SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ઉપદેશપદ : ભાગ-૧ ભાવાર્થ આ પ્રમાણે છે– જે શ્રતધર્મમાં (શાસ્ત્રમાં) આવા વિધિ અને નિષેધો અતિશય જોવા મળે તે શ્રતધર્મ કષથી શુદ્ધ છે. પણ “જેમ વિષ્ણુએ અસુરોનો ઉચ્છેદ કર્યો તેમ અન્ય ધર્મમાં રહેલા જીવોનો ઉચ્છેદ કરવો જોઇએ, તેમનો વધ કરવામાં દોષ નથી.” ઇત્યાદિ વાક્યો જેમાં હોય તે કષથી શુદ્ધ નથી. વિધિ-પ્રતિષેધનો સંભવ અને પાલન થાય તેવી ક્રિયાનું કથન એ છેદ છે. સાક્ષાત્ ન જણાવેલા પણ વિધિ-પ્રતિષેધ જણાઈ આવે તે સંભવ. જણાવેલા વિધિ પ્રતિષેધનું રક્ષણ એ પાલન. જે ધર્મમાં ભિક્ષાટન આદિ બાહ્યક્રિયાઓ એવી જણાવી હોય કે જે ક્રિયાથી (સંભવ થાય=) શાસ્ત્રમાં સાક્ષાત્ ન જણાવેલા પણ વિધિ-નિષેધો જણાઈ આવે, અને (પાલન થાય=) જે વિધિ-નિષેધો જણાવ્યા હોય તે વિધિ-નિષેધોનું બરાબર પાલન થાય, તે ધર્મ છેદથી શુદ્ધ છે. જેમ કષશુદ્ધિ થવા છતાં કદાચ અંદરથી અશુદ્ધ હશે એવી શંકા કરનારા સોનીઓ સોના મહોર આદિનો છેદ કરે છે, તેમ પ્રસ્તુતમાં કષશુદ્ધિ થવા છતાં વિચક્ષણ પુરુષો ધર્મના છેદની અપેક્ષા રાખે છે. તે છેદ વિશુદ્ધ બાહ્ય ક્રિયારૂપ છે. ક્રિયા વિશુદ્ધ તે છે કે જે ક્રિયામાં (–જે ક્રિયા કરવામાં) નહીં કહેલા પણ વિધિ-પ્રતિષેધ બાધિત થયા વિના પોતાના સ્વરૂપને પામે છે, અને પોતાના સ્વરૂપને પામેલા તે બંને અતિચાર રહિત બનીને ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. આવી વિશુદ્ધ ક્રિયા જે ધર્મમાં વિસ્તારથી કહેવામાં આવી હોય તે ધર્મ છેદથી શુદ્ધ છે. જેમ કષ અને છેદથી શુદ્ધ પણ સુવર્ણ તાપને સહન ન કરે તો તેમાં કાળાશ પ્રગટ થાય છે. એ દોષથી તે સુવર્ણભાવને પામતું નથી–સાચું સોનું કહેવાતું નથી, એમ ધર્મ પણ કષ અને છેદથી શુદ્ધ હોવા છતાં જો તાપ પરીક્ષામાં પસાર ન થઈ શકે તો સ્વભાવને પ્રાપ્ત કરતો નથી, અર્થાત્ શુદ્ધ ધર્મ ગણાતો નથી. આથી તાપથી શ્રુતધર્મની પરીક્ષા કરવી જોઇએ. કષ અને છેદ એ બંને ઘટી શકે તેવા જીવાદિ પદાર્થોની પ્રરૂપણા એ તાપ છે. હમણાં જ જેનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તે કષ (વિધિ-નિષેધ) અને છેદ(–ક્રિયા)ના પરિણામી કારણ એવા જીવાદિ પદાર્થોનું નિરૂપણ એ અહીં શ્રતધર્મની પરીક્ષાના અધિકારમાં તાપ કહેવાય છે. ભાવાર્થ આ પ્રમાણે છે- જે શાસ્ત્રમાં દ્રવ્યરૂપે નાશ ન પામે અને ઉત્પન્ન ન થાય (એથી નિત્ય સ્વભાવવાળા) તથા પર્યાય રૂપે પ્રત્યેક ક્ષણે અન્ય અન્ય સ્વભાવને (સ્વરૂપને) પામવાના કારણે અનિત્ય સ્વભાવવાળા જીવાદિ પદાર્થો સ્થાપિત કર્યા હોય-નિશ્ચિત ક્ય હોય ત્યાં તાપશુદ્ધિ હોય. કારણ કે પરિણામી જ આત્મા (વગેરે)માં તેવા પ્રકારના અશુદ્ધ પર્યાયનો નિરોધ થવાથી અને ધ્યાન-અધ્યયન આદિ અન્ય શુદ્ધ પર્યાય પ્રગટ થવાથી જેનું સ્વરૂપ હમણાં જ કહેવામાં આવ્યું છે તે શ્રેષ અને બાહ્ય ચેષ્ટાની શુદ્ધિરૂપ છેદ ઘટી શકે છે, પણ બીજા કોઈ પ્રકારે ઘટી શકે નહીં.
SR No.022107
Book TitleUpdeshpad Granth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages554
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy