SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) ઉપસંહારદ્વાર [ગ્રંથનો ઉપસંહાર-૭૧૩ હવે પ્રકરણના ઉપસંહારનો અધિકાર કહેવાય છે. તેમાં હમણાં જ કહેલા અર્થને આશ્રયીને કહે છે— संतेऽवि सिद्धिसुक्खे, पुव्वुत्ते दंसियम्मि य उवाए । लद्धम्मि माणुसत्ते, पत्तेऽवि जिणिंदवरधम्मे ॥ ४८८ ॥ जं अज्जवि जीवाणं, विसएस दुहासवेसु पडिबंध । तं नज्जइ गरुयाणवि, अलंघणिज्जो महामोहो ॥ ४८९ ॥ સિદ્ધિનું સુખ વિદ્યમાન હોવા છતાં, સિદ્ધિસુખની પ્રાપ્તિનો ઉપાય બતાવેલો હોવા છતાં, મનુષ્યભવ પ્રાપ્ત થયો હોવા છતાં, પૂર્વે પ્રાપ્ત નહિ થયેલ એવો જૈનધર્મ પ્રાપ્ત થવા છતાં હજી પણ જીવોને દુ:ખનું મુખ્ય કારણ એવા વિષયોમાં જે રાગ દેખાય છે તેથી જણાય છે કે મોટાઓ પણ મહામોહને ઓળંગવા પ્રાયઃ સમર્થ થતા નથી. [૪૮૮-૪૮૯] મોહનીય વગેરે કર્મોથી હણાયેલા જીવો વિષયરાગને છોડીને ગુણોને સ્વીકારતા નથી, એટલું જ નહિ બલ્કે, કેટલાક જીવો પ્રાપ્ત થયેલા પણ વિશુદ્ધગુણોને છોડીને વિષયોમાં રમે છે એમ જણાવતા ગ્રંથકાર કહે છે नाऊण सुयवलेणं, करयलमुत्ताहलं व भुवणयलं । केऽवि निवडंति तहविहु, पिच्छसु कम्माण बलियत्तं ॥ ४९० ॥ શ્રુતના બલથી હથેળીમાં રહેલા મોતીની જેમ વિશ્વના સ્વરૂપને જાણે છે તો પણ કેટલાકો પડે છે. કર્મોના બળને જુઓ. [૪૦] વળી બીજાઓ શું કરે છે તે કહે છે— एक्कंपि पयं सोउं, अन्ने सिज्झति समरनिवइ व्व । संजायकम्मविवरा, जीवाण गई अहो विसमा ॥ ४९९ ॥ જેમને કર્મની લઘુતા થઇ છે તેવા બીજા જીવો એક પણ પદને સાંભળીને સમરરાજાની જેમ સિદ્ધ થાય છે. અહો! જીવોની ગતિ વિષમ છે. વિશેષાર્થ– સમરરાજાનું દૃષ્ટાંત કહેવાય છે—
SR No.022093
Book TitleUpdeshmala Ppart 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy