SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩ ૨૦૩ ૨. અપવાદ : सवत्थ संजमं संजमाओ, अप्पाणमेव रक्खिज्जा । मुंचइ अइवायाओ, पुणो विसोहि तथा विरई ॥ “સર્વથા સંયમનું રક્ષણ કરવું, સંયમથી પણ આત્માને બચાવવો. જો આત્મા બચ્યો હોય તો આલોયણા વગેરેથી તેની શુદ્ધિ થઈ શકે છે અને પાછી વિરતિ પ્રાપ્ત થાય છે. ૩. ઉત્સર્ગમાં અપવાદ : उस्सग्गे अववायं आयरमाणो विराहओ भणिओ । अववाए पुण पत्ते अस्सग्गनिसेवओ भयणा ॥ “ઉત્સર્ગને સ્થાને અપવાદ સેવે તો તે વિરાધક થાય છે અને અપવાદ પ્રાપ્ત થયા છતાંય ઉત્સર્ગ સેવે તો તે વિરાધક થાય અને ન પણ થાય.” ૪. અપવાદમાં ઉત્સર્ગ પણ આ જ પ્રમાણે સમજવાનો છે. ૫. ઉત્સર્ગ વિષે મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે : जं पुण गोयमा तं मेहुणं एगंतेणं निच्छयओ बाढं तहा आउ । तेउ समारंभं च सव्वपयारेहिं संजयं विवज्जेजा ॥ ભગવંત કહે છે : “હે ગૌતમ ! જે કારણ માટે તે મૈથુન એકાંતે નિશ્ચયથી અત્યંતપણે વર્જવું તેમજ સંયમીએ અષ્કાય તેઉકાય જીવનો સમારંભ પણ સર્વ પ્રકારે વર્જવો.” ૬. અપવાદ-અપવાદ : કોઈ સાધ્વી નદીમાં ડૂબતી હોય તો તેને સાધુ ઉચકીને બચાવી લે તો તેના સ્પર્શથી લાગેલા પાપની શુદ્ધિ અલ્પ આલોચનાથી થાય છે. આમ ઉત્સર્ગ અને અપવાદના છ ભાંગાનો વિચાર કરીને, તેને સતત નજરમાં રાખીને બોલવું જોઈએ. પ્રાકૃતરૂપમાળામાં કહ્યું છે કે આ પ્રમાણે છ ભાંગા હોવાથી કોઈ મુનિને ભારે ભીડમાં નારીનો સ્પર્શ થઈ જાય તો તેની આલોયણા લેવાથી તે છૂટી જશે પરંતુ એ સ્પર્શને અંતરમાં રાખશે તો તે અનંતો સંસાર વધારશે.” આ કથાનકથી શ્રાવકો અને સાધુઓએ શીખવાનું છે કે પોતાના પાપ કે દુષ્કૃત્યને ઢાંકવા માટે ઉત્સુત્ર ન બોલવું. લોકભયથી બદનામીના ડરથી જિનાજ્ઞાનો અવળો અર્થ કરી પોતાના પાપનો બચાવ કદી ન કરવો.
SR No.022159
Book TitleUpdesh Prasad Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages276
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy