SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : આ૫વાદિકપ્રવૃત્તિની વિચારણા तदवृत्तिः-"न केवलं निश्चयोऽपि तु स्वविषये व्यवहारोऽपि बलवान् । यद्यस्मात्कारणात्समुत्पन्नकेवलज्ञानोऽपि शिष्यो यद्यपि निश्चयतो विनयसाध्यस्य कार्यस्य सिद्धत्वात्केवली न कस्यचिद्वन्दनादिविनयं करोति, तथापि व्यवहारनयमनुवर्तमानः पूर्वविहितविनयो गुरुं वन्दते-आसनदानादिकं च विनयं तस्य तथैव करोति यावदद्यापि न ज्ञायते, ज्ञाते पुनर्गुरुरपि निवारयत्येवेति भावः। अपरं च अतीवगूढाचारेण केनचिद् गृहिणा विहितमाधाकर्म तच्च श्रुतोक्तपरीक्षया परीक्षमाणेनाप्यशठेन छद्मस्थसाधुनाऽविज्ञातं गृहीत्वा केवलिनिमित्तमानीतं यथावस्थितं च केवलिनस्तजानतो निश्चयनयमतेनाभोक्तव्यमपि श्रुतरूपं व्यवहारनयं प्रमाणीकुर्वन्नसौ भुकृत एव, अन्यथा श्रुतमप्रमाणं कृतं स्यात्, एतच्च किल न कर्त्तव्यं, व्यवहारस्य सर्वस्य प्रायः श्रुतेनैव प्रवर्त्तमानत्वात्, तस्माद् व्यवहारनयोऽपि बलवानेव, केवलिना समर्थितत्वाद् ।” તેથી, કેવલી ભગવાન વ્યવહારને પ્રમાણુ ઠેરવવા માટે ધર્મોપકરણ રાખે છે એવું માનીએ તો પણ તેઓનું આ સ્વરૂપ હણાઈ જવાની આપત્તિ તો આવશેજ, કારણકે કેવલીએ નવ પ્રકારના પરિગ્રહને જે સાવદ્ય તરીકે પ્રરૂપ્યો છે તેમાં આની પણ સાવદ્ય તરીકેની પ્રરૂપણ થઈ જ ગયેલી છે. [ કેવલીનું અનેપણુયગ્રહણ પણ આપવાદિક નથી -પૂ] સમાધાન :- (પૂર્વપક્ષ ચાલુ) આવી આપત્તિ આવતી નથી, કારણ કે તેમણે રાખેલા ધર્મોપકરણ શ્રુતવ્યવહારરૂપ હાઈ સાવદ્ય જ હતા નથી અને તેથી તેનું “આ સાવદ્ય છે એવું કેવલીએ પ્રરૂપણું જ કર્યું હતું નથી. તેથી જ પુષ્પમાલા (૨૨૯) અને તેની વૃત્તિના નીચે મુજબના વચનથી “કેવલી અનેષણીય આહારનું ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરે છે એ વાત સિદ્ધ થવા છતાં તે પ્રવૃત્તિથી તેઓમાં અપવાદની હાજરીની સિદ્ધિ થતી નથી, કારણ કે જ્ઞાનાદિની હાનિના ભયથી એ પ્રવૃત્તિ રહેતી નથી કિન્તુ વ્યવહારશુદ્ધિ માટે જ હોય છે. અને તેથી જ એ પણ ધર્મોપકરણ ધારણની જેમ સાવદ્ય ન હોઈ “આ સાવદ્ય છે” ઈત્યાદિ પ્રરૂપણાને વિષય બનતી ન હોવાના કારણે ઠાણુગના કેવળીનું સ્વરૂપ જણાવનાર ઉક્ત વચનને વિરોધ થતો નથી. પુષ્પમાલા (૨૨૯) અને તેની વૃત્તિને ભાવાર્થ [ “વ્યવહાર પણ બળવાન ની કેવલીકૃત સ્થાપના ] માત્ર નિશ્ચય જ નહિ, પણ વ્યવહાર પણ પિતાના વિષયમાં બળવાન છે એ વાત નીચેની વાત પરથી જણાય છે. કેવલજ્ઞાન પામી ગયેલ પણ શિષ્ય, જ્યાં સુધી ગુરુ વગેરેને કેવલજ્ઞાનીપ્રાપ્તિની ખબર પડી ન હોય ત્યાં સુધી, કેવલજ્ઞાન પૂર્વે જેવા વંદન-આસનદાનાદિરૂપ વિનય વગેરે કરતો હતો તેવા છઘસ્થ ગુરના વંદન-વિનયાદિ પણ વ્યવહારનયને અનુસરીને કરે જ. નિશ્ચયથી તેણે કાઈનો વિનય વગેરે કરવાના હોતા નથી, કારણ કે તે વિનયથી જ્ઞાનાવરણીયાદિ કર્મની નિર્જરા ૩૫ જે કાર્ય સાધવાનું હતું તે તો હવે સધાઈ જ ગયું છે. ગુરુ વગેરેને ખબર પડી ગયા પછી તે ગર જ તેને વિનયાદિ કરતા અટકાવે. એમ અત્યંત ગૂઢ આચારવાળા કોઈ ગૃહસ્થ કઈક આધાકમી ચીજ બનાવી. શ્રુતમાં કહેલી પરીક્ષા મુજબ પરીક્ષા કરવા છતાં તે ગૃહસ્થની ચાલાકીના કારણે છવાસ્થ સાધુને એની ખબર પડી નહિ. તેથી સરળ ભાવે તેનું ગ્રહણ કરીને કેવલીને આપી. કેવલી તે પિતાના જ્ઞાનથી તેને આધાકર્મ જાણે છે અને તેથી તેમને માટે તો એ નિશ્ચયથી અભોક્તવ્ય છે. તેમ છતાં ધૃતરૂ૫ વ્યવહારને પ્રમાણ કરતા તેઓ તેવી ચીજને પણ આહાર કરે જ. કારણ કે. નહિતર તે શ્રુત અપ્રમાણુ જ ઠરી જાય. તે આ રીતે-કેવલી આવી ચીજને દેષિત કહીને ન ખાય
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy