SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃતનું કાર્ય કરી આપનારું બને છે; તેમ અહીં પુછાલંબને કરેલું અનુકંપાદાન ભોગનું કારણ હોવા છતાં ભોગનો પરિણામ ન હોવાથી ભોગની પ્રાપ્તિ થતી નથી. આથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે શાસનની પ્રભાવના વગેરે પુષ્ટ આલંબનને લઇને અનુકંપાદાન કરવાથી પૂ. સાધુભગવંતોને કોઈ દોષની પ્રાપ્તિ થતી નથી. અહીં યાદ રાખવું જોઈએ કે ઉપર જણાવેલી વાતને અનુલક્ષી દરેક સાધુ-સાધ્વીને એવી અનુમતિ અપવાદ પણ નથી. પૂ. ગીતાર્થ સાધુમહાત્માને જ એવો વિશિષ્ટ અધિકાર છે. શાસનપ્રભાવનાના યથાર્થ અર્થનો જેને સહેજ પણ ખ્યાલ નથી એવા લોકોને એવી આપવાદિક પ્રવૃત્તિ કરવાનો કોઈ જ અધિકાર નથી. શાસનની આરાધના અને શાસનની પ્રભાવના : એ બંનેનો પરમાર્થ સમજાય તો ચોક્કસ જ વિવેકપૂર્વક વર્તી શકાશે. આજની અનુકંપાદાનની પ્રવૃત્તિ ખૂબ જ વિચિત્ર છે. શાસ્ત્રીય રીતે વિચારીએ તો સમજાશે કે આજની અનુકંપાદાનની પ્રવૃત્તિને અનુકંપાદાન તરીકે વર્ણવી શકાય એવું નથી. સામા જીવના માત્ર દુઃખનો ઉદ્ધાર કરવાની ભાવનાથી જ શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ અનુકંપાદાન વિવેકપૂર્વક કરવાનું છે. એના બદલે મોટા ભાગે સામા જીવ ઉપર ઉપકાર કરવાની ભાવનાથી અનુકંપાદાન થવા માંડ્યું છે. આવી તો કંઈકેટલી ય વિકૃતિઓ અનુકંપાદાનની પ્રવૃત્તિમાં પ્રવેશી છે. આત્માર્થી જનોએ પૂ. ગીતાર્થ ગુરુભગવંત પાસેથી એ જાણી લેવી જોઇએ. ll૧-૧૮ नन्विदं हरिभद्रसम्मत्या भवद्भिर्व्यवस्थाप्यते तेनैव चाभिनिविश्योक्तमित्याशङ्क्याह, અહીં કારણવિશેષમાં પૂ. સાધુભગવંતો અનુકંપાદાન કરે – એ વાતનું સમર્થન; પૂજ્યપાદશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના અષ્ટક પ્રકરણનાં વચનોથી કરાયું છે. પરંતુ તેઓશ્રીએ પોતાની અનુકંપાદાન આપવાની પ્રવૃત્તિના સમર્થન માટે અભિનિવેશકદાગ્રહ)થી અષ્ટક પ્રકરણમાં એ પ્રમાણે જણાવ્યું છે, તેથી તે પ્રમાણભૂત ન મનાય-આ પ્રમાણે શંકા કરીને સમાધાન કરાય છે– न च स्वदानपोषार्थमुक्तमेतदपेशलम् । हरिभद्रो हादोऽभाणीद् यतः संविग्नपाक्षिकः ॥१-१९॥ न चेति - न च स्वदानस्य स्वीयासंयतदानस्य पोषार्थं समर्थनार्थमुक्तमेतदपेशलमसुन्दरम् । यतो यस्मात् संविग्नपाक्षिको हरिभद्रोऽदः प्रागुक्तं हि निश्चितमभाणीत् । न हि संविग्नपाक्षिकोऽनृतं बूते । तदुक्तं सप्तविंशतितमाष्टकविवरणे-“स्वकीयासंयतदानसमर्थनागर्भार्थकमिदं प्रकरणं सूरिणा कृतमिति केचित्कल्पयन्ति । हरिभद्राचार्यो हि भोजनकाले शङ्खवादनपूर्वकमर्थिभ्यो भोजनं दापितवानिति श्रूयते । न चैतत्संभाव्यते, संविग्नपाक्षिको ह्यसौ, न च संविग्नस्य तत्पाक्षिकस्य वाऽनागमिकार्थोपदेशः सम्भवति, ૨૨ દાન બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy