SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ અધ્યાહતા આવશ્યક સૂત્રમાં જ, આવશ્યકના “ અર્થાધિકાર” આ પ્રમાણે બતાવવામાં અાવ્યા છે: (1) સામાયિક અધ્યયનમાં-પ્રાણાતિપાતાદિ સાવઘાનની વિરતિને અધિકાર છે, અર્થાત હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહ આદિ પાપને ત્યાગ કરવાનું બતાવ્યું છે. - (૨) ચઉવીસë અધ્યયનમાં–શ્રી તીર્થકર ભગવંતેનું ગુણ-કીર્તન કરવામાં આવ્યું છે. શ્રી તીર્થંકર ભગવાન સમ્યગદર્શન પ્રાપ્ત કરાવે છે તેમજ સમ્યગ્દર્શન કર્મક્ષય કરવા માટેનું પ્રધાન સાધન પણ છે. શ્રી તીર્થંકર પરમાત્મા જ સામાયિક (સાવઘયોગ, વિરતિ) ના ઉપદેશક હોવાથી પર પકારી છે તેથી તેમની સ્તુતિ કરવી અત્યંત આવશ્યક છે. (૩) વંદના અધ્યયનમાં-ગુણવાનની પ્રતિત કરવાનું દર્શાવ્યું છે. (૪) પ્રતિક્રમણ અધ્યયનમાં-અકા (દુષ્કૃત) ની નિંદાને અધિકાર છે. પ્રતિક્રમણ કરવાથી પાપની વિશુદ્ધિ થાય છે. (૫) કાત્સર્ગ અધ્યયનમાં – ભાવત્રણની ચિકિત્સા કરવાનું ફરમાવ્યું છે. પ્રતિક્રમણ કરવા છતાં જે અશુદ્ધિ રહી જવા પામી હોય તેને કાર્યોત્સર્ગ દ્વારા દૂર કરવામાં આવે છે, (૬) પ્રત્યાખ્યાન અધ્યયનમાં- “ગુણધારણ” કરવાનો અધિકાર છે અર્થાત પ્રત્યાખ્યાન કરવાથી મૂળગુણ અને ઉત્તરગુણની પ્રાપ્તિ થાય છે તેમજ તેનું નિરતિચાર પાલન થાય છે. ષ આવશ્યક દ્વારા પાંચે આચારેનું પાલન થાય છે: (૧) સામાયિક અર્થાત સાવઘયોગના ત્યાગથી અને નિરવઘ અનુદાનના સેવનથી ચારિત્રાચારની વિશુદ્ધ થાય છે (૨) ચોવીશ તીર્થંકર દેવના અદ્ભુત ગુણકીર્તન દ્વારા દર્શનાચારની વિશુદ્ધિ થાય છે.
SR No.022097
Book TitleAdhyatma Gita
Original Sutra AuthorN/A
AuthorShrimad Devchandraji
PublisherMahavir Tattvagyan Pracharak Mandal
Publication Year1972
Total Pages94
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy