SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ १७० ધ્યાન તક પરંતુ એવા આચાર્ય (૧) તત્ત્વપ્રતિપાદન જે વિપરીત કરતા હોય, અથવા (૨) વિપરીત નહિ કિંતુ યથાર્થ કરવા છતાં સામાને સમજાય એવી સરળ શૈલીથી વિવેચન કરવામાં હોશિયાર ન હોય, તે એવા આચાર્ય મળવા છતાં પૂર્વોક્ત વિશેષણ વિશિષ્ટ જિનવચનના ભાવ સમજી શકાય નહિ. આમ જિનવચન ન સમજી શકવામાં કાં આ કારણ અથવા અતિદુર્બલતા કારણ હોય યા તે આ બંને કારણે પણ સંભવી શકે. તેમ, (૩) રેયની ગહનતાને લીધે, અર્થાત્ જે જણાય તે ય” કહેવાય, એવા ય પદાર્થ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય યા નય-ભંગી વગેરે એની ગહનતાના હિસાબે પણ ન સમજાય અને જિનવચનને અ-ધ રહે એવું બને. એમ, (૪) જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી, અર્થાત પહેલેથી કે તત્કાળ એવા જ્ઞાનાવરણકર્મ ઉદયમાં આવવાથી જિનવચનના ભાવ ન સમજાય, એવું બને. પ્રવ– જ્ઞાનાવરણને ઉદય કારણભૂત કહે છે તે એ જ એક કારણું કહે, મતિ દુર્બળતાદિ કારણે તે એમાં સમાઈ જાય છે, કેમકે એ જ્ઞાનાવરણના ઉદયથી જ હોય છે, તે પછી એ બધાને જુદાં કારણ કહેવાનું યુક્તિયુક્ત નથી. ઉ૦- ના, યુક્તિયુક્ત છે. કેમકે જે કે જિનવચન કેમ નથી સમજાતા એનું કારણ જ્ઞાનાવરણના ઉદયનાં કાર્યને જ બતાવવું છે, પરંતુ તે સંક્ષેપથી ને વિસ્તારથી. એમાં સંગ જુદા જુદા, તેથી કારણે ભિન્ન ભિન્ન કહેવાય. સંક્ષેપમાં જ્ઞાનાવરણના ઉદયથી થતું અજ્ઞાન કારણભૂત બતાવાય, અને વિસ્તારથી Aસમજતા તે સંવનિ કહેવા
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy