________________
સંવિગ્નાભાસીઓએ ગીતાર્થના પારતંત્રનો ત્યાગ કર્યો હોવાથી તેમને જો જ્ઞાન નથી તો જ્ઞાનથી રહિત એવા તેઓ દુઃખે કરીને કરી શકાય એવા માસક્ષમણ વગેરે શા માટે કરે? (અર્થાત તેમનાં તે તે દુષ્કર અનુષ્ઠાનોને જોઇને તેમને વિશિષ્ટ જ્ઞાન છે એમ માનવું જોઇએ.) - આવી શંકાનું નિરાકરણ કરવા માટે ઓગણીસમો શ્લોક છે–
अभिन्नग्रन्थयः प्रायः कुर्वन्तोऽप्यतिदुष्करम् ।
बाहा इवाव्रता मूढा ध्वाङ्क्षज्ञातेन दर्शिताः ॥३-१९॥ अभिनेति-अभिन्नग्रन्थयोऽकृतग्रन्थिभेदाः । प्रायः कुर्वन्तोऽप्यतिदुष्करं मासक्षपणादिकं बाह्या इवाव्रताः स्वाभाविकव्रतपरिणामरहिताः । मूढा अज्ञानाविष्टाः । ध्वाङ्क्षज्ञातेन वायसदृष्टान्तेन दर्शिताः । यथा हि केचन वायसा निर्मलसलिलपूर्णसरित्परिसरं परित्यज्य मरुमरीचिकासु जलत्वभ्रान्तिभाजस्ताः प्रति प्रस्थिताः, तेभ्यः केचनान्यैर्निषिद्धाः प्रत्यायाताः सुखिनो बभूवुः, ये च नायातास्ते मध्याह्रार्कतापतरलिताः पिपासिता एव मृताः । एवं समुदायादपि मनाग्दोषभीत्या ये स्वमत्या विजिहीर्षवो गीतार्थनिवारिताः प्रत्यावर्तन्ते, तेऽपि ज्ञानादिसंपद्धाजनं भवन्ति, अपरे तु ज्ञानादिगुणेभ्योऽपि भ्रश्यन्तीति । तदिदमाहपायं अभिन्नगंठ तवाइ तह दुकरं पि कुव्वंता । बज्झव्व ण ते साहू धंखाहरणेण विनेया ।।१।।" आगमेऽप्युक्तं-“नममाणा वेगे जीविअं विप्परिणामंति” । द्रव्यतो नमन्तोऽप्येके संयमजीवितं विपरिणामત્તિ નારયન્તી ચેતવર્ણ: રૂ98I/
સંવિગ્નાભાસો પ્રાય: ગ્રંથિભેદ કરેલા નથી હોતા. અત્યંત દુષ્કર એવા તપ વગેરે કરતા હોવા છતાં તેઓ બાહ્ય-સાધુસંન્યાસી જેવા, કાગડાના દાંતથી મૂઢ છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે જેઓ સમુદાયમાં પ્રાપ્ત થતા કલહ વગેરે દોષોના ભયથી ગીતાર્થપારતંત્રનો ત્યાગ કરી સ્વચ્છંદપણે વિચરે છે તે સંવિગ્નાભાસો પ્રાય: કરીને ગ્રંથિ(રાગ-દ્વેષનો ગાઢ પરિણામ)ના ભેદને કરેલા હોતા નથી. અન્ય (મિથ્યાષ્ટિ) સંન્યાસીઓની જેમ અત્યંત દુષ્કર એવા માસક્ષમણ તપ વગેરેને કરતા હોવા છતાં તેમને સ્વાભાવિક રીતે વ્રતવિરતિ)ના પરિણામ હોતા નથી. કાગડાના દાંતથી તેમને અજ્ઞાનથી આવિષ્ટ-મૂઢ તરીકે જણાવ્યા છે.
જેમ કે કેટલાક કાગડાઓ નિર્મળ એવા પાણીથી પરિપૂર્ણ એવા સરોવરના વિસ્તારને છોડીને જળના ભ્રમથી મૃગજળ તરફ ચાલવા માંડ્યા. ત્યારે કેટલાકે તેમને ત્યાં જતા રોક્યા. તે વખતે તેમનું માનીને જે પાછા ફર્યા તે સુખી થયા. જે પાછા ન આવ્યા તે મધ્યાહ્નના સૂર્યના પ્રખર તાપથી વ્યાકુળ બનેલા તરસ્યા જ મરી ગયા. આવી જ રીતે થોડા દોષથી ભય પામીને સમુદાયથી છૂટા પડીને પોતાની મતિકલ્પનાથી વિહરવાની ઇચ્છાવાળા સંવિગ્નાભાસોને ગીતાર્થમહાત્માઓએ છૂટા પડતા રોક્યા. તેમનું માનીને જેઓ સમુદાયમાં રહ્યા તે એક પરિશીલન
૧૦૭