SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૭૩ ૧૩-ધર્મવાદ અષ્ટક ન બને, અને જ્યાં સુધી પ્રમાણ પ્રમાણરૂપે ન બને ત્યાં સુધી તેનું લક્ષણ ન થઇ શકે. હવે જો કહો કે કોઇ અન્ય પ્રમાણથી પ્રમાણના લક્ષણનો નિર્ણય કર્યો છે તો પૂર્વની જેમ પ્રશ્ન થાય છે કે એ પ્રમાણ એના લક્ષણથી નિર્ણિત છે કે નહિ ? આ પ્રશ્નના ઉત્તરમાં પુનઃ પૂર્વની જેમ (એ નિર્ણય તે જ પ્રમાણથી કર્યો કે અન્ય પ્રમાણથી ?) પ્રશ્નો ઊભા થાય. એ પ્રશ્નોના ઉત્તરમાં પુનઃ નવા પ્રશ્નો જાગે. આમ પ્રશ્નોની પરંપરા ચાલવાથી અનવસ્થા દોષ આવે. આ પ્રમાણે નિશ્ચિત વિકલ્પના બંને વિકલ્પોમાં દોષ આવે છે. પ્રથમ વિકલ્પમાં ઇતરેતરાશ્રય દોષ અને બીજા વિકલ્પમાં અનવસ્થા દોષ આવે છે. હવે અનિશ્ચિત પક્ષનો (=જે પ્રમાણથી પ્રસ્તુત પ્રમાણના લક્ષણનો નિર્ણય કર્યો તે પ્રમાણ તેના લક્ષણથી અનિર્ણિત છે” એ વિકલ્પનો) ઉત્તર આપે છે (અક્ષિતા વધે યુવા ચાતોડ વિનિવૃિત્તિ) અલક્ષિતઅનિર્ણિત લક્ષણવાળા પ્રમાણથી પ્રમાણના લક્ષણનો નિર્ણય કરવો કોઇ રીતે યોગ્ય નથી. અહીં અભિપ્રાય આ છે-જેનું લક્ષણ નિશ્ચિત છે તેવા પ્રમાણથી નિર્ણય કરીને પ્રમાણનું લક્ષણ કહેવું જોઇએ એવી નીતિ છે. જે પ્રમાણલક્ષણ કરવાનું ઇષ્ટ છે તેને જણાવનાર શાસ્ત્ર વિના પ્રમાણલક્ષણનો નિર્ણય ન થાય. તેથી પ્રમાણ અનિશ્ચિત લક્ષણવાળું જ છે. અનિશ્ચિત લક્ષણવાળા પ્રમાણથી પ્રમાણ-લક્ષણનો નિર્ણય કરવો યોગ્ય નથી. (૬) अथानिश्चितलक्षणादपि प्रमाणात्प्रमाण(लक्षण)निश्चितिर्भविष्यति इत्यस्यां शङ्कायामाहसत्यां चास्यां तदुक्त्या किं, तद्वद्विषयनिश्चितेः । तत एवाविनिश्चित्य, तस्योक्तिर्ध्यान्थ्यमेव हि ॥७॥ વૃત્તિઃ– “સત્ય” પવન્યાનું, “શબ્દઃ પુનરર્થ “માન્' મનના રસ્તાાનિતિન્નક્ષTIત્રમणात्प्रमाणलक्षणनिश्चितौ, 'तदुक्त्या' प्रमाणलक्षणप्रतिपादनेन, 'किं' न किञ्चित्प्रयोजनमित्यर्थः, कुत इत्याह'तद्वत्' प्रमाणलक्षणवत्, 'विषयनिश्चितेः' प्रमेयपरिच्छेदात्, यथा हि अनिर्णीतलक्षणेनापि प्रमाणेन प्रमाणलक्षणं निश्चीयते, एवं चिकीर्षितलक्षणेन प्रमाणेन प्रमेयस्यापि निश्चितिप्रसङ्गात् व्यर्थं प्रमाणलक्षणप्रणयनमिति भावः, तदेवं "प्रमाणेन विनिश्चित्य तदुच्यते" इति पक्षो निराकृतः । अथानिश्चित्येति पक्षस्य दूषणायाह- 'तत एव' इति यत एव प्रमाणेन विनिश्चित्य प्रमाणलक्षणप्रतिपादनमुक्तयुक्त्या मोहरूपं वर्त्तते तत एव, 'अविनिश्चित्य' प्रमाणेनाविनिर्णीय, 'तस्योक्तिः ' प्रमाणलक्षणप्रतिपादनम्, किमित्याह- "धियो' बुद्धेः, 'आन्थ्यम्' अन्धत्वं सम्मोहः, 'ध्याथ्यम्' तद् एव वर्तते प्रमाणलक्षणप्रतिपादयितुर्मूढतैव, निष्फलायासनिबन्धनत्वात्तस्याः, इति भावना, हिशब्दो यस्मादर्थे, तस्य चोत्तरश्लोके तस्मादित्यनेन सम्बन्ध इति ॥७॥ અનિશ્ચિત લક્ષણવાળા પણ પ્રમાણથી પ્રમાણે લક્ષણનો નિર્ણય થશે એવી આશંકા થયે છતે ગ્રંથકાર કહે છે
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy