SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યભવની દુર્લભતામાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [દશદૃષ્ટાંત-૯ ઘર ઉપર ધજાઓ ફરકાવતો ન હતો. કેમ કે (ધન એટલું બધું હતું કે જેથી) તે ધનની સંખ્યા જાણતો ન હતો. તે બીજે ક્યાંક ગયો એટલે તેના છોકરાઓએ જુદા જુદા દેશોમાંથી આવેલા વણિકોને તે રત્નો મૂલ્યથી આપી દીધાં, ઘર ઉપર ધજાઓ ફરકાવવાની ઇચ્છા રાખતા તે છોકરાઓએ ઘર ઉપર ધન પ્રમાણે ધજાઓ ફરકાવી. ઘરે આવેલો તે વૃદ્ધ રત્નોને ઓછા મૂલ્યથી વેચાવાના કારણે છોકરાઓ ઉપર ગુસ્સે થયો. ઝગડો કરતા તેણે છોકરાઓને કહ્યું: રત્નો જલદી પાછા લઈ આવો. તેથી સંભ્રાંત થયેલા પુત્રો રત્નો પાછા લાવવા માટે જલદી નીકળ્યા. જેમને રત્નો આપ્યા હતા તે જુદા જુદા બીજા દેશોમાં જતા રહ્યા હતા. આ પ્રમાણે શોધ કરાયેલા તે રત્નો કેવી રીતે મળે ? કદાચ કોઈ પણ રીતે તે રત્નોને મેળવે, પણ મનુષ્ય જન્મને ફરી ન મેળવી શકે. (૬) સ્વપ્ન- બે ભિખારીઓએ સ્વપ્નમાં પોતાના મુખમાં પ્રવેશતો સંપૂર્ણ ગોળચંદ્ર જોયો. એક ભિખારીએ અજ્ઞાન માણસોને સ્વપ્ન કહ્યું. અજ્ઞાનતાથી તેમણે કહ્યું: તું આજે ભિક્ષામાં એક આખો ખાખરો પામશે. તેણે પણ તે પ્રમાણે એક ખાખરો પ્રાપ્ત કર્યો. બીજા ભિખારીએ સ્નાન કરીને હાથમાં ફલ-પુષ્પો લઈને કોઈ સ્વપ્નશાસ્ત્રના જ્ઞાનીને સ્વપ્ન કહ્યું. જ્ઞાનીએ કહ્યું: તને સાત દિવસમાં રાજ્ય મળશે. તે નગરમાં પુત્ર વિનાનો રાજા મરણ પામ્યો. આથી અ વગેરે દિવ્યોથી અભિષેક કરાયેલો તે રાજા થયો. બીજા ભિખારીએ કોઈક રીતે આ વૃત્તાંત જાણ્યો. તેણે વિચાર્યું. હું પણ જ્ઞાનીઓને સ્વપ્ન કહીશ. બીજા કોઈ સમયે તેવું સ્વપ્ન મેળવવા માટે તેવો જ (= પૂર્ણ ચંદ્ર મારા મુખમાં પ્રવેશી રહ્યો છે તેવો જ) વિચાર કરીને અને ઘણું દહીં ખાઈને તેવા સ્વપ્નની પ્રાપ્તિ થાય એ માટે સુઈ ગયો. શું તેવું સ્વપ્ન પ્રાપ્ત થાય ? કદાચ કોઈ પણ રીતે દિવ્યપ્રભાવથી તેવું સ્વપ્ન પ્રાપ્ત થાય. પણ જીવોને ફરી મનુષ્ય જન્મ ક્યાંથી મળે ? અર્થાત્ ન મળે. (૭) ચક્ર- ચક્રનું દૃષ્ટાંત આ પ્રમાણે છે– લોખંડના થાંભલામાં આઠ ચક્રો હતા. તેમાંથી ચાર ચક્રો જમણી તરફથી ડાબી તરફ ફરતા હતા. ચાર ચક્રો ડાબી તરફથી જમણી તરફ ફરતા હતા. પ્રત્યેક ચક્રમાં બાર આરા હતા. તે ચક્રોની ઉપર તીર્થી મૂકેલી પૂતળી સતત ફરે છે. બાજુમાં પુરુષો હાથમાં તલવાર ખેંચીને (જો પૂતળીની ડાબી આંખને વીંધવામાં ભૂલ થાય તો) મારવા માટે તૈયાર રહેલા છે. બીજા પણ ઘણા શત્રુઓ ઘણા ઉપસર્ગો કરે છે. આવી સ્થિતિમાં અતિનિપુણ અને અપ્રમત્ત કોઈ પુરુષ નીચે દૃષ્ટિ રાખીને ૧. પટ્ટહસ્તી, પટ્ટઅશ્વ, છત્ર, ચામરયુગલ અને મંત્રપૂર્ણ કળશ એ પાંચ દિવ્ય છે. ૨. સચ્ચાહું સવ્યશબ્દનું બહુવચન છે. સવ્ય=ડાબી તરફ. ૩. નૃતારું રૂપ યા ધાતુથી બનેલા વર્તમાન કૃદંત ગંત શબ્દનું બહુવચન છે. ગંતાડું =જનારા કે ફરનારા. ૪. નીચે તેલનું તપેલું રાખેલું હોય. જેથી તેમાં ઉપર ફરતી પૂતળી દેખાય.
SR No.022092
Book TitleUpdeshmala Ppart 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2002
Total Pages394
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy