SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ તપધર્મ]. ઉપદેશમાલા (પુષ્પમાલા) વિષ્ણકુમારચરિત્ર-૨૩૭ હવે બીજું દૃષ્ટાંત કહે છેसंघगुरुपच्चणीए, तवाणुभावेण सासिउं बहुसो । विण्हुकुमारोव्व मुणी, तित्थस्स पभावया जाया ॥ ८३॥ સંઘ અને ગુરુના શત્રુ એવા જીવોને તપના પ્રભાવથી શિક્ષા કરીને વિષ્ણુકુમારની જેમ ઘણા તીર્થપ્રભાવકો થયા છે. વિશેષાર્થ– અનંતકાળમાં વિષ્ણુકુમારની જેમ ઘણા તીર્થપ્રભાવકો થયા છે. તે વિષ્ણુકુમાર કોણ છે? એ પ્રશ્નના ઉત્તરમાં તેનું ચરિત્ર કહેવાય છે વિષ્ણુકુમારનું ચરિત્ર કુરુદેશમાં હસ્તિનાપુર નામનું નગર છે. તેમાં સ્થાને સ્થાને મૂકેલા સુવર્ણના ઢગલાઓથી પરમાર્થને જાણનારાઓને પણ ઘણા સુવર્ણપર્વતોની શંકા થાય છે. દાનના અવસરે સુવર્ણના ઢગલાઓ ન રહેવાથી ફરી સુવર્ણપર્વતોની શંકા દૂર થાય છે. ઘણા હાથીની શ્રેણિના બહાનાથી જાણે બહુરૂપો કર્યા હોય તેવા કુલપર્વતો શ્રેષ્ઠરાજ્યોમાં વિજય પામતા અને અભિમાનથી રહિત એવા જેની સેવા કરે છે તે પદ્મોત્તર રાજા તે નગરનું પાલન કરે છે. તે રાજાની સર્વગુણોથી યુક્ત અને શ્રાવકધર્મમાં દઢ વાલા નામની શ્રેષ્ઠ પત્ની છે. તેમનો સિંહસ્વપ્નથી કહેવાયેલો (=સૂચવાયેલો) વિષ્ણુકુમાર નામનો પ્રથમ પુત્ર હતો, અને ચૌદ સ્વપ્નોથી સંભળાયેલો (=સૂચવાયેલો) મહાપા નામનો બીજો પુત્ર હતો. તેમાં વિષ્ણકુમાર આશાઓથી રહિત છે, અને મહાપદ્મ આશાઓ રાખે છે. આથી રાજાએ મહાપદ્મ નાનો હોવા છતાં તેને યુવરાજપદે સ્થાપિત કર્યો. આ તરફ શ્રી મુનિસુવ્રતજિનના ઉત્તમ શિષ્ય સુવ્રત નામના આચાર્ય વિહાર કરતા કોઈ પણ રીતે ઉજ્જયિની નગરીમાં પધાર્યા. શ્રીધર્મ નામનો રાજા તેમને વંદન કરવા માટે આવ્યો. નમુચિ નામનો દુષ્ટમંત્રી તેની સાથે આવ્યો. ઉપશમનો વિનાશ થવાથી તેણે વિતંડાવાદ શરૂ કર્યો. આ શત્રુ છે એમ જાણીને સૂરિ ક્ષણવાર મૌન રહ્યા. તેણે કહ્યું: બળદ જેવા આ આચાર્ય શું જાણે છે? તેથી ગુરુના પરાભવને સહન નહિ કરતા એક ક્ષુલ્લક શિષ્ય કહ્યું: દુષ્ટ માણસ પોતાનામાં કોઈ મહત્તા નહિ હોવાના કારણે મહાન પણ સજ્જનને અસમર્થ માને છે. કારણ કે લોક બીજાને પણ પોતાના સ્વભાવ જેવો માને છે, અર્થાત્ પોતે જેવો હોય તેવો બીજાને પણ માને છે. સર્વશાસ્ત્રોના પારને પામેલા આ આચાર્ય દૂર રહો, હે તુચ્છ! જો તારામાં કોઈ શક્તિ હોય તો મારી સાથે પણ બોલ. તેણે બોલવાનું શરૂ કર્યું. ક્ષુલ્લક મુનિએ તેને નિરુત્તર કરી દીધો. આથી સાધુઓ પ્રત્યે દ્વેષવાળો ૧. પોતાના જ પક્ષ સાધી પારકા પક્ષનું જેમાં ખંડન હોય તેવા વાદને વિતંડાવાદ કહેવામાં આવે છે.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy