SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ યદ્યપિ આ રીતે તો વેદાદિમાં પ્રમાનિમિત્તત્વ(યથાર્થ બોધનિમિત્તત્વ) માત્રનો જ સ્વીકાર કર્યો ગણાય. પ્રમાકરણત્વસ્વરૂપ પ્રામાણ્યનો સ્વીકાર કરાયેલ નથી. તેથી તમારામાં (જૈનોમાં) વેદપ્રામાયનો અભ્યપગમ ન હોવાથી કોઈ દોષ(અતિવ્યાતિ) નહીં આવે – એમ કહી શકાય છે. પરંતુ તમે (નૈયાયિકાદિએ) સ્વીકારેલ પ્રમાકરણત્વસ્વરૂપ જ પ્રામાણ્ય બધા પ્રમાતાઓએ (પ્રામાણિકોએ) માન્યું નથી. અવ્યભિચારીસ્વરૂપ પ્રામાણ્યનું નિર્વચન તે તે સ્થાને કરાયેલું છે. આથી શિષ્ટલક્ષણમાં ઉપર જણાવ્યા મુજબ અતિવ્યાતિવગેરે દોષો છે જ, એ સ્પષ્ટ છે.ll૧૫-રલા ઉપર જણાવેલા દોષોના નિવારણ માટે ઉપાય જણાવીને તેમાં દોષ જણાવાય છે तात्पर्य वः स्वसिद्धान्तोपजीव्यमिति चेन्मतिः । ननु युक्त्युपजीव्यत्वं द्वयोरप्यविशेषतः ॥१५-३०॥ तात्पर्यमिति-वो युष्माकं स्वसिद्धान्तोपजीव्यं स्वसिद्धान्तपुरस्कारि तात्पर्य । तथा चान्यागमानुपजीव्यतात्पर्य सकलवेदप्रामाण्याभ्युपगमनिवेशान्न दोष इति चेद्यदि तव मतिः, ननु तदा द्वयोरप्यावयोरविशेषतो युक्त्युपजीव्यत्वम् । अयं भावः-अन्यागमानुपजीव्यत्वं ह्यन्यागमासंवादित्वं चेत्तत्संवादिनि स्वाभिप्रायेऽव्याप्तिरयौक्तिकतदसंवादित्वं चेदस्माकमपि तात्पर्यमयौक्तिकागमासंवाद्येव, सर्वस्यैव भगवद्वचनस्य युक्तिप्रतिष्ठितत्वाद् मिथ्याश्रुततात्पर्यस्यापि स्याद्वादसङ्गतयुक्त्यैव गृह्यमाणत्वात् I/9૧-|| સ્વતાત્પર્યમાં તાત્પર્ય; અમારા(નૈયાયિકોના) સિદ્ધાંતને અનુસાર હોવું જોઈએ. આ પ્રમાણે જો કહેવામાં આવે તો, તમારે અને અમારે આપણને બંન્નેને યુક્તિને અનુસરનારું તાત્પર્ય સામાન્ય છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે, પોતપોતાના તાત્પર્ય મુજબ સંપૂર્ણપણે વેદના પ્રામાણ્યના અભ્યપગમની વિવક્ષા કરવાથી જૈનોને પણ ઉપર જણાવ્યા મુજબ શિષ્ટ માનવાનો પ્રસંગ આવે છે. તેના નિવારણ માટે તૈયાયિકો દ્વારા એમ કહેવામાં આવે કે - સ્વતાત્પર્ય એટલે અમારા(નૈયાયિકના) સિદ્ધાંતને અનુસરનારું તાત્પર્ય. તેથી અમારા આગમને છોડીને અન્ય જૈનાદિના આગમથી ઉપજીવ્ય (અનુસરનાર) ન હોય એવા તાત્પર્યમાં વેદના પ્રામાણ્યના અભ્યાગમનો નિવેશ કરવાથી જૈનોમાં શિષ્ટનું લક્ષણ સંગત નહીં થાય. કારણ કે તેઓ અન્યાનુપજીવ્યવેદના પ્રામાણ્યને સ્વીકારતા નથી. આ રીતે અતિવ્યાપ્તિનું નિવારણ યદ્યપિ થઈ જાય છે; પરંતુ આવી વિવેક્ષાથી કોઈ પણ પ્રકારની વિશેષતા વિના આપણા બંન્નેમાં યુફત્યુપજીવ્યત્વ સમાન છે. આશય એ છે કે અન્યાગમાનુપજીવ્યત્વ અન્યાગમાસંવાદિત્ય સ્વરૂપ છે. પોતાના આગમને છોડીને બીજાના આગમની સાથે સંવાદી ન બને તો તે તાત્પર્ય; સ્વસિદ્ધાંતોપજીવ્ય એટલે કે અન્ય આગમથી અનુપજીવ્ય કહેવાય છે. એવા તાત્પર્યની વિવક્ષા કરાય તો અન્ય આગમની સાથે સંવાદી ૩૦૨ સમ્યગ્દષ્ટિ બત્રીશી.
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy