SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ - નવ્ય ઉપદેશ સતિકા. કીતિચંદ્ર નામના નાના ભાઈને દ્વેષને લીધે મારવાના ઘણું ઉપાય કર્યો છે, પરંતુ પુણ્યપ્રકૃતિને લીધે કીતિચંદ્ર તેમાં બચી ગયે અને છેવટ ગુરૂના ઉપદેશથી તેણે દીક્ષા ગ્રહણ કરી. તે સ્થિતિમાં પણ સમરવિજયે પિતાની દુષ્ટતા તજી નહીં અને નાના ભાઈ મુનિને ઘણું ઉપસર્ગ કર્યા. છેવટે તે દુટે મુનિ ઉપર અને પ્રહાર કર્યો, તે પણ મુનિએ પૃથ્વી પર પડી ગયા છતાં ક્ષમાજ ધારણ કરી રાખી. તે વખતે મુનિએ પિતાના આત્માને ઉપદેશ આપે કે-“હે જીવ! દુષ્ટ દુઃખોથી કંપતા એવા તે અવશપણે નર, તિર્યંચ અને નરકને વિષે ભ્રમણ કરતાં કયાં કયાં તીવ્ર દુઃખ સહન નથી કર્યા? અજ્ઞાનના વશમાં પડેલે તું અષ્ટ કર્મરૂપી દુષ્ટ શત્રુઓ વડે ઘણીવાર પણ છે, માટે હે ધીર! તું મનમાં વિષાદ ન કરીશ. શીધ્રપણે ક્ષમાગુણને ધારણ કરજે. મોટા ઉદધીને તરી ગયા પછી સુખે તરી શકાય એવા નાના ખાબોચીઆમાં કો પંડિત બે? માટે હે જીવ! શત્રુ ઉપર પણ પ્રસન્નતા ધારણ કરીને હિંસા અને દ્વેષને ત્યાગ કર, અતિ દુર્દમ એવા મનનું દમન કરી સમગ્ર પ્રાણીઓ પર દ્વેષભાવને ત્યાગ કર, મનમાં અદ્ભર ભાવને ધારણ કર, માયા શલ્ય અને નિદાન શલ્યને ત્યાગ કર, સર્વ પ્રાણીઓ પર સમતાભાવને ધારણ કરી અને સમરવિજ્યના ગુણને વિશેષ કરીને ગ્રહણ કર.” ઈત્યાદિ શુભ ભાવના 'ભાવને કીર્તિચંદ્ર મુનિ સદ્ગતિને પામી ત્યાંથી ચ્યવી વિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ચારિત્ર આરાધી મેક્ષે ગયા વિગેરે હકીક્ત આવે છે. ૩ ધર્મના અથી સાધુઓ તથા શ્રાવકને પણ દીર્ધદશી થવું ગ્ય છે; કેમકે વ્યાધિ આવ્યા પહેલાં જે આત્મહિત સાધી લેવાય તે તે અતિ શ્રેષ્ઠ છે. અત્યંત દુર્ધર એવું પાણીનું પૂર પ્રસરે ત્યાર
SR No.022126
Book TitleUpdesh Saptatika
Original Sutra AuthorN/A
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1920
Total Pages118
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy