SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ४ ૪૮ નવ્ય ઉપદેશ સપ્તતિકા. મલાર્થ-જે ક્રોધાદિક સેળ કષાયો છે, તે ખરેખર પ્રત્યક્ષ રૂપ વાળા પિશાચો જ છે, તેઓ આ સમગ્ર લેકને છળે છે, અને ઉગ્ર દુઃખને આપે છે-કરે છે. ૩૦ ટીકાર્થ–ોધ છે આદિમાં જેના તે કોધાદિક કહેવાય છે તે છ અને દશ એટલે સેળ કષાયે પ્રસિદ્ધ છે. કષાયમાં કોઇજ મુખ્ય છે. (લેકે કષાય શબ્દ ક્રોધને જ ઓળખે છે.) માન તે ક્રોધને અનુસરનાર છે. વળી એ બન્નેને અવિનાભાવ છે, એટલે કે તેઓ એક બીજા વિના રહી શકતા નથી, અર્થાત્ જ્યાં કોઈ હોય ત્યાં અવશ્ય માન હોય છે. અને જ્યાં માયા હોય ત્યાં લોભ પણ હોય છે, એ બને પણ એક સાથે જ રહે છે, એટલે કે જે પુરૂષ માયાવી હોય તે અવશ્ય લોભી હોય જ છે, અને જે કોઈ માયા રહિત હોય તે લભ રહિત હોય છે. કોઇ, માન, માયા અને લેભ એ ચાર પ્રકારના કષાયો છે. તે દરેકના સંજ્વલન, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને અનંતાનુબંધિ એવા ચાર ચાર ભેદો હોવાથી સળ પ્રકાર થાય છે. તેમાં ચારિત્રી–સાધુને પણ કાંઈક જાજવલ્યમાન કરવાથી સંજવલન કહેવાય છે, સર્વવિરતિને નિષેધ કરવાથી પ્રત્યાખ્યાનાવરણ નામનો બીજો ભેદ છે, દેશ વિરતિ અને સર્વ વિરતિ એ બન્નેના પ્રત્યાખ્યાનને નિષેધક હોવાથી ગરીજે ભેદ અપ્રત્યાખ્યાન નામનો છે અને અન્ય નંત ભવ સુધી અનુબંધ કરાવનાર-અનુસરનાર હોવાથી ચોથે કષાય અનંતાનુબંધી નામને કહેવાય છે. જો કે આ અનંતાનુબંધી કષાયને " ઉદય બીજા ત્રણ પ્રકારના કષાયેના ઉદય વિના હેત નથી, તે પણ અવશ્ય અને સંસારના મૂળ કારણરૂપ મિથ્યાત્વના ઉદયને આક્ષેપ ક (આંત્રણ કરે) હોવાથી તેનેજ અનંતાનુબંધી એવું નામ આપેલું છે. કહ્યું છે કે –
SR No.022126
Book TitleUpdesh Saptatika
Original Sutra AuthorN/A
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1920
Total Pages118
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy