SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પોતે જ) કારણ બને છે. કચ્છતાન્યાવચ્છત્રાવૃત્તિનન્યાત્વાછિત્રાર્યતાનિરૂપતતાલાસ્થિસંવંથાવચ્છિન્નવારવા શરીરમાં છે - આ પ્રમાણે માનવાથી તે તે શરીરમાં જ ભોગની સિદ્ધિ થશે. જેથી સર્વશરીરમાં આત્માનો સંયોગ હોવા છતાં સર્વ શરીર દ્વારા ભોગનો પ્રસંગ નહિ આવે; પરંતુ બાલ્ય અવસ્થા યુવાવસ્થાદિના ભેદથી શરીરનો ભેદ હોવાથી તે તે અવસ્થામાં ઉત્પન્ન થયેલા ભોગ(જન્ય જ્ઞાનાદિ ગુણ)સ્થળે તેનાથી જુદી અવસ્થાવાળા તે તે શરીરનો અભાવ હોવાના કારણે વ્યભિચાર (કાર્યના અધિકરણમાં તે તે કારણનો અભાવ હોવાથી) આવે છે. તેના નિવારણ માટે બાલ્યાદિ અવસ્થામાં રહેલા તે તે શરીરાવચ્છિન્ન આત્મામાં ઉત્પન્ન થનારા તે તે જન્ય ગુણોની પ્રત્યે તે તે બાલ્યાદિ અવસ્થાના શરીરને તે તે વ્યક્તિ સ્વરૂપે (શરીરત્વેન નહિ, કારણ માની લઇએ તો ઉપર જણાવ્યા મુજબ વ્યભિચાર નહિ આવે; કારણ કે તે તે જન્યગુણોના અધિકરણમાં તે તે શરીરનો અભાવ નથી... પરંતુ આ રીતે તે તે શરીરને તે તે વ્યક્તિસ્વરૂપે કારણ માનવાથી ગૌરવ ખૂબ જ સ્પષ્ટ છે... ઇત્યાદિ સમજી શકાય છે. તેથી આત્માને વિભુ માનવા વગેરેની વાતમાં તથ્ય નથી. આ વિષયમાં અધિક વર્ણન સ્યાદ્વાદ કલ્પલતામાં છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જ એ જાણી લેવું જોઇએ. ૯-૧લા ઉપર જણાવ્યા મુજબ એકાંતનિત્યપક્ષમાં આત્માને વિભુ મનાતો હોવાથી હિંસા વગેરે સંગત થતા નથી, તે જણાવ્યું. હવે એકાંત-અનિત્યપક્ષમાં પણ તે સંગત નથી - એ જણાવાય છે– अनित्यैकान्तपक्षेऽपि हिंसादीनामसम्भवः । नाशहेतोरयोगेन क्षणिकत्वस्य साधनात् ॥८-२०॥ अनित्येति-अनित्यैकान्तपक्षेऽपि क्षणिकज्ञानसन्तानरूपात्माभ्युपगमेऽपि हिंसादीनामसम्भवो मुख्यवृत्त्याऽयोगः । नाशहेतोरयोगेन क्षयकारणस्यायुज्यमानत्वेन । क्षणिकत्वस्य क्षणक्षयित्वस्य साधनात् । इयं हि परेषां व्यवस्था-नाशहेतुभिर्घटादे शस्ततो भिन्नोऽभिन्नो वा विधीयेत ? आधे घटादेस्तादवस्थ्यम् । अन्त्ये च घटादिरेव कृतः स्यादिति स्वभावत एवोदयानन्तरं विनाशिनो भावा इति । इत्थं च हिंसा न केनचित्क्रियत इत्यनुपप्लवं जगत्स्यादिति भावः ।।८-२०॥ “વસ્તુના વિનાશના હેતુ સંગત ન હોવાથી વસ્તુમાત્રમાં ક્ષણિકત્વ સિદ્ધ કરાય છે. તેથી એકાંત-અનિત્યપક્ષનો સ્વીકાર કરાય છે. એ અનિત્યપક્ષમાં હિંસાદિનો સંભવ નથી.” - આ પ્રમાણે વશમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે – “બધું જ ક્ષણિક છે.” આ પ્રમાણે માનનારા બૌદ્ધ દર્શનમાં ક્ષણિક જ્ઞાનના સંતાન (ધારા-પ્રવાહ-પરંપરા) સ્વરૂપ આત્મા મનાય છે. તેમના પક્ષમાં પણ હિંસાદિ મુખ્ય-તાત્ત્વિક રીતે સંભવતા નથી. કારણ કે તેઓએ નાશના હેતુઓનો યોગ થતો ન હોવાથી વસ્તુમાત્રને સ્વભાવથી જ વિનાશી માની છે. ક્ષણવારમાં જ પોતાની મેળે ક્ષય પામવાનો વસ્તુનો સ્વભાવ છે. બૌદ્ધો નીચે જણાવ્યા મુજબ કહે છે. એક પરિશીલન
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy