SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા દ્રવ્યસર્વસંપન્કરી ભિક્ષાને છોડીને ભાવસર્વસંપન્કરી ભિક્ષાનું આ લક્ષણ છે એમ માનવું જોઇએ. આ પ્રમાણે માનવાથી શ્રાવકની ભિક્ષા વગેરે દ્રવ્યભિક્ષા હોવાથી તેમાં લક્ષણ જાય નહિ તો ય કોઈ દોષ નથી. તેમ જ આ શ્લોકમાંનું ઉત્તરાદ્ધ પણ સંગત થશે... ઇત્યાદિ તે તે ગ્રંથાનુસાર વિચારવું. I૬-૧ના બીજી “પૌરુષષ્મી' ભિક્ષાનું સ્વરૂપ વર્ણવાય છે दीक्षाविरोधिनी भिक्षा पौरुषघ्नी प्रकीर्तिता । धर्मलाघवमेव स्यात् तया पीनस्य जीवतः ॥६-११॥ दीक्षेति-दीक्षाया विरोधिनी दीक्षावरणकर्मबन्धकारिणी भिक्षा पौरुषघ्नी प्रकीर्तिता । तया जीवतः पीनस्य पुष्टाङ्गस्य धर्मलाघवमेव स्यात् । तथाहि-गृहीतव्रतः पृथिव्याधुपमर्दनेन शुद्धोञ्छजीविगुणनिन्दया च भिक्षां गृह्णन् स्वस्य परेषां च धर्मस्य लघुतामेवापादयति । तथा गृहस्थोऽपि यः सदाऽनारम्भविहितायां भिक्षायां तदुचितमात्मानमाकलयन् मोहमाश्रयति, सोऽप्यनुचितकारिणोऽमी खल्वार्हता इति शासनावर्णवादेन धर्मलघुतामेवापादयतीति । तदिदमुक्तं-“प्रव्रज्यां प्रतिपन्नो यस्तद्विरोधेन वर्तते । असदारम्भिणस्तस्य पौरुषनीति कीर्तिता ।।१।। धर्मलाघवकृन्मूढो भिक्षयोदरपूरणम् । करोति दैन्यात्पीनाङ्गः पौरुषं हन्ति केवलम् ।।२।।" अत्र प्रतिमाप्रतिपन्नभिक्षायां दीक्षाविरोधित्वाभावादेव नातिव्याप्तिरिति ध्येयम् ॥६-११।। શ્લોકાર્થ સ્પષ્ટ છે કે દીક્ષાની વિરોધિની (પ્રતિબંધ કરનારી) એવી ભિક્ષાને પૌરુષપ્ની” ભિક્ષા કહેવાય છે. પુષ્ટ માણસ આવી ભિક્ષાથી જીવનનિર્વાહ કરે તો તેનાથી ધર્મની લઘુતા જ થવાની છે.” - કહેવાનો આશય એ છે કે જે ભિક્ષાના કારણે ચારિત્રમોહનીય કર્મ બંધાય છે તે ભિક્ષાને પૌરુષષ્મી ભિક્ષા કહેવાય છે. પુષ્ટ શરીરવાળા એવી ભિક્ષાથી પોતાના જીવનનો નિર્વાહ કરે તો તેથી ધર્મની લઘુતા જ થતી હોય છે. મહાવ્રતોને ગ્રહણ કર્યા પછી પૃથ્વીકાયાદિ જીવોનો વધાદિઆરંભ કરીને અને શુદ્ધભિક્ષાને ગ્રહણ કરનારની નિંદા કરીને ભિક્ષાને ગ્રહણ કરનારા; ધર્મની લઘુતા જ કરે છે. આવી જ રીતે ગૃહસ્થો પણ સદા અમારંભના કારણે વિહિત એવી ભિક્ષા માટે પોતાની જાતને યોગ્ય માની મોહથી ભિક્ષા વડે જીવનનિર્વાહ કરે તો “આ કેવા અનુચિત કરનારા શ્રાવકો છે'... ઇત્યાદિ રીતે શાસનની નિંદા કરાવવા દ્વારા ધર્મની લઘુતા જ કરાવનારા બને છે; જે, સ્વ અને પર ઉભય માટે અનર્થનું કારણ બને છે. એ વાતને જણાવતાં શ્રી અષ્ટમ્રકરણમાં જણાવ્યું છે કે પ્રવ્રયાને ગ્રહણ કર્યા પછી જે તેના વિરોધ વડે વર્તે છે એવા અસહ્નો આરંભ કરનારાની ભિક્ષા “પૌરુષબી ભિક્ષા” કહેવાય છે. દીનતાથી ભિક્ષા વડે પેટ પૂરું કરનારો એવો પુષ્ટ, મૂઢ અને ધર્મની લઘુતાને કરનારો પુરુષાર્થને હણવાનું જ માત્ર કામ કરે છે. પ્રતિમાપદ્મશ્રાવકની ભિક્ષા દીક્ષાવિરોધિની ન હોવાથી ૨૧૮ સાધુસામગ્રય બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy