SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ જરર પ્રશ્નો નરસાર્ધશતક ગુજરાતી અનુવાદ તે નગરમાં આચાર્ય ઘણા પ્રસિદ્ધ હેય, અથવા કાલ કરનાર મહાતપસ્વી હેય, ઘણા કાળ સુધી અનશન પાળ્યું હોય, માસરમણ કર્યું હોય એવા કારણે રાત્રિમાં મડદું રાખી મૂકવું દિવસે પણ આવા કારણે રાખી શકાય. મડદાને. ઢાંકવા માટે શુદ્ધ ક્વેત વસ્ત્ર ન હોય તે દિવસે પણ કાઢવું નહિ. રાજાદિ નગરમાં પ્રવેશ કરે કે નગરમાંથી નીકળે, દરવાજા બંધ થવા સંભવ હોય તે રાત્રે પણ મડદાને કાઢવું નહિ. હવે શીર્ષ દ્વાર કહે છે – जत्तो दिसा गामा तत्तों सीस तु होइ कायव्वं । उठेत रकखणहा अमंगलं लोगगरहा य ॥ ભાવાથ–જે દિશામાં ગામ હેય તે દિશા તરફ મડદાનું મસ્તક ઉપાશ્રયમાંથી લઈ જતી વખતે અને પરઠવતી વખતે કરવું કારણ કે કદાચિત્ મડદું ઊભું થાય તે પણ ઉપાશ્રય તરફ આવી શકે નહિ. બીજું, જે દિશા તરફ મડદાના પગ રાખવાથી અમંગલ થાય, લોકમાં નિદા થાય, અરે ! આ સાધુઓ એટલું પણ જાણતા નથી કે ગામની સન્મુખ મડદું ન કરાય, તેમજ પરઠવતા વખતે યથાજાત ઉપકરણ પડખે સ્થાપવા, તે રજોહરણ, મુહપત્તિ, ચળપદ્ધો. જે આ ઉપકરણ મડદાની પાસે ન રાખે તે ધનુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે અને આજ્ઞાભંગને દોષ લાગે અને કાળ કરનાર મિથ્યાત્વ ભાવને પામે એટલે દેવ થયા પછી અવધિજ્ઞાનને ઉપગ મૂક્યા પછી ઉપકરણને ન દેખે
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy