________________
આ પ્રમાણે વિશેષતાત્પર્ય માનવાના બદલે સામાન્યમાં જ તાત્પર્ય માનવામાં આવે તો તિષ્ઠોમેન સ્વાનો અને અહીં પણ સ્વગદિસામાન્યમાં જે યજ્ઞાદિની કાર્યતા મનાય છે તેનો બાધ થશે. કારણ કે જ્યોતિષ્ટોમયજ્ઞથી સ્વર્ગસામાન્યની પ્રાપ્તિ થવાની હોય તો; સ્વામી અને આ વાક્યથી યજ્ઞસામાન્યને સ્વર્ગસામાન્યનું કારણ જણાવવાનું નિરર્થક બને અને તેથી યજ્ઞસામાન્ય સ્વર્ગસામાન્યનું કારણ નથી; એમ સમજવું પડે. તેથી સ્વર્ગસામાન્ય, યજ્ઞસામાન્યનું કાર્ય છે અને સ્વર્ગવિશેષ જ્યોતિeોમયજ્ઞનું કાર્ય છે - આ પ્રમાણે વિશેષતાત્પર્ય અહીં મનાય છે. વિશેષતાત્પર્યની વિવક્ષા કરવાની ન જ હોય તો અહીં ઉપર જણાવ્યા મુજબ બાધદોષ આવશે.
આથી સમજી શકાશે કે ત્યં નનૈવ તોપોડઝ ન શાસ્ત્રાવાસામલામ્ પ્રત્યેક નિષેધશ. ચાવ્યો વાવિયાન્તર૬ મતેઃ | અષ્ટક પ્રકરણ ૧૮-૪ || આ શ્લોકમાં ન ઇત્યાદિની વ્યાખ્યા પૂર્વપક્ષના અભિપ્રાયે જે કરી છે તે માન્ય રાખી છે. કહેવાનો આશય એ છે કે જે માંસમક્ષ તોષી... ઇત્યાદિ શ્લોકથી માંસભક્ષણમાં કોઈ દોષ નથી - આ પ્રમાણે જણાવાયું છે અને માંસ મયિતા.... ઇત્યાદિ શ્લોકથી માંસભક્ષકને જન્માંતરમાં પોતે બીજાનું ભક્ષ્ય બને એવો જન્મ પ્રાપ્ત થાય છે – આ પ્રમાણે જણાવાયું છે. તેથી દુર્ઘ નનૈવ રોષોડત્ર... આ શ્લોકથી; એ વિરોધને જણાવતાં ફરમાવ્યું છે કે - આ રીતે માંસભક્ષકને જન્માંતરમાં બીજાના ભક્ષ્ય તરીકે થવાનો દોષ પ્રાપ્ત થવા છતાં માંસભક્ષણમાં દોષ નથી એ કઈ રીતે કહ્યું? કારણ કે એવા જન્મની પ્રાપ્તિ; એ જ તો મોટો દોષ છે. બીજો કયો દોષ શોધવો પડે ? અર્થાત્ બીજો કોઈ દોષ હોય કે ન પણ હોય તો ય માંસભક્ષણ કરનારને ભક્ષ્ય બનવાના જન્મની પ્રાપ્તિ થવી એ જ મોટો દોષ છે. આ પ્રમાણે સિદ્ધાંતી (માંસને અભક્ષ્ય માનનારા) જણાવે છે.
આવી સ્થિતિમાં માંસભક્ષણમાં કોઈ પણ દોષ નથી – એમ માનનારા જણાવે છે કે માંસનું ભક્ષણ કરનારને ભવાંતરમાં બીજાના (જેનું માંસ ખાધું છે તેના) ભક્ષ્ય બનવા સ્વરૂપ દોષની પ્રાપ્તિ થતી નથી. કારણ કે એ દોષ શાસ્ત્રબાહ્ય માંસભક્ષણને આશ્રયીને છે, પરંતુ શાસ્ત્રવિહિત માંસભક્ષણમાં એ દોષ નથી. માંસભક્ષણમાં શાસ્ત્રવિહિત હોવાથી) જે દોષનો નિષેધ કર્યો છે તે બીજા વાક્યના કારણે સંગત છે અર્થાતુ હવે પછી જણાવાતાં વાક્યાંતરના કારણે એ દોષનિષેધ સંગત છે. અથવા “જન્મ આ જ દોષ છે. પરંતુ સર્વસામાન્ય ર માંસમક્ષો રોણો... ઈત્યાદિ શ્લોકથી દોષનો જે નિષેધ કરાય છે તે શાસ્ત્રબાહ્યભક્ષણને આશ્રયીને યોગ્ય નથી. કારણ કે શાસ્ત્રબાહ્યભક્ષણ અંગે તે નિષેધ સંગત નથી. કોહિત... (વૈદિકમંત્રથી સંસ્કૃત માંસનું ભક્ષણ કરવું જોઇએ.) ઈત્યાદિ વાક્યાંતરથી શાસ્ત્રોક્ત માંસભક્ષણને આશ્રયીને એ દોષનો નિષેધ છે – એ જણાય છે. સામાન્યથી માંસભક્ષણને આશ્રયીને એ દોષનિષેધ નથી. આ પ્રમાણે “ફુલ્ય નવ” ઇત્યાદિ શ્લોકની વ્યાખ્યા અષ્ટકપ્રકરણમાં વ્યાખ્યાકારશ્રીએ બે પ્રકારે કરી છે.
એક પરિશીલન
૨૫૫