગ્રન્થમાં તેઓ શ્રીમી પ્રતિભા શાનદાર રીતે ઝળકેલી જ છે. તેમ છતાં અન્ય ગ્રન્થમાં મોટેભાગે પ્રતિપાદ્ય પદાર્થોનું મૂળભૂત સ્ટ્રકચર, પૂર્વ પક્ષના નિરાકરણ માટેની પાયાભૂત દલીલો વગેરે પૂર્વાચાર્યોના “શ્રી સમ્મતિ તર્ક પ્રકરણ', “શ્રી વિશેષાવશ્યક ભાષ્ય,' શ્રી હારિભદ્રીય ગ્રન્થો, શ્યાવાદ રત્નાકર “રત્નાકર અવતારિકા વગેરે ગ્રન્થમાંથી પ્રાપ્ત છે, જ્યારે આ ધર્મપરીક્ષા ગ્રન્થમાં અપક્ષતા છે જે નિરાકરણ છે તે તે લગભગ બધાં જ ઉપા. મહા. ની પોતાની આગવી પ્રતિભાનાં સચક છે, આ નિરાકરણ માટે ઉપા. મહા ને કેઈ હિન્ટસ (Hints) ચાવીઓ પૂર્વાચાર્યના ગ્રન્થોમાંથી મળી નથી, પણ ઉપા. મહારાજે જાતે શ્રુતપરિશીલન વગેરે દ્વારા પિતાના ફળદ્રુપ ભેજામાં ઉત્પન્ન કરેલા ફળો છે. આવું હેવા છતાં, તેઓ શ્રીમદ્દની દલીલ સ્વઅભિપ્રાયને રજુ કરવામાં અને એનું સમર્થન કરવામાં કયાંય કચાશવાળી નથી રહી. કયાંય પૂર્વાપર વિરોધ વદવ્યાઘાત-અન્યાશ્રય વગેરે દેષોને અવકાશ નથી રહ્યો, જ્યાં તેવી સંભાવના હોય ત્યાં તેઓ શ્રીમદે જ યોગ્ય રીતે તેનું વારણ કર્યું છે. તેઓશ્રીએ જે અનુમાને આપ્યાં છે તેમાં પણ વ્યભિચાર-બાધ વગેરે દેશે ન આવે એની કાળજી રાખવામાં તેઓશ્રી સફળ રહ્યા છે. “સામાની દલીલને તેડવી છે, પણ યંગ્ય તક કે આગમવચન નથી મળતું, તો એને એકવાર અસત્ય જાહેર કરી દે, પછી એ અસત્યતાની સિદ્ધિ કરવામાં ગમે તેવું ગાડું ગબડાવી ઘો...” આવી વૃત્તિનું કયાંય દર્શન થતું નથી. પૂર્વ પ્રાપ્ત વાતોને વિશદ કરવી એ એક જુદી વાત છે, અને પરંપરામાં અપ્રાપ્ત ગૂઢ રહસ્યમય સિદ્ધાન્તને, પાછળથી પણ એમાં કેઈ દેષ ન
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy