SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦-તપધર્મ] ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિષ્ણુકુમાર ચરિત્ર ઔષધોથી શાંત થાય, તેમ દુર્જન કડવા વચનોથી શાંત થાય. જેવી રીતે શ્લેષ્મ અપાતા મધુર પદાર્થોથી સ્વાભાવિક રીતે જ કુપિત થાય છે, તેમ દુર્જન કહેવાતા મધુર વચનોથી પોતાની પ્રકૃતિથી જ કુપિત થાય છે. સજ્જનોના નિર્મલ વચનથી પણ દુર્જન પ્રકૃતિને છોડતો નથી. દૂધથી ધોયેલો પણ અંગારો નિર્મલ થતો નથી. તું ઉપશમરૂપ ધનવાળા મુનિઓ પ્રત્યે જે અતિ કઠોર આચરણ કરે છે તેમાં પણ તારું ભાગ્ય પ્રતિકૂલ થયું છે. કારણ કે મધુર પણ ક્ષીરસમુદ્રમાં અતિશય મંથન કરવાથી શું કાલકૂટ ઝેર ઉત્પન્ન નથી થયું? તેથી વિશેષ કહેવાથી શું? સાધુઓને ત્રણ પગલા જેટલું પણ સ્થાન આપ. પછી નમુચિએ કહ્યું. આ થાઓ, પણ ત્રણ પગલાની બહાર તમારામાંના કોઈને પણ જોઇશ તો ચોક્કસ મારી નાખીશ. તેથી ઘીથી સિંચાયેલો અગ્નિ સળગે તેમ વિષ્ણુમુનિ કોપથી સળગ્યા. વૈક્રિયરૂપ કરીને આકાશમાં વધવાનું શરૂ કર્યું. પ્રલયકાળના પવનની જેમ કષ્ટથી જોઈ શકાય તેવા તે મુનિ ક્ષણમાં એક લાખ યોજનના શરીરવાળા થયા. એક લાખ યોજન જેટલા સંપૂર્ણ શરીરવાળા તે મુનિ સઘળા વિશ્વને ભય કરનારા થયા. પગના આઘાતને (=પ્રહારને) કરતા તે મુનિ ગામ, ખાણ, નગર અને સમુદ્રથી વ્યાપ્ત પૃથ્વીપીઠને કંપાવે છે, પર્વતોના શિખરોને પાળે છે, સમુદ્રોને ઉછાળે છે, મનુષ્ય-તિર્યંચોને કષ્ટ ઉત્પન્ન કરે છે, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકદેવોને ક્ષોભ ઉત્પન્ન કરે છે. નમુચિના મસ્તક ઉપર પગ મૂકીને તેને પાતાળમાં ફેંકી દીધો. પછી સમુદ્રના પૂર્વકિનારે એક પગ અને પશ્ચિમ કિનારે એક પગ એમ બે પગને રાખીને રહે છે. ત્રણ ભુવનમાં ક્ષોભ થવાથી જે તે મુનિને ગુસ્સે થયેલા જાણીને મધુરકંઠવાળી અપ્સરાઓને ત્યાં મોકલી. તેમને શાંત કરવા માટે તેમના કાન આગળ રહીને મધુરકંઠથી ગાતી અપ્સરાઓએ મુનિને કહ્યું છે મહાનુભાવ! ક્રોધ સ્વ-પર ઉભયને સંતાપ કરનારો છે, તમારા સુચારિત્રનો અંત કરનારો છે, દુર્ગતિમાં જવાનો મહામાર્ગ છે, સર્વસુખોનો નાશક છે. તીર્થકરો અને પરલોકના ભયવાળા બીજા મહર્ષિઓ પણ અતુલ પરાક્રમથી યુક્ત હોવા છતાં અતિશય અધમ જીવોનું પણ બધું સહન કરે છે. જે રીતે નારકો અને તિર્યંચો વગેરે બીજાઓમાં ક્રોધ પ્રગટે છે તે રીતે જો ગુણથી મોટાઓમાં પણ ક્રોધ પ્રગટે તો વિવેકનું સામર્થ્ય ક્યાં રહ્યું? તેથી હે મુનીશ્વર! શાંત થાઓ, જિનોક્ત વચનોને યાદ કરો, ચિત્તમાં કરૂણા લાવો, ત્રણ ભુવન ઉપર કૃપા કરો. (૭૫) સુર-અસુર લોકોએ શાંતિકર્મ શરૂ કર્યું. ચક્રવર્તી મહાપદ્મને આ વૃત્તાંતની ખબર પડતાં ભયથી કંપતા શરીરવાળા તે પરિવાર સહિત ત્યાં આવ્યા અને મુનિના ચરણોમાં નમીને ખમાવવા લાગ્યા. આ પ્રમાણે અપ્સરાઓના વચનોથી, સકલસંઘના વચનોથી, શાંતિકર્મથી અને ક્ષમાપનાથી મુનિ કોઈ પણ રીતે શાંત થયા. ત્યારથી તેમનું ત્રિવિક્રમ એવું નામ પ્રસિદ્ધ થયું. પછી આલોચના-પ્રતિક્રમણ કરીને શુદ્ધ થયેલા તે મુનિ વિચરવા લાગ્યા. કારણ કે કહ્યું છે કે
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy