SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વતિથિક્ષયવૃદ્ધિપ્રશ્નોત્તરવિચાર ઉમાસ્વાતિ મહારાજના પ્રૉષને પાઠ કે પૂર્વી તિથિ થાઈ ફૂલો વા તત્તર આપીને જણાવે છે. કે-લોકિક પંચાંગમાં પર્વતિથિનો ક્ષય આવે તો તેની પૂર્વતિથિમાં ક્ષય પામેલ પર્વતિથિ સ્થાપીને તેની આરાધના કરવી. જેમકે પંચાંગમાં અષ્ટમીને ક્ષય આવે તે ઔદાયિક સાતમે આઠમ સ્થાપીને અષ્ટમીની આરાધના કરવી અર્થાત્ સાતમને ક્ષય કરી તે આરાધ્ય તિથિને આઠમ કહેવી અને માનવી. પંચાંગમાં પર્વતિથિની વૃદ્ધિ આવે તો ઉત્તર એટલે બીજી તિથિને પર્વતિથિ કહેવી અને આરાધવી, જુઓ ક૫સૂત્ર સમાચારી ટીકાનો પાઠ. ___ यथा चतुर्दशीवृद्धौ प्रथमा चतुर्दशीमवगणय्य द्वितीयायां चतुर्दश्यां पाक्षिककृत्यं क्रियते ॥ કલંપસૂત્ર સુબાધિકા ટીકા, પત્રાંક ૨૦૬. અર્થ–પંચાંગમાં બે ચતુર્દશી આવે તો પહેલી ચૌદશની અવગણના કરીને બીજી ચતુર્દશીએ પાક્ષિક કૃત્ય કરાય છે. આ પાઠમાં ટીકાકારે પ્રથમ ચતુર્દશીને માટે અવાચ્છ સંબન્ધકભૂતકૃદંત મૂકેલ છે તે ખાસ અર્થસૂચક છે. “અવગણÀ” શબ્દને અર્થ શબ્દકેષમાં “અપમાન-અવજ્ઞા-તિરસ્કાર-પરાભવ” અર્થ કરેલ છે એટલે પ્રથમ ચતુર્દશીને ચૌદશ ન કહેવી, પણ અપર્વતિથિ તરીકે બીજી તરસ કહેવી અને માનવી એમ અર્થપત્તિન્યાયથી સિદ્ધ થાય છે. જે ટીપણાની પહેલી ચૌદશને લોકેત્તર દષ્ટિએ ચૌદશ કહેવાતી હોય તે ટીકાકાર મહારાજા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર્ય પ્રથમ ચતુર્દશીને માટે રાજ્ય કે
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy