SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૫૪, પપ ૩૦૭ ભૂમિમાં દેવેન્દ્ર આદિ પાંચની અનુજ્ઞા મેળવીને નિવાસ કરવો જોઈએ. જેથી તે ભૂમિના સ્વામીની ભૂમિનો ઉપયોગ કરવાથી અદત્તાદાનરૂપ દોષની પ્રાપ્તિ થાય નહિ; જેમ કે જેની તે ભૂમિ હોય તેણે આપ્યા વગર કે તેમની અનુજ્ઞા વગર તે ભૂમિના ઉપભોગથી અદત્તાદાન દોષની પ્રાપ્તિ થાય છે. સામાન્ય રીતે સૌધર્મ ઇન્દ્ર જંબુદ્વીપના અધિપતિ કહેવાય છે, તેથી તેની અનુજ્ઞા ભગવાનના કાળમાં દેવેન્દ્ર આપેલી છે, તેથી તેની અનુજ્ઞાથી અને વસતિ પરિભોગ કરીએ છીએ એ પ્રકારની બુદ્ધિ ગ્રહણ કરીને સાધુ વસતિ ગ્રહણ કરે છે. વળી, દેવેન્દ્ર પછી તે નગર કે દેશનો રાજા માલિક કહેવાય, તેથી તેની અનુજ્ઞા સાધુએ ગ્રહણ કરીને તે નગર આદિમાં રહેવું જોઈએ. વળી, તે નગરમાં પણ જે નિવાસસ્થાન હોય તેના માલિકની અનુજ્ઞા લેવી જોઈએ. વળી, તે મકાનના સ્વામીથી અતિરિક્ત કોઈ તે મકાન ભાડે લે કે અન્ય રીતે તેનો ઉપયોગ કરતા હોય તે રૂ૫ શય્યાતરની અનુજ્ઞા લઈને સાધુએ તે વસતિમાં રહેવું જોઈએ. વળી, તે વસતિમાં કોઈ અન્ય સાધુઓ ત્યાં કે નજીકના વસતિમાં રહેલા હોય તે સાધર્મિક સાધુનું તે ક્ષેત્ર માસિકલ્પ આદિ દરમ્યાન આભાવ્ય છે, તેથી તેઓની અનુજ્ઞા લઈને તે વસતિમાં સાધુએ રહેવું જોઈએ. આ પ્રકારના અનુજ્ઞાપૂર્વક વસતિનો પરિભોગ કરવાથી સાધુને સ્વામી અદત્ત નામના અદત્તાદાનના પરિહારની શુદ્ધિ થાય છે. IFપ૪/૩૨૩ સૂત્ર : માહિ૦૫: T૧૧/૩૨૪Tી સૂત્રાર્થ : માસાદિ કલ્પ કરવો જોઈએ. Ifપપ/૩૨૪ll ટીકા : 'मासः' प्रतीतरूप एव, 'आदि'शब्दाच्चतुर्मासी गृह्यते, ततो मासकल्पश्चतुर्मासीकल्पश्च कार्यः T૫૧/૩૨૪ો ટીકાર્ય : “માસઃ'..... | માસ પ્રતીતરૂપ જ છે. અને “માહિ’ શબ્દથી ચાર માસ ગ્રહણ કરાય છે, તેથી માસકલ્પ અને ચતુર્માસીકલ્પ કરવો જોઈએ. પ૫/૩૨૪ ભાવાર્થ :સાધુને નવકલ્પી વિહાર કરવાનું શાસ્ત્રવચન છે, તેથી ચોમાસાના ચાર મહિના, અને શેષ કાળમાં એક
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy